[Enter Post Title Here]
a ઊઘડ્યાં દ્વાર અંતરનાં
એઈલીન કેડી
ભાવાનુવાદ: સોનલ પરીખ
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ.
મે—14
જો તમે ખંતપૂર્વક શોધશો, તો તમે ચોક્કસ જાણશો કે તમે જેની શોધમાં છો—તમારું મારી સાથેનું ઐક્યતે જ સમગ્ર જીવનનો મૂળ સ્ત્રોત છે,પણ તમારે તેનેમાટેસમય ફાળવવો પડશે. એ કંઈ આકાશમાંથી તમારા ખોળામાં ટપકી પડવાનું નથી. મને જાણવાની ઊંડી ઝંખના, સત્યની શોધ અને તેને માટે કંઈ પણ કરી છૂટવાની તૈયારી ન હોય ત્યાં સુધી તમને કશું મળે નહીં. અંતબોધનો આ ઊંડો આધ્યાત્મિક અનુભવ છે, જે જેઓને જાણવું છે તેમને જ મળે છે.
આધ્યાત્મિક અનુભૂતિઓને નામે અહીં – ત્યાં આડીઅવળી ડૂબકીઓ ન મારો. તે તમારા જ હાથમાં છે—આગળ વધો અને પોતાનામાં જ તેનો અનુભવ કરો. તમે જ્યારે આધ્યાત્મિક જીવનને વ્યવહાર અને મૂલ્યની સરાણ પર ચડાવીને જુઓ છો ત્યારે સમજાય છે કે જીવન સાવ ખાલી અને નિરર્થક હતું. તેના વિશે હમણાં જ કંઈક કરવાનો પ્રારંભ કરો. આધ્યાત્મિકતાને આરામખુરશીની નીપજ ન બનવા દો. તેને જીવંત, આંદોલિત અને બધા જોઈ શકે તેવી બનાવો. મને જોવા દો કે તમે આ જ ક્ષણથી જીવવાનું શરૂ કર્યું છે.
મે—15
તમારી જાતમાં અને મારા દ્વારા સઘળું કરી શકવાની તમારી ક્ષમતામાં શ્રદ્ધા રાખો.પછી તમે જે કામ હાથમાં લેશો તે અણીશુદ્ધ રીતે અને પૂર્ણ આનંદ સાથે પાર પડશે.જિંદગી માણવા માટે છે. તેને ઢસરડાઈને પાર વગરના બોજથી દબાઈનેશા માટે જીવો છો? તમારે ઘણીબધી જવાબદારીઓ સંભાળવાની હોઈ શકે,પણ તેની નીચે કચડાઈ મરવાની તો જરૂર નથી. જ્યારે તેમના પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ વિધાયક થશે, તમે તે જવાબદારીઓ હસતા મુખે અને હ્રદયપૂર્વક સ્વીકારશો એટલું જ નહીં, તેનાથી આનંદ પણ અનુભવશો.
તમને સમજાશેકે તેનો બોજ તમારે એકલાએ ઉઠાવવાનો નથી. તમે કદી એકલા નથી. આ સત્યને તમે જેટલું જલદી સમજશો અને તેને વાસ્તવિકતા તરીકે સ્વીકારશો તેટલો જલદી તમારો દૃષ્ટિકોણ બદલાશે. દરેક જવાબદારીને તમે નવી નજરે જોતા થઈ જશો. જેટલી ઝડપથી તમે નવી પરિસ્થિતિઓમાં ગોઠવાઈ શક્શો, તેટલી ઝડપથી તમે તમારાં કાર્યોનો આનંદ માણતાં થશો.
Leave a comment