નંદરાણી—કવિ દુલા ભાયા કાગ
મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં ‘માતાયશોદાનું આંગણું ‘ એ ભાવ બધાં ભજનોના આત્મા સમાન છે.ભગવાન ક્રૂષ્ણ સવારમાંતોફાન કરેછે.છાશ ફેરવવાનો સમય થઇ ગયો છે.ગાયોની ધકબક લાગી રહી છે.વાછડાંકૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે. એવે સમયે દેવનારીઓ જુદાં જુદાંરૂપ લઇ છાશ માગવા નંદરાણીને આંગણેઆવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેનાઘરનું થોડુંક કામ માગનારી બાઇઓ કરી આપે. આ બાઇઓના ટોળામાંલક્ષ્મીજી પણઆવેલ છે. તે નંદરાણીની હેલ લઇને પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશેમાટીની કુલડી લઇ લાંબો હાથ કરી કહીરહી છે કે: ‘માતા !મને છાશ આપો.’ આ બધીધમાલ વચ્ચે ભગવાન ક્રૂષ્ણનું તોફાન વધી જાય છે. માતા યશોદા ખિજાઇને એકદોરડાથી તેને મોટા ખાંડણિયા સાથે બાંધી દે છે.
અહો ! ધન્યભાગ્ય માતા યશોદાનાં! કે જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડો બાંધીલીધાં છે, એવો ભગવાન આજે એના દોરડા વતી બંધાય જાય છે.’હે માતા યશોદા! તારુંઘણા દિવસથી લેણું હતું: ચોપડા પણ બાંધી અભરાઇએ ચડાવી દીધેલા હતા; તે કરજઆજે ચૂક્તે થઇ ગયું છે.સ્રૂષ્ટિના સકલ જીવમાત્રમાં હે મા ! તારા જેવાંકોનાં ભાગ્ય વખાણું?’ ‘કાગ’ કહે છે કે ‘ હે મકતા ! ઉઘાડે પગે જગતનો નાથ જેઆંગણામાં –ઓસરીમાં અને પગથિયાં પરખેલે છે, એ પગથિયાંનો એક નાનકડો પાણો તેવખતે હું સરજાયો હોત તોપણ ક્રૂતાર્થ બનત’
(ગોઝારાં એનાં આંગણાં રે જી – એ રાગ)
માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
–નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી
મુરારિ કહે છે મુખથી માજી…
તારે હુકમે ભણે છે હાજી હાજી…
બાપુ બધાનો તારો બેટો રે…
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક
ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણી… રે.માતાજી0 1
કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રે…માતાજી0 2
જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે …માતાજી0 3
બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે …માતાજી0 4
’કાગ’ તારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રે…માતાજી0 5
(ભાવનગર એકત્રીશમી માર્ચ 1953)
==================================================
Leave a comment