ઉઘાડી રાખજો બારી
દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા,
તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી
પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્દ્ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ્કર્મોની છૂટા જંજીરથી થાવા,
જરા સત્યકર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
–સર પ્રભાશંકર પટ્ટણી
અખંડ આનંદ\એપ્રિલ\2022\પાનું:\પાનું ત્રણ
Leave a comment