[Enter Post Title Here]
અખંડ આનંદ,એપ્રિલ,2022\પાનું;39
સમાજના આગેવાન નૌતમલાલના આગ્રહ સામે ગૌતમભાઈ ના પાડી શક્યા નહિ.
ઘરે આવીને તેઓએ પત્નીને એટલું જ કહ્યું કે’ પારુ, રવિવારે નૌતમલાલ પોતાના પરિચિત પરિવારનેલઈને મોનાલીને જોવા આવવાના છે.
પારુલબહેન એટલું જ બોલ્યા કે, ‘અરે!પણ …’
ગૌતમભાઈએ હાથના ઈશારાથી સમજાવ્યું કે’તુ ચિંતા ન કર.’
સાંજે મોનાલી ઑફિસેથી ઘરે આવી ત્યારે પિતાએ દીકરીને કહી રાખ્યું કે ‘રવિવારે સાંજે
ગેસ્ટ આવવાના છે.’
મોનાલીને ખબર જ હોય કે ‘ગેસ્ટ’એટલે મુરતિયો અને તેના મા-બાપ,વાલી ઘરે તેને જોવા આવવાના હોય!
જેટલા સંબંધો,એટલી જગ્યાએથી મોનાલી માટે ‘વાત’ આવતી. સમાજના લોકો પણ પોતાનો સામાજિક ધર્મ બજાવતા.તો પાડોશીઓ પણ પોતાનો ધર્મબજાવી લેતા.આમ છતાંમોનાલીનું ક્યાંયે ગોઠવાતું નહોતું. એનું કારણ શું? એનું આશ્ચ્રર્ય સૌને થતું.
મોનાલી છે પણ સુંદર, મોર્ડન છતાં સુશીલ અને સંસ્કારી.ભણેલી પણ એમ.બી.એ. સુધી અને વરસે બાર લાખના પેકેજની મલ્ટિનેશનલ કંપનીમાં સારી નોકરી, પછી આવી કન્યા કોને ના ગમે?
હકીકત એ હતી કે મોનાલીનું લગ્ન નક્કી થતું નહોતું.ઘણા સંબંધીઓએ મેરેજ બ્યૂરોમાં નોંધણી કરાવવા ભલામણ કરી હતી. ગૌતમભાઈ કહેતાં કે’એમ પણ કરી જોયું છે…’
બધાને થતું કે ‘તો પછી પ્રોબ્લેમ સો છે? મોનાલીમાં ખોડ કઈ વાતની છે?
એક દિવસ ગૌતમભાઈ ના બેઉ પાડોશી મનહરબાઈ અનેજયસુખભાઈ નિરાંતની વેળાએ વાતોએ વળગ્યાહતા.
જયસુખભાઈએ કોઈ સાંભળી ન જાય એમ મનહરભાઈની નજીક જઈને કાનમાંકહેતા હોય એમ કહેતા કે’મેં બરાબર તપાસ કરી જોઈ છે. મોનાલી ખાનગી મુલાકાતમાં મુરતિયાને એમ કહી દે છે કે મારી ત્રણ શરત રહેશે;1.મને કૂકિંગ આવડ્તું નથી.મેરેજ પછી જમવાનું તો શું,ચા પણ નહિ બનાવું,
2,હું કોઈ પણ પ્રકારનું ઘરકામ પણ કરવાની નથી., નેવેર અને
3. દર શનિ-રવિ હું પિયર રહેવા આવી જઈશ., એકલી.તમારે પણ આવ્વાનું નહિ, બોલો, મંજૂર છે?
મનહરભાઈ તો ચોંકી ગયા અને બોલી ઊઠ્યાકે ‘અરે!શું વાત કરો છો? હું તો એમની બાજુમાંજ રહુંછું અને મોનાલીને તો નાની હતી ત્યારથી જોતો આવ્યો છું કે ઘરમાં તો માને બધાજ ઘરકામમાં મદદ કરતી હોય છે. અને ચાતો શું, બધી જ રસોઈ પણ બનાવતાં તેને આવડે છે.
જયસુખભાઈ કહ્યું કે’ જેટલાં મૂરતિયા મોકલેલા, એ બધાએ મને આ એક જ વાત કરી. હકીકત એ સાબિત થાય છે કે તે લગ્ન કરવા માંગતી જ નથી. તો પછી ગૌતમભાઈ સાફ શબ્દોમાં કેમ કશું બોલતા નહિ હોય ?
કોઈ ના જુએ એ રીતે પાછળ રહીને બેઉ પાડોશીની વાતો સાંભળી રહેલાગૌતમભાઈ મનોમન બબડ્યા.’સમાજના રીતિરીવાજને માન આપીને મુરતિયા આવે તો ના ઓછી પડાય? પણ મોનાલી તો અમારી દીકરો છે,દીકરો, કમાઉ દીકરો!