JADAVJIBHAI NO UKAALO
જાદવજીભાઇ નો ઉકાળો
(માતુશ્રી ઊજમબેન સોમચંડ ઍન્ડ અ.સૌ. પ્રભાવતીબેન મહેતા ફાઉંડેશન
સંચાલક: જાદવજી. સો. મહેતા / 1-બી, પાર્શ્વ ફલેટ્સ, પાણીની ટાંકી સામે, અન્યોન્ય બેંકના ખાંચામાં, વડોદરા-18
મળવાનો સમય: સવાર: 10.00 થી 12.00 /સાંજ : 4.00 થી 6.00
ફોન: 0265-24876 88)
આરોગ્યવર્ધક અમૃતપાન વિતરણ અભિયાન
જનતાનું આરોગ્ય સુધારવા અને રોગોથી દૂર રહેવાના શુભ હેતુથી જાહેર જનતાના લાભાર્થે નેચે જણાવેલ -20- (વીસ) દિવ્ય ઔષધીઓના સંયોજન દ્વારા તૈયાર કરવામાં આવેલ અમૃતપાનનું વિતરણ કરવામાં આવે છે.
:: ઘટક ઔષધીઓ (વનસ્પતિ) ::
- 1. કડુ 2. કરિયાતુ 3. કાળીજીરી 4.ગળો 5. ઇન્દ્રજવ 6.મામેજવો 7.જેઠીમધ 8. અરડુસી 9. સૂંઠ 10. દારૂહળદર11. કટુપટોળ 12.. દેવદાર 13. રાસ્ના 14.હીમજ 15. ગરમાળો 16. વાવડીંગ
17. નાગરમોથ. 18.સાટોડી 19. ગોખરૂ 20. હરડે
ઘર આંગણે અમૃતપાન તૈયાર કરવાની રીત :
એક ચમચી (3 થી 4 ગ્રામ ચૂર્ણ ) એક કપ ( 100 થી 120 ગ્રામ પાણીમાં રાત્રે(10 થી 12 કલાક) પલાળી રાખવુ, ધીમા તાપે ઉકાળવું. ત્રીજા ભાગનું પાણી બળી જાય ત્યારે ગાળી લેવું(70 થી 80 ગ્રામ બાકી રહે) બે વ્યક્તિ માટે અમૃતપાન તૈયાર થશે. કોઇ જૂનો વ્યાધિ હોય તો બે વખત પી શકાય,પ્રમાણ થોડું વધારી શકાય. તંદુરસ્ત વ્યક્તિ માટે એક વખત પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
પુખ્ત વયની વ્યક્તિ માટે : 30 થી 40 મિ.લિ.
બાર વર્ષની નીચેની વ્યક્તિ માટે : 10 મિ.લિ.
નાના બાળકોને : 1 નાની ચમચી આપી શકાય.
આ અમૃતપાન મેલેરીયા, જીર્ણજ્વર, શરદી, ખાંસી, ગેસ, એસીડીટી, ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કબજીયાત, અપચો, મંદાગ્નિ, સાંધાનો વા, કમરનો દુ:ખાવો, મેદસ્વીપણું, દંતનો દુ:ખાવો, શરીરની ખંજવાળ વગેરે રોગોમાં ફાયદાકારક છે અને તંદુરસ્ત વ્યક્તિમાં રોગપ્રતિકાત્મક શક્તિ વધારે છે.
20 વનસ્પતિમાંથી તૈયાર ચૂર્ણ(પાવડર)મળી શકે છે. – રૂપિયા 30(ત્રીસ)
વિતરણ અનેપૂછપરછ કેન્દ્ર::
(1) જલારામ મંદિર, કારેલીબાગ, વડોદરા-સવારના 7.00 થી 8.00
(2) જાદવજીભાઇ મોતીભાઇ ઓઝા-1, બ્રહ્માનગર સોસાઇટી, વ્યુ કોમ્પલેક્ષ પાછળ,વી. આઇ.પી રોડ, કારેલીબાગ, વડોદરા-22, ફોન: 0265-248 58 91
(2)તા.ક. આ અમૃતપાન નિર્દોષ છે. પ્રકૃતિ ભેદના કારણે કોઇને આડ અસર જણાય તો ફાઉંડેશન જવાબદાર નથી.
નાના હતા ત્યારથી મુંબઇ જવાનું થાય તો જાદવજી લલ્લુની કાલબાદેવીની દુકાને તો જવાનું હોય જ!કેટલા પ્રેમથી વાત કરે…સલાહ પણ આપે ! ચોખ્ખી તાજી વનસ્પતિના ભાવ પણ યોગ્ય!! ત્યારે ભાગ્યે જ કોઈ એલોપથી દવા કરતું…ખાસ કરીને કોઇ ઓપરેશન હોય તો! હવે આવા ટ્રસ્ટ દ્વારા દવાઓનૂ મફત વિતરણ થાય તેપૂણ્યનું કામ …બને તેટલો આવા કામનો ખૂબ પ્રચાર થવો જોઈએ.
આપે આ પોસ્ટ દ્વારા ઊમદા કામ કર્યું તે બદલ વંદન
Mumbai ma prapti sthan janavso.