ઉઘાડી રાખજો બારી
દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી.
ગરીબની દાદ સાંભળવા, અવરના દુ:ખનેદળવા,
તમારા કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી.
પ્ર્ણયનો વાયરો વાવા,કુછંદી દુષ્ટ વા જાવા,
તમારા શુદ્ધ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.
થયેલાં દુષ્ટ કર્મોની છૂટાંજંજીર થી થાવાં,
જરા સત્યકર્મની નાની, ઉઘાડી રાખજો બારી.
–સર પ્રભાશંકર પટ્ટણી
Leave a comment