ભીષ્મનું પ્રયાણ તથા શ્રીકૃષ્ણનું સ્વધામ ગમન

Leave a comment

B.SNXP.18

ભીષ્મનું પ્રયાણ તથા શ્રીકૃષ્ણનું સ્વધામ ગમન

શ્રીમદ્ ભાગવત સંક્ષેપ”

(સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

વ્યાસજી એ પોતાના મનની શાંતિ માટે ભાગવતની રચના ગ્રંથસ્થ કરવા માટે ગણપતિને બોલાવ્યા. ગણપતિ કહે  હે વ્યાસમુનિ ! આપ બોલશો તે હું લખીશ પણ એકવાર લખવાનું ચાલુ કરીશ પછી વચ્ચે (અટકીશ નહીં) મારી કલમ નહીં અટકે. વ્યાસજી કબૂલ થયા અને ગણપતિ લખવા તૈયાર થયા પણ અહ્વે આ કથા સાંભળશે કોણ? પોતાના પરમ વિદ્વાન તપસ્વી પુત્ર શુકદેવ આ કથા સાંભળે એવી એમની ઇચ્છા હતી.  શુકદેવજી બોરિંગ સર્પો વચ્ચે કઠોર તપસ્યા કરતા હતા. એમને બોલાવવા મોકલે તો પણ તે આવે તેમ હતા નહીં. વ્યાસજીએ ભોજપત્ર પર એક શ્લોક લખ્યો:

કસ્તુરી તિલકં લલાટપટલે વક્ષ:સ્થલે કૌસ્તુભમ્

નાસાગ્રે  વરમૌક્તિકં કરતલે વેણું કરે કંકણ

સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલિ

ગોપસ્ત્રીપરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ

અર્થ: જેમનાં વિશાળ કપાળમાં કસ્તુરીયુક્ત તિલક છે. છાતીની મધ્યમાં કૌસ્તુભ મણિ લટકે છે. નાકને છેડે ઉત્તમ મોતી લટકે છે, જેમણે હાથની હથેળીમાં વેણુ અને કાંડે કંકણ ધારણ કરેલાં છે, જેમના આખા શરીર પર સુગંધી ચંદનનો લેપ છે ,કંથમાં મોતીની સેરો છે અને જે ગોપીઓથી વીંટાઇ વળેલા છે એવા ગોપાલોમાં શ્રેષ્ઠ મણિતુલ્ય શ્રીગોપાલકૃષ્ણ વિજય પામે છે.

વ્યાસજીએ પોતાના ચાર શિષ્યોના ગળામાં આ લખેલો શ્લોક પહેરાવ્યો

 અને તેમને કહ્યું,હે શિષ્યો ! સર્પો જેનું રક્ષણ કરે છે એવા શુકદેવ જ્યાં તપ કરે છે ત્યાં તમે જાવ અને ત્યાં જઇ  તેમને સંભળાય તેમ નીચેના શ્લોક ગાજો.

શ્લોક:1

  બર્હાપીડં નટવરવપુ: કર્ણયો: કર્ણિકારં

બિભ્રદ્ વાસ:  કનકકપિશં વૈજયંતીંચ માલા 

રન્ધ્રાન્  વેણોરધરસુધયા પૂરય ગોપવૃન્દૈ

વૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિ:

શ્લોક: 2

અહો ! બકી યં સ્તનકાલકૂટં 

જિધાંસયા પાયયદપ્ય સાધ્વી

લેભે ગતિં ધાત્ર્યુચિતાં તતોડન્યં

કં વા દયાલું શરણમ્ વ્રજેમ્

અર્થ:

(1) શ્રીકૃષ્ણ ગ્વાલ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. એમના મસ્તકે મોર્પિચ્છ છે અને બન્ને કાનમાં પીળાં પુષ્પો છે. શરીર પર પીતાંબર અને ગળામાં પાંચ પ્રકારના પુષ્પોની બનેલી વૈજયંતી માળા છે. ઉત્તમ નટ જેવો શરીર-વેષ છે.વાંસળીનાં છિદ્રોને પોતાનાં અધરામૃતથી ભરી રહ્યા છે અને ગોવાળિયાઓનાં ટોળાં તેમની જ કીર્તિ ગાઇ રહ્યા છે.આમ વૈકુંઠથી પણ શ્રેષ્ઠ એ વૃંદાવનધામ એમનાં ચરણચિહ્નોથી વધુ રમણિય બન્યું છે. હે પરીક્ષિત ! આ બંસીનાદ સર્વ પ્રાણીઓનાં મનને હરતો હતો. તે સાંભળી વૃજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતાં તન્મય થઇ ગઇ અને શ્રીકૃષ્ણ્ને આલિંગન કરવા લાગી.

અર્થ:

(2) પાપિણી પૂતનાએ પોતાનાં સ્તનોમાં હળાહળ ઝેર લગાડી શ્રીકૃષ્ણને મારી નાખવાના દુષ્ટ હેતુથી દૂધ પીવડાવ્યું હતું. તેને પણ ભગવાને પરમગતિ આપી, જે માતા યશોદાને યોગ્ય હતી, તો એમનાથી બીજા ક્યા દયાળુને શરણે આપણે

જઇએ ?

વેદ વ્યાસના શિષ્યો જ્યાં શુકદેવજી તપ કરતા હતા ત્યાં પહોંચી ગયા અને શ્લોક ગાવા લાગ્યા. શ્લોક સાંભળતાં જ શુકદેવજી શિષ્યોની પાછળ પાછળ ચાલવા માંડ્યા.

એકસો બાર વર્ષના મુનિઓ વ્યાસ આજે શુકદેવને કથા કહેવાના છે. કરોડો ઋષિમુનિઓની મેદની જામી છે. મુખ્ય શ્રોતાની રાહ જોવાતી હતી. વ્યાસજીના શિષ્યો પાછળ પાછળ શુકદેવજી આવ્યા. સૌને પ્રણામ કર્યા. ઇશ્વરની પ્રાર્થના કરી. પરમાત્માને વંદન કર્યાં. પોતાનું આસન ગ્રહણ કર્યું. વ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની કથા શરૂ કરી .ૐ પરમાત્મને નમ: વ્યાસજી કહે છે હે શુકદેવ ! પાંડવોએ સુખની આશાથી ભગવાન શ્રીકૃષ્ણની મદદથી મહાભારતનું યુદ્ધ ખેલ્યું. પરિણામ દુ:ખમય આવ્યું. દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાએ પોતાના પિતાના મૃત્યુ પછી નક્કી કરેલું કે પાંડવ વંશમાં દીકરે દીવો ન રહેવો જોઇએ. આજે દ્રૌપદી અને તેના પાંચ રાજકુમારોએ એકાદશી વૃત કરી ઇશ્વરનું આરાધન કર્યું અને રાત પડતાં પાંચ રાજકુમારો માતા દ્રૌપદી સાથે સૂતા હતા. અશ્વત્થામા રાત્રે બગીચામાં આવ્યો. એક પછી એક ઝાડનાં મૂળિયાં ઉખેડવા લાગ્યો. એમ કરતાં કરતાં તેના હાથમાં ઝેરી મધનાં મૂળિયાં આવ્યાં.તેનો રસ કાઢી દ્રૌપદી અને રાજકુમારો સૂતાં હતાં ત્યાં આવીને તેમના પર છાંટ્યો. નિદ્રાધીન રાજકુમારોના ગળાં અશ્વત્થામાએ ધડથી જુદા કરી નાખ્યાં.ઝેરી અસરથી દ્રૌપદી ત્રણ કલાક પછી જાગ્યા. ભયંકર ઘટના જોઇ. હૈયાને કાબૂમાં રાખી, નાહીને હમણાં  જ આવેલા અર્જુનને દ્રૌપદીએ કહ્યું, આ યુદ્ધનું પરિણામ? અર્જુન દોડ્તાં દોડતાં ક્ર્ષ્ણ પાસે આવ્યા. બધી વાત કરી. કૃષ્ણે પૂછ્યું,

  બોલ અર્જુન રથને હું ક્યાં લઇ જાઉં? અર્જુને કહ્યું, મારાં બાળકોને મારનાર તરફ. શ્રીકૃષ્ણ જ્યાં અશ્વત્થામા હતા ત્યાં રથ લઇ ગયા. અર્જુન અને અશ્વત્થામાએ સામસામાં બાણ છોડ્યાં. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રને નાકામયાબ કરી અશ્વત્થામાને પકડી લીધા. અશ્વત્થામાને રથ સાથે બાંધ્યા.ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન ! અશ્વત્થામા ગુરૂપુત્ર છે તેને મારશો નહીં. વિધવા ગુરૂપત્નીને આઘાત લાગશે. પોતાની સામે પોતાના પાંચ પુત્રોની લાશ પડી છે ત્યારે મનને સ્થિર રાખી દ્રૌપદી જવાબ આપે છે. “”મારનારને સજા થવી જોઇએ, પરંતુ અપરાધી બ્રાહ્મણ હોય તો નહીં. આથી અશ્વત્થામાના માથાનો મણિ લઇ લો. માથે મુંડન કરી છોડી મૂકો. તેને જોઇ લોકો જાણશે કે આ બાળહત્યારો છે. અશ્વત્થામાના માથાનો મણિ લઇ લીધો. માથે મુંડન કરાવી કાઢી મૂક્યો. રાજકુમારોના અગ્નિસંસ્કારની તૈયારી કરી. શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું,’ બહેન ! આનું નામ તે જીવન.

શ્રીકૃષ્ણ થોડો વખત હસ્તિનાપુર રહ્યા. પછી અર્જુન-દ્રૌપદીને કહ્યું,   હવે મને દ્વારકા જવા રજા આપો. રજા મળી ગઇ. ભગવાન દ્વારકા જવા તૈયાર થયા હતા. અનેક લોકો ભેગાં થયા હતા., તેમાં બાવીસ વર્ષની વિધવા સગર્ભા ઉત્તરા કાળા કપડાં પહેરીને શ્રીકૃષ્ણને વિદાય આપવા આવેલી.ટોળામાં ફૂલની માળા હાથમાં લઇ પાછળ ઊભેલી હતી. મનમાં ને મનમાં વિચારતી હતી. હું વિધવા અને પાછી નાની ! હું કેમ કરી શ્રીકૃષ્ણ પાસે જાઉં? એટલામાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર માર્યું, ઉત્તરાના પેટમાં વાગ્યું. તેનો ગર્ભ બહાર નીકળી ગયો. પેટ દાબી ઉત્તરા કૃષ્ણ પાસે આવી, જુઓ જુઓ મામા ! મારી આ દશા શ્રીકૃષ્ણે કહ્યું, હે ઇશ્વર ! જો મેં જીવનમાં કાંઇ ખોટું ન કર્યું હોય તો બાળક જીવતો રહે. બાળકમાં પ્રાણનોસંચાર થયો.ભગવાને ગર્ભ પાછો પેટમાં ગોઠવી દઇ ઉપર સુદર્શન ચક્ર ગર્ભનું રક્ષણ કરવા મૂકી દીધું. ઉત્તરા ઊભી થઇ ગઇ. કુંતીએ ભગવાનને નમસ્કાર કર્યા. કુંતીને ભગવાને વરદાન માગવા કહ્યું. કુંતીએ કહ્યું: હે ભગવાન ! મને વરદાન આપવું હોય તો જીવનમાં દુ:ખ આપજો. જેથી સતત તમારું સ્મરણ રહે. કુંતીએ શ્રીકૃષ્ણને પૂછ્યું, હે કૃષ્ણ ! ઉત્તરાને હવે તો કોઇ ભય નથી ને ? તેના ગર્ભને હવે વાંધો તો નહીં આવે ને? કૃષ્ણે કહ્યું, ના હવે કોઇ વાંધો નહીં આવે. ઉત્તરાને અધૂરે દિવસે બાળક અવતર્યું.

યુધિષ્ઠિર શ્રીકૃષ્ણ પાસે આવ્યા. વિનંતી કરી હે કૃષ્ણ ! દ્વારકા જતાં પહેલાં મારી એક વિનંતી સાંભળો. મારી રાજગાદી પર બેસવાની જરાય ઇચ્છા નથી. મારે શેષ જીવન હિમાલયમાં ગાળવું છે. મારે બદલે ભીમસેનને ગાદી પર બેસાડો. કૃષ્ણે કહ્યું, વિચારી જોઇએ . અત્યારે 179 વર્ષના ભીષ્મ પિતામહની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. કુરૂક્ષેત્રમાં બાણશૈયા પર પડ્યા પડ્યા ભીષ્મ ઇચ્છતા હતા કે મારી ભક્તિ સાચી હોય તો ભગવાન્મને દર્શન આપવા અહીં આવે. ભીષ્મનો સાદ ક્ર્ષ્ણે સાંભળ્યો. કૃષ્ણ જ્યાં કુંતી, પાંડવો અને દ્રૌપદી હતાં ત્યાં આવ્યા. તેઓને કહ્યું, હાલ મારે દ્વારકા જવું નથી. ભીષ્મ પિતામહે મને યાદ કર્યો છે તેથી હું તેમનાં દર્શને જાઉં છું. કુંતીએ કહ્યું અક્મે બધાં પણ સાથે આવીએ છીએ. કૃષ્ણે બધાંને સાથે લીધાં. કૃષ્ણે પાંડવોને કહ્યું,’ તમે પિતામહના માથા પાસે બેસજો. હું તેમના પગ પાસે બેસીશ.

કુરૂક્ષેત્રમાં કરોડો માનવીઓ ભીષ્મ પિતામહનાં દર્શનાર્થે એકઠાં થયાં હતાં. ભગવાન કૃષ્ણનો રથ કુરૂક્ષેત્રમાં જ્યાં ભીષ્મની બાણશૈયા હતી ત્યાં આવ્યો. ભીષ્મ જાગ્યા. કૃષ્ણ રથમાંથી ઊતર્યા. અર્જુન અને પાંડવો પણ ઊતર્યા. બધાંએ ભીષ્મને પ્રણામ કર્યા. ભીષ્મે અર્જુનને કહ્યું, અર્જુન મારા માથા નીચે બે બાણ માર જેથી મારૂં માથું ભગવાન કૃષ્ણને નમાવી શકું. તે પછી બીજું એક બાણ મારી પાતાળમાંથી ગંગા કાઢજે અને ગંગાજળ મારા મોઢામાં મૂકજે. પાંચ પાંડવો, દ્રૌપદી, કુંતાજી ભીષ્મની આજુબાજુ બેઠાં. ક્ર્ષ્ણ પણ બેઠા. ક્ર્ષ્ણે ભીષ્મને કહ્યું, આ તમારો પૌત્ર યુધિષ્ઠિર ગાદીનો અધિકાર છતાં ગાદી પર બેસવાની ના પાડે છે. ભીષ્મે યુધિષ્ઠિરને  કહ્યું,ખરે સમયે નાસી જવું તે યોગ્ય નીતિ નથી. યુધિષ્ઠિર કહે, હે પિતામહ ! મારું મન ઠેકાણે નથી. મારો આત્મા બળ્યા કરે છે. તે જ ક્ષણે ભીષ્મે યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યો તેમજ વિષ્ણુસહસ્ત્રનો પાઠ કહ્યો. પછી ભીષ્મે આંખો બંધ કરી ભગવાનની સ્તુતિ કરી. કૃષ્ણને કહ્યું,   ભક્તે ભગવાનને કંઇક ભેટ આપવી જોઇએ. હે મધુસૂદન ! મારી દિકરી વિત્ઋષ્ણા કુંવારી છે. તેની સાથે તમે લગ્ન કરો. દીકરી વિતૃષ્ણામતિ હું તમને અર્પણ કરું છું. તેનો આપ સ્વીકાર કરો. મેં જાણે અજાણ્યે કોઇ ભૂલ કરી હોય તો ક્ષમા માગું છું. હે કૃષ્ણ ! મને કર્ણે નિમકહરામ કહ્યો. તમે કૌરવોના પક્ષમાં રહી પાંડવો પ્રત્યે પક્ષપાત કર્યો છે પણ હે કૃષ્ણ ! હું નિમકહરામ નથી. હું હંમેશ નિમકહલાલ રહ્યો છું. મેં કોઇને ય ક્યારેય અન્યાય કર્યો નથી. મહાભારતના યુદ્ધના દસમા દિવસે ભીષ્ણ યુદ્ધ ચાલતું હતું. મેં અર્જુન અને તેના ઘોડાનેઅનેક બાણો માર્યા. તમને (કૃષ્ણને) જ્યારે પરિસ્થિતિ કથળતી લાગી ત્યારે હે કૃષ્ણ તમે રથનું પૈડું હાથમાં લીધું. મેં તમને હથિયાર હાથમાં નહીં લેવાની તમારી પ્રતિજ્ઞા યાદ કરાવી. હું કૌરવોના પક્ષે પૂરેપૂરો વફાદાર રહ્યો.

જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હતી. ભીષ્મે એક ચિત્તે ભગવાનની પ્રાર્થના કરી હેવ અર્જુનના સારથિ ! હે ભગવાન ! મારા પ્રાણ કેમ જતાં નથી?દ્રૌપદી વચ્ચે બોલ્યાં હે મારા વડા સસરાજી, જ્યારે દુ:શાસન દ્વારા મારા કેશ પકડી મને ભરસભામાં ઘસડીને લાવવામાં આવી, મારાં 999 વસ્ત્રો ખેંચાયાં ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઇ હતી ? તમે કોઇ મારી મદદે કેમ ન આવ્યા ? મારા કેશવે મને સહાય કરી. શ્રીકૃષ્ણે કહ્યું, હે પિતામહ દ્રૌપદી ભરસભામાં આવતા બોલી હતી કે જે સભામાં પિતામહ હોય, આચાર્ય દ્રેઓણ હોય, ત્યાં જવામાં બીક શાની? તમારા પર વિશ્વાસ રાખી દ્રૌપદી સભામાં આવેલી, તેનાં ચીર ખેંચાતા રહ્યા. તમે તે જોઇ રહ્યા પણ કાંઇ બોલ્યા નહીં, પાપ થતું, અન્યાય થતો નજરેથી તમે જોઇ રહ્યા. દુ:શાસનને તમે અટકાવ્યો કે રોક્યો નહીં, તેનું દુ:ખ આજે તમે મરતી વખતે  ભોગવી રહ્યા છો. ભીષ્મે પોતાની ભૂલ કબૂલ કરી. દ્રૌપદીને કહ્યું, હે દ્રૌપદી દીકરી, હું તારી ક્ષમા માગું છું. કૌરવોનું અન્ન ત્યારે મારા દાંતમાં હતું એટલે મારી બુદ્ધિ ભ્ર્ષ્ટ થયેલી, દીકરી મને માફ કર.

 અર્જુને બાણ મારી પાતાળમાંથી ગંગાજી કાઢ્યાં. પિતામહનાં મોઢામાં ગંગાજી પધરાવ્યાં. ભીષ્મનું શરીર શાંત થયું. ભગવાન ભીષ્મના શરીર પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભીષ્મનો અગ્નિસંસ્કાર કર્યો. ત્યાર પછી કૃષ્ણ યુધિષ્ઠિરપાસે ગયા. યુધિષ્ઠિરને કહ્યું, હે યુધિષ્ઠિર, હવે કાર્યભાર સંભાળી લો અને મને દ્વારકા જવાની રજા આપો.

શ્રીકૃષ્ણ દ્વારકા જવા નીકળ્યા. લોકો કૃષ્ણને વિદાય આપવા કતારમાં ઊભા હતા.ઉત્તરા પણ હાથમાં ફૂલ લઇને ઊભી હતી. ઉત્તરા વિચારતી હતી કે ભગવાનને કહું કે કો’કવાર યાદ કરજો, પણ અસામે જાઉં કે નહીં? રથમાં ચડતાં ભગવાનની નજર ઉત્તરા પર પડી. ઉત્તરાએ પ્રણામ કર્યા, શ્રીકૃષ્ણે આશીર્વાદ આપ્યા વીર પુત્ર દેનારી થા.

શ્રીકૃષ્ણ દ્વારકા આવ્યા. ઘરનાં સૌને હસ્તિનાપુરની વાતો કહી સંભળાવી.

વિદુરજીના કહેવાથી ગાંધારી ધ્ર્તરાષ્ટ્રને દોરી હરિદ્વારમાં શેષ જીવન ગાળવા આવ્યા. વિદુરજીએ કહ્યું હે ગાંધારી ! ધ્ર્તરાષ્ટ્ર ! તમે બન્ને હવે અહીં રહી કંદમૂળ-ફળનો આહાર કરો, અગ્નિહોમ કરી, સંયમથી, શાંત મનથી રહો અને શેષ જીવન પૂરૂં કરો. વિદુરજી પછી તીર્થયાત્રાએ ચાલ્યા ગયા. હસ્તિનાપુરમાં ઉત્તરાએ રાજકુમારને જન્મ આપ્યો. બ્રાહ્મણો પાસે જાતકર્મ કરાવ્યાં. દીકરાનું નામ પરીક્ષિત પાડ્યું. બ્રાહ્મણોને પૂછ્યું, રાજકુમાર કેવો થશે? રાજકુમારની કકુંડળી જોઇ બ્રાહ્મણોએ કહ્યું, રાજકુમાર પરીક્ષિત દાન પુણ્ય કરનારો થશે. લગ્ન થશે. પુત્રો થશે. ઇશ્વર સ્મરણ કરતાં જીવન પૂરું કરશે.

મોટાભાઇ યુધિષ્ઠિરની રજા લઇ અર્જુન કૃષ્ણ્અને મળવા દ્વારકા આવ્યા. દ્વારકામાં અર્જુને ઘણી ધાંધલધમાલ જોઇ. અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યું, આ ધમાલ શાની છે ? કૃષ્ણે કહ્યું, હે અર્જુન ! મારા કુળને બ્રાહ્મણોનો શાપ છે. અમે બધાં પ્રભાસપાટણ સપરિવાર જવાના છીએ. હે કૃષ્ણ ! તમે સ્વધામ જવાના હો તો તમારાં છેલ્લાં દર્શન કરવા માટે હું તમારી સાથે આવું. હે અર્જુન ! તું એક વાત સાંભળ. કોઇ પણ સંજોગોમાં તું મને પાણી પાતો નહીં.

યાદવોને લઇ શ્રીકૃષ્ણ પ્રભાસપાટણ આવ્યા. પ્રભાસપાટણ જતાં યાદવો અંદર-અંદર લડી પડ્યા. આખા યાદવ કુળનો સંહાર થયો. સ્વધામ જતાં પહેલાં ભગવાન કૃષ્ણે યદુવંશનો સંહાર જોયો. પીપળાના ઝાડ નીચે વિસામો લેવા બેઠા. પારધીએ મૃગ સમજી બાણ માર્યું. શ્રીકૃષ્ણના પગને વીંધી શ્રીકૃષ્ણની છાતીમાં સોંસરવું ઊતરી ગયું. ભગવાનના પગમાંથી અને શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. અર્જુન પાણી આપવા ગયા, પણ શ્રીકૃષ્ણે પાણી પીવાની ના પાડી. ભગવાનની લોહી નીગળતી હાલત જોઇ અર્જુન બેભાન બની ગયો. શ્રીકૃષ્ણે સારથિને કહ્યું, અર્જુનને રથમાં બેસાડી હસ્તિનાપુર મૂકી આવ. ભગવાન સ્વધામ જવાના હતા. ચારેબાજુ વિનાશ, ધરતીકંપ થવા લાગ્યો.

પંદર દિવસ થઇ ગયા છતાં અર્જુન પાછો આવ્યો નહીં. યુધિષ્ઠિરને ચિંતા થવા લાગી. મોટાભાઇ યુધિષ્ઠિરે ભીમને કહ્યું. અર્જુનને દ્વારકા જઇ બોલવી લાવો. મારું શરીર ધ્રૂજે છે.આંખ ફરકે છે. ભીમ દોડતાં દોડતાં અર્જુનને શોધવા જાય છે ત્યારે સામે અર્જુન મળે છે. તેની જાતનાં ઠેકાણાં નથી. આવી હાલતમાં જોઇ ભીમે અર્જુનને પાણી પાયું અને પૂછ્યું, હે અર્જુન! તને શું થયું? આમ ચકળવકળ કે? ભાઇ ! ભાઇ ! ભગવાન સ્વધામ પધાર્યા.અર્જુનને ભીમે બધા ભાઇઓ પાસે હાજર કર્યા. અર્જુન કહે, મોટાભાઇ મારે અહીં રહેવું નથી, હું કૃષ્ણ વિના નહીં રહી શકું.

યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું,ધીરજ રાખ, સમજણ રાખ, આપણા પૌત્ર પરીક્ષિતને ગાદીએ બેસાડી આપણે બધા હિમાલય ગાળવા જઇશું. જલદી આપણે પણ સ્વધામ જઇશું.

અર્જુને ક્ર્ષ્ણને યાદ કરી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, કૃષ્ણ સાથેના ભૂતકાળના ગાળેલા દિવસો અને પ્રસંગો અર્જુન યાદ કરવા લાગ્યો.

     

‘રઢિયાળી રાત’ /સં:ઝવેરચંદ મેઘાણી માંથી વીણેલું

Leave a comment

‘રઢિયાળી રાત’ /સં:ઝવેરચંદ મેઘાણી માંથી વીણેલું

 

મોરબીની વાણિયણ—(‘રઢિયાળી રાત’-સંપાદક-ઝવેરચંદ મેઘાણી)પાનું ક્રમાંક 266, બ્રૂહદ આવ્રૂત્તિ 1997

[એવોયે વખત હશે, જ્યારે વાણિયા જેવી પોચી જાત અને તેમાંયે એક અબળા, પોતાના ઉપર કુદ્રષ્ટિ કરનાર રાજાને પણ કાળજે કારી ઘા પડે તેવો માર્મિક જવાબ આપીને ભોંઠો પાડતી. જીવાજી ઠાકોરે રોજ રોજ લાલચો દીધી. વાણિયાણીએ ખામોશ પકડી. પણ આખરે તો એણે રાજાની રાણીઓની, રાજ્યની અને મસ્તકની જ હરરાજી બોલાવી,ત્યારે ઠાકોર ઘોડાં પાવા જવાનું ભૂલી ગયા.]

કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,
મોરબીની વાણિયણ મછુ પાણી જાય;
આગળ રે જીવોજી ઠાકોર,
વાંહે રે મોરબીનો રાજા,
ઘોડાં પાવાં જાય.

કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા બેડ્લામાં તારા હાથીડા બે ડૂલ.—મોરબી0
કર્ય રે, વાણિયાણી, તારી ઇંઢોણીનાં મૂલ;
જાવા દ્યો,જીવાજી ઠાકોર,
જાવા દ્યો,મોરબીના રાજા
નથી કરવાં મૂલ;
મારી ઇંઢોણીમાં તારાં ઘોડલાં બે ડૂલ.—મોરબી0
કર્ય રે, વાણિયાણી, તારા વાટકાનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા રે વાટકામાં તારું રાજ થાશે ડૂલ.—મોરબી0
કર્ય રે, વાણિયાણી, તારી પાનિયુંનાં મૂલ;
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારી પાનિયુંમાં તારી રાણિયું બે ડૂલ.—મોરબી0
કર્ય રે , વાણિયાણી , તારા અંબોડાનાં મૂલ,
જાવા દ્યો, જીવાજી ઠાકોર,
જાવા દ્યો, મોરબીના રાજા,
નથી કરવાં મૂલ;
મારા અંબોડામાં તારું માથું થાશે ડૂલ.—મોરબી0 

=========================================

વઢિયારી સાસુ—(રઢિયાળી રાતસંપાદકઝવેરચંદ મેઘાણી)
પાનું ક્રમાંક 57 બ્રૂહદ્આવ્રૂતિ 1997

દાદા હો દીકરી(2) વાગડમાં નવ દેજો રે સઇ,
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે.
દિએ દળાવે મને રાતડીએ કંતાવે રે સઇ
પાછલે ને પરોડિયે પાણીડાં મોકલે રે સઇ
ઓશીકે ઇંઢોણી, વહુ, પાંગતિયે સીંચણિયું રે સઇ
સામે તે ઓરડે વહુ, તમારું બેડલું રે સઇ
ઘડો ન બૂડે, મારું સીંચણિયું નવ પોગે રે સઇ
ઊગીને આથમિયો કૂવાકાંઠડે રે સઇ
ઊડતા પંખીડા! મારો સંદેશો લઇ જાજો રે સઇ
દાદાને કેજે કે દીકરી કૂવે પડે રે સઇ
દાદાને કેજે, મારી માડીને નવ કેજે રે સઇ
માતાછે માયાળુ, આંસુ સારશે રે સઇ

કૂવે નો પડજો , ધીડી ! અફીણીયાં નવ ખાજો રે સઇ
અંજવાળી આઠમનાં આણાં આવશે રે સઇ
કાકાના કાબરિયા મામાના મૂંઝડિયા રે સઇ
વીરાના વાગડિયા વઢિયારે ઊતર્યા રે સઇ
કાકે સીંચ્યું ને મારા મામાએ ચડાવ્યું રે સઇ
વીરે ને ફોડાવ્યું વઢિયારને આંગણે રે સઇ

==========================================================================================

 

ઓળખ્યો–”રઢિયાળી રાત “માંથી

ઓળખ્યો (રઢિયાળી રાત સંપાદક: ઝવેરચંદ મેઘાણી)
બ્રૂહદ આવ્રૂતિ1997, પાનું 91 તથા92

[બાર-બાર વરસ થયાં સાસરે વળાવેલી અને વચમાં એકેય વાર ઘેર ન આવેલી બહેનને એનો ભાઇ તેડવા જાયછે. નાનપણનાં સ્મરણો ભૂલેલી એ બહેન ભાઇને કેમ કરીને ઓળખી લે છે?પોતાની માતાની આંખો જેવી એની આંખો દેખીને, અને પિતાના અવાજ જેવો એનો અવાજ સાંભળીને.(માતાના જેવી આંખોવાળો ને પિતાના જેવા સ્વરવાળો પુરુષ પંકાય છે.)ભાઇઅને પોતાનાં દુઃખો સંભળાવતી બહેન ભાઇના નિમંત્રણને નકારે છે.એ સમજે છે કે ભાઇઓ તો ભાભીને વશ હોય.બધું દુઃખ ઠલવીને બહેન ડૂબી મરે છે.]

વેલ્યું છૂટિયું રે, વીરા, વાડીના વડ હેઠ
ધોળીડા બાંધ્યા રે વડને વાંકીએ.

ચાર પાંચ સૈયરું રે, વીરા, પાણીડાની હાર્ય,
વચલી પાણિયારે વીરને ઓળખ્યો.
ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંની અણસાર
બાપની બોલાશે વીરને ઓળખ્યો.
વીરા ચાલો રે દખણી બેની ને ઘેર,
ઉતારા દેશું ઊંચા ઓરડા.
વેલ્યું છોડજો રે, વીરા! લીલા લીંબડ હેઠ,
ધોળીડા બાંધજો રે વચલે ઓરડે.
નીરીશ નીરીશ રે, વીરા,લીલી નાગરવેલ્ય,
ઉપર નીરીશ રાતી શેરડી.
રાંધીશ રાંધીશ રે,વીરાકમોદુંનાં કૂર,
પાશેર રાંધીશ કાજુ ખીચડી
પાપડ શેકીશ રે, વીરા, પૂનમ કેરો ચંદ,
ઉપર આદુ ને ગરમર આથણાં.
જમશે જમશે રે મારો માડી જાયો વીર,
ભેળી બેસશે રે એક જ બેનડી.
ઊંચી મેડી રે, વીરા, ઊગમણે દરબાર,
તિયાં રે ઢળાવું તારા ઢોલિયા.
પોઢશે પોઢશે રે મારો માડી જાયો વીર,
પાસે બેસશે રે એક જ બેનડી.
કરજે કરજે રે, બેની, સખદખની વાત,
ઘેરે જાશું તો માતા પૂછશે.
ખાવી ખાવી રે, વીરા, ખોરુડી જાર,
સૂવું રે માડીના જાયા સાથરે.
બાર બાર વરસે રે , વીરા, માથડિયા ઓળ્યાં,
તેર તેર વરસે રે તેલ નાખિયાં.
મેલો મેલો રે, બેની, તમારલાં દેશ,
મેલોરે, બેની, તમારાં સાસરાં.
વીરા વીરા રે, બેની, માસ છ માસ,
આખર જાવું રે બેનને સાસરે.
ભરવાં ભરવાં રે, વીરા,
ભાદરુંનાં પાણી,
ભાદરની રેલે બેની તણાઇ ગયાં.

આ ને કાંઠે રે, વીરો રહ રહ રુએ,
ઓલ્યે કાંઠે રુએ એની માવડી.

ઉપર ગગન—અવિનાશ વ્યાસ

Leave a comment

ઉપર ગગનઅવિનાશ વ્યાસ

ઉપર ગગન ને નીચે ધરતી,
ઢળ્યા ઢળે પણ મળ્યા મળે નહિ,
આંખ્યું નીતરતી……ઉપર ગગન0


ક્ષિતિજ કોરે, સંધ્યા રંગે
અડીને ઉભા અંગે અંગે,
ક્યારે મળશો, મનના માન્યા,
ધરતી કરગરે….ઉપર ગગન0


વર્ષાના વારિમાં વિરહની વાતડિયું વરસી,
સર્જન જુની પ્રીત પુરાણી, સદાયે રહો તરસી
વિરાટ કેરો ઓઢી અંચળો,
તારલિયાની ભાતે,
ચંદ્ર મઢેલો પાઘ પહેરીને
ગગનરાજ નિસર્યા રાતે,
હૈયું ઉછળે ધરતી કેરું,
સાગરની ભરતી….ઉપર ગગન0

 

 

 

શ્રીમદ્ ભાગવત “સ્કંધ: પહેલો//શ્રીમદ્ ભાગવત સંક્ષેપ” (સંક્ષેપકર્તા:હસુમતી મહેતા, બી.એ., એમ.એડ.)

Leave a comment

BHAG.SNXP.14

શ્રીમદ્ ભાગવત સ્કંધ: પહેલો

શૌનકાદિ ઋષિ એક હજાર વર્ષ ચાલે તેવો યજ્ઞ નૈમિષારણ્યમાં કરી રહ્યા હતા. બ્રાહ્મણ અને ક્ષત્રિયથી ઉત્પન્ન થયેલા સૂતપુરાણી પણ ત્યાં આવ્યા હતા. સૂતપુરાણીએ ચાર વેદ લખ્યા હતા. શૌનકાદિ ઋષિઓએ  `સૂતપુરાણીને પ્રશ્નો કર્યા કે અમને બધા શાસ્ત્રોનો સાર કહો. અમને શ્રીકૃષ્ણ અર્થાત્ ઇશ્વર વિશે કંઇક કહો. તેમના અવતારની કથાઓ, પરાક્રમો, લીલાઓ પણ કહો, શૌનકાદિ મુનિએ સૂતને છ પ્રશ્ન પૂછ્યા.(1)માનવનું કલ્યાણ શેમાં છે?(2) કલ્યાણનું સરળ સાધન શું? (3) ભગવાન શા માટે વસુદેવને ત્યાં પ્રગટ્યા? (4) ભગવાનની ચરિત્ર લીલાઓ કંઇ? (5) ભગવાનના અવતારો કેટલાં? (6) શ્રીકૃષ્ણ સ્વધામ પધાર્યા પછી ધર્મ કોને શરણે ગયો?

સૂતપુરાણીએ ઉત્તર આપ્યા: મનુષ્યને માટે સર્વશ્રેષ્ઠધર્મ એ જ છે કે જેના વડે શ્રીકૃષ્ણ અર્થાત્ ભગવાનમાં નિષ્કામ ભક્તિ થાય.શ્રીહરિને સંતોષવા એ જ ધર્મનું ફળ છે. ભગવાનનું એકાગ્ર મનથી નિત્યશ્રવણ, કીર્તન, ધ્યાન, પૂજન કરવું, ભગવાનની કથા(ભાગવતકથા) સાંભળવી અને કહેવી, જેના પરિણામે મનુષ્યના હ્રદયમાં શ્રીકૃષ્ણનો વાસ થાય. ભક્તિયોગથી શાંત થયેલા મનવાળા  અને સંસારસંગથી મુક્ત થયેલા મનુષ્યને ભગવાનના તત્ત્વોનો આપોઆપ અનુભવ થઇ, ઇશ્વર સાક્ષાત્કાર થતાં મનુષ્યની અહંકાર અને અજ્ઞાનરૂપી ગાંઠો તૂટી જાય છે. સર્વ સંશયો નાશ પામે છેઅને સર્વ કર્મનો ક્ષય થાય છે. પરમાત્મા એક છે પરંતુ ભિન્ન પ્રાણીઓમાં જીવ સ્વરૂપે હોઇ અનેક જેવા લાગે છે. જગતના સૃષ્ટા ભગવાન મનુષ્યોમાં લીલાવતાર ધારણ કરી સત્ત્વગુણથી મનુષ્યોનું કલ્યાણ કરે છે.

ભગવાનના ચોવીસ અવતારો ગણાવ્યા છે. (1) નિરંજન નિરાકાર (2) વરાહ (સનતકુમાર (4) નારદ (5) નરનારાયણ(6) કપિલ (7) દત્તાત્રેય (8) યજ્ઞ (9) ઋષભદેવ (10) પૃથુ (11) મત્સ્ય (12) કૂર્મ (13) ધનવન્તરિ (14) શ્રીહરિ (15) મોહિની (16) નૃસિંહ (17) વામન (18) પરશુરામ (19) વ્યાસ (20) રામ (21) બળદેવ (22) કૃષ્ણ (23) બુદ્ધ (24) કલ્કિ.

ભગવાનને અવારનવાર પૃથ્વી પર અવતાર ધારણ કરી મનુષ્યોનું રક્ષણ કર્યું છે. ભગવાનના અવતારોની જુદી જુદી કથા ભાગવતમાં કહેવામાં આવી છે.

વ્યાસજીની કથા:

વ્યાસમુનિ એકસોને અગ્ઇયાર વર્ષના થયા હતા. તેમની પત્ની અરણી સાથે સરસ્વતી નદીને કિનારે જીવન ગાળતા હતા.હમણાં હમણાં વ્યાસજીનું મન –દિલ અશાંત રહેતું હતું. વ્યાસજી જમતા નથી. અરણીએ કારણ પૂછ્યું,  આપણે દેવ જેવો દીકરો છે, આપે મહાભારત જેવો મહાન ગ્રંથ લખી નામના મેળવી છે, છતાં તમારા મનને અશાંતિ શા માટે?  વ્યાસજી પ્રશ્નનો જવાબ આપતા નથી. આમને આમ ચાર દિવસ ગયા, પાંચમે દિવસે અરણીએ ફળ કાપી વ્યાસ પાસે મૂક્યાં, પણ વ્યાસે ખાધાં નહીં. વ્યાસજીનું મન મૂંઝાય છે. આ મૂંઝવણ કોને કહેવી? એટલામાં ‘શ્રીમન્ નારાયણ નારાયણ’ કરતાં નારદજી ત્યાં આવી પહોંચ્યા. નારદજેએને વંદન કરી અરણીએ નારદજીને પૂછ્યું કે , વ્યાસજીનું મન અશાંત કેમ રહે છે?

વ્યાસજી કહે છે કે મહાભારત જેવો ગ્રંથ લખવા છતાં મારો આત્મા સંતોષ પામતો નથી.

નારદજી વ્યાસજીનો પ્રશ્ન સાંભળી પોતાનો ભૂતકાળ યાદ કરવા લાગ્યા, હે વ્યાસમુનિ તમે મારી કથા સાંભળો.

નારદની કથા:

હું દાસીનો દીકરો હતો. માતાના પેટમાં પાંચ માસનો હતો ત્યારે પિતાનું મૃત્યુ થયું. ઉપર આભ અને નીચે ધરતી એવી અમારી સ્થિતિ થઇ હતી. મારી મા પારકા કામ કરતી. માટીના પાત્રમાં લાવેલું અન્ન મને બપોરે ખવડાવતી. મારી માની ઇચ્છા હતી કે હું મોટો માણસ થાઉં, મહાન બનું. અમે મા દીકરો ભાંગીતૂટી ઝૂંપડીમાં રહેતા હતા. વાત કરતાં નારદજીનું હૈયું ભરાઇ ગયું.

એક દિવસ બપોરે મા કામ કરી માટીના વાસણમાં અન્ન લઇ આવતી હતી, ત્યારે મારી માતાએ મને પાડોશીના દીકરાને અપશબ્દ કહેતાં સાંભળ્યો. હાથમાંનું માટીનું પાત્ર પડી ગયું. મારાં પર ખૂબ ગુસ્સે થઇ. ઝૂંપડીનો દરવાજો ખોલી મને કહેવા લાગી, નારદ ચાલ્યો જા. માને ખૂબ દુ:ખ થયું. અમે મા દીકરો બન્ને ગામ છોડી ચાલી નીકળ્યા. બપોર થયો. માને મેં કહ્યું, મા, મારાં પગ બળે છે. મારી માતાએ મને તેડી લીધો. ચાલતાં ચાલતાં મા થાકી ગઇ. રસ્તામાં આંબાના સુંદર ઝાડ આવ્યાં. માએ મને નીચે ઉતાર્યો. મેં ઝાડ પર સુંદર મજાની કેરી જોઇ. મેં મા પાસે કેરી માંગી. માએ મને કહ્યું, દીકરા, કોઇનું આપણાથી ન લેવાય. તે ચોરી કહેવાય. મેં માને કહ્યું. મા, મને ખૂબ ભૂખ લાગી છે. મને ખાવાનું આપ. મેં હઠ પકડી. મારી મા ઝાડ નીચે આંખ બંધ કરી બેઠી અને વિચારવા લાગી, કોને કહુ મારો દીકરો ભૂખ્યો છે. અચાનક આંબા પરથી એક કેરી પડી. આખી કેરી હું ખાઇ ગયો. મા માટે ન રાખી. મા તું પણ ભૂખી છે તનેય ભૂખ લાગી હહે, પણ હું ભૂખ્યો આખી કેરી ખાઇ ગયો. તારા માટે ન રાખી. ત્યાં થોડો આરામ કરી ફરી અમે ચાલવા લાગ્યાં. સાંજે સાત વાગ્યે જ્યાં ઋષિમુનિઓનો ચાતુર્માસ ચાલતો હતો તેથી અન્નક્ષેત્ર ચાલતું હતું, ત્યાં અમે પહોંચ્યા. ફાટેલાં કપડાંવાળી મારી માતા મુનિઓ પાસે ગઇ, કરગરતી હાથ જોડી કહેવા લાગી, હું જમવા નથી આવી. અહીંના મોટા મહંતને મારે મળવું છે. આ દીકરાને ચાતુર્માસમાં તમારા આશ્રમમાં મૂકવા આવી છું, જેથી તમારા સંસ્કાર મારા દીકરામાં આવે. મારી માએ વિનંતી કરી કે મારા દીકરાને આશ્રમમાં રાખવા બદલ હું તમારા બધા માટે રાંધીશ. મહંતે પૂછ્યું,  હે દાસી ! તું ક્યાં જમીશ ?   મહારાજ મારી વ્યવસ્થા હું કરી લઇશ.મહંત મારી માને જોઇ જ રહ્યા, આ ગરીબ માતા એક ટંકના ભોજનની પણ આશા રાખ્યા વિના દીકરાને સંસ્કાર આપવા વિનંતી કરે છે ! મહંતે મારી માને કહ્યું, હે દાસી ! એક ટંક તું અહીં જમજે. મારી માએ મને મહાત્માની સોબતમાં મૂક્યો.

મારી મા આશ્રમને રસોડે રસોઇ કરે. વહેલી ઊઠી મને ગંગામાં સ્નાન કરાવે. કડકડતી ઠંડીમાં પણ પાણીમાં મને ઊભો રાખી એક મંત્ર શિખવાડ્યો-ૐ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ અમે મા-દીકરો કરતાં. કપડાં બદલી સરસ્વતી નદીના કિનારે બેસી ઠાકોરજીનું ધ્યાન ધરવાનું પણ મારી માતાએ શિખવાડ્યું .

મારી મા મધ્યાહ્ન થતાં તપસ્વીઓને પોતે તૈયાર કરેલી સામગ્રી પીરસે ત્યારે હું માને તેના કામમાં મદદ કરતો. અમે બન્ને બધાને જમાડીને પછી જમતાં. એક દિવસ તપસ્વી જમી રહ્યા પછી અન્નનો થોડો જ ભાગ બચેલો હતો. મારી માએ તે મને મારી પાતળમાં પીરસી દીધો. મેં જમી લીધું. પાત્રમાં જોયું તો કાંઇ બચ્યું ન હતું. માને મેં કહ્યું, મા તું ભૂખી છે, તારે માટે કાંઇ બચ્યું નહીં? માએ મારે ખાતર ઉપવાસ કર્યો. બીજે દિવસે બધાએ જમી લીધા પછી જે અન્ન બચ્યું હતું તેની રાબ બનાવી અમે મા દીકરાએ અર્ધી અર્ધી પીધી. હું ભૂખ્યો હોઉં તો હું મારી માને કહું, મા મને ભૂખ લાગી છે. મને ખાવાનું આપ, પણ મારી બિચારી ગરીબ મા ભૂખી હોય તો કોને કહે કે હું ભૂખી છું?

આશ્રમમાં તપસ્વીઓ સાથે રહી હું ભગવાનમાં મન પરોવું. ઇશ્વર આરાધના કરૂં, જપ કરૂં. જપ કરવાથી મારી બુદ્ધિ સતેજ થઇ. ચાતુર્માસ પૂરો થયો.ઋષિઓ આશ્રમ છોડી તપ કરવા જવાના હતા. મેં ઋષિઓને કહ્યું, મારે તમારી સાથે તપ કરવા આવવું છે. ઋષિએ કહ્યુંકે, તું તારી માતાને છોડી કઇ રીતે આવીશ? તારી માતા તારા વિના તરફડીને મરી જશે.ચાતુર્માસ પૂરો થતાં મેં માને વિનંતી કરી કહ્યું. મા, આપણે સાથે રહેવાથી મારા જપ અને ધ્યાનના માર્ગમાં અવરોધ થાય છે.મા તું મને ઋષિઓ સાથે તપ કરવા જવાની રજા આપ, પણ મારી માએ મને રજા ન આપી, ઋષિઓ આશ્રમ છોડી ચાલી નીકળ્યા. ત્યાંથી અમે મા-દીકરો ચાલી નીકળ્યાં. ચાલતાં ચાલતાં એક બ્રાહ્મણને ત્યાં આવ્યા. બ્રાહ્મણને પોતાની ગૌશાળામાં રખેવાળની જરૂર હતી. ગૌશાળામાં ગાયો ઘણી હતી, તે બધીને નવડાવી, દોહી, ધણમાં મોકલવી, સાંજે પાછી નવડાવવી. આ કામ બ્રાહ્મણે મારી માતાને આપ્યું. મારી માતાને તેના કામના બદલામાં એક ગ્લાસ દૂધ રોજ આપવું એમ નક્કી કર્યું. મારી માતાએ બ્રાહ્મણને કહ્યું મને નહીં આ મારા દીકરાને દૂધ આપજો. બીજો ચાતુર્માસ આવ્યો. હું મારી માને તેના કામમાં મદદ કરતો. રથયાત્રાનો દિવસ હતો. બારે મેઘ વરસવા લાગ્યા. ચારે બાજુ પૂર આવ્યાં. ધરતીમાંથી ભયંકર અજગરો બહાર નીકળવા લાગ્યા. અમારા ઘરના ઊંબરાના પોલાણમાં એક અજગર સમાઇ ગયો. અષાઢી એકાદશીને દિવસે હું અને મારી માતા બ્રાહ્મણને ઘેર આવ્યા. બ્રાહ્મણ પાસે અઢળક સંપત્તિ હતી. બધી ગાયોને શણગારેલી. બ્રાહ્મણે મારી માતાને કહ્યું, જલદી ગાયને દોહી દૂધ લઇ આવો. આજે ઉપવાસ છે. મંદિરમાં આરતી થાય છે.મારી માતા ઉતાવળી ઉતાવળી ગૌશાળા તરફ જતી હતી. ત્યાં જ તેનો પગ અજગર પર પડ્યો. તેના જમણા પગનાં અંગૂઠા પર અજગરે દંશ દીધો. તરત જ મારી માતાએ   નારદ નારદ કરતાં મારા ખોળામાં માથું ઢાળી દીધું. મેં મારી માના મુખમાં ગંગાજળ મૂક્યું. મા મને છોડીને ચાલી ગઇ. મેં મારી માતાની માફી માગી. મા આમ અચાનક છોડી ગઇ તેથી ખૂબ દુ:ખ થયું.

આમ હું અચાનક માતાથી છૂટો થયો. મારા ગુરૂએ અમે કહેલું કે અશ્વત્થ એટલે પીપળાના ઝાડ નીચે બેસી ઇશ્વરનું આરાધન કરવું. અશ્વત્થ ઇશ્વરનું સ્વરૂપ છે. પીપળાના ઝાડ નીચે હું બેઠો. કલાકોના કલાકો હું ઇશ્વરનું ધ્યાન ધરતો. ઇશ્વરના પ્રત્યક્ષ દર્શનની ઝંખના કરવા લાગ્યો. મારી ઇશ્વરને મળવાની, જોવાની તીવ્ર ઇચ્છા હતી પણ ઇશ્વર ન મળ્યા. તે પછી મેં એક જ વાર દિવસમાં જળ પીને ઇશ્વર આરાધન કરવા માંડ્યું. ત્યારે આકાશવાણી થઇ, હે નારદ તને આવતાં જન્મમાં ઇશ્વર મળશે. મારો કાળ આવી પહોંચતાં હું પરમાત્મામાં લીન થયો. બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યુંત્યારે હું અને મરીચ્યાદિ ઋષિઓ ઉત્પન્ન થયા. ત્યારથી હું હરિગુણ ગાઉં છું અને વીણા વગાડું છું. ભગવાન મને મારા ચિત્તમાં દર્શન આપે છે !

પૂર્વજન્મનાં જપ-તપથી મન શાંત હતું. ફરી એ જ પીપળાના ઝાડ નીચે ઇશ્વરાઅરાધના કરતો બેઠો હતો, ત્યારે મારે કાને અવાજ અથડાયો.

રાધે, રાધે, રાધે. મેં આંખ ખોલી તો રાધાજીનાં દર્શન થયાં. રાધાજીના ચરણમાં નમસ્કાર કર્યા.કરોડો સૂર્યના તેજ સમા રાધાજી મારો  હાથ ઝાલી મને કૃષ્ણ પાસે લઇ ગયા.રાધાજીએ કૃષ્ણને કહ્યું, હે ભગવાન, આ નારદજીને એક તંબૂરો આપો. ભગવાને કહ્યું, શા માટે ?  હે ભગવાન, આ નારદજી તંબૂરો વગાડતાં વગાડતાં તમારું ભજન કરશે, અને તેમનામાં સંસારમાં તણાતા જીવોને મદદ કરવાની શક્તિ છે. તેથી અનેક સંસારી જીવોને ભક્તિનો માર્ગ બતાવશે. ભગવાને મને એક તંબૂરો આપ્યો. આમ મને ઇશ્વરનાં દર્શન થયાં.

હે વ્યાસમુનિ ! તમે ભગવાનની ભક્તિ માણસે કેમ કરવી તેમજ ભગવાન વાસુદેવનો મહિમા, ભગવાનની લીલાઓ  તથા ભગવાનના યશનું વર્ણન કરો કે જેથી વિદ્વાનોની સર્વ જિજ્ઞાસા પૂર્ણ થાય અને સાંસારિક દુ:ખોથી પીડાતાં મનુષ્યોને શાંતિ મળે. જેથી તમારા પોતાના મનને પણ શાંતિ મળે. હે વ્યાસમુનિ ! મેં તમને મારી કથા કહી. આપ હવે મને ભિક્ષા આપો. આપણે સાથે જમીએ. વ્યાસજીએ નારદજીને ભિક્ષા આપી. ઇશ્વરની આરાધના કરતાં કરતાં નારદ દાસેવેના દીકરામાંથી દેવર્ષિ થયા. રંકમાંથી રાય થયા,. માટીમાંથી સોનું થયા. નારદજી ત્યાંથી ચાલી નીકળ્યા.

 

માર્કંડ ઋષિનું ભજન//સતકેરી વાણી//મકરંદ દવે

Leave a comment

સત કેરી વાણી—સંપાદક 0 મકરંદ દવે 00પ્રકાશક:નવભારત સાહિત્ય મંદિર
પાનું ક્રમાંક 9 આવ્રૂત્તિ 1997

મહામાર્ગમાં અજવાળી બીજનું ઘણું મહત્વ છે. આપણે જોયું કે દર મહિને અંધકારમાંથી બહાર નીકળતી બીજ નવજીવનના પ્રતીક સમી છે. મ્રૂત્યુમાંથી અમ્રૂતમાં લઇ જતા આ બીજધર્મને સમજાવતું માર્કંડ ઋષિનું ભજન છે:
યુધિષ્ઠિર પૂછે છે રે રાયજી, તમે સાંભળો ઋષિરાય,
સાંભળોને મોટાદેવ, નિજિયા ધરમ અમને દીજિયેં હાં.
એક અંગના કરો નવ નવ ટુકડા રે હાં,
શીશ ઉતારીને ધરણીયે ધરો;
કહે ઋષિ મારકુંડ તમે સાંભળો, રાજા ધરમ,
નિજિયા ધરમને તો તમે વરો.’
યુધિષ્ઠિર આ ધર્મબોધ માટે દેહના નવ નવ ટુકડા કરવા તૈયાર થાય છે. ત્યારે ઋષિ કહે છે કે:
તેની વાતું તો માતા કુંતાજી જાણે રે,
એમાં મિથ્યા જરાયે નથી,
ધરમ ધૂનો ને નિજાર પંથ તો તે
સંપૂરણ જાણે છે સતી દ્રૌપદી હાં…..’
ત્યાંથી યુધિષ્ઠિર માતા પસે આવી પૂછે છે:
ધરમરાય કહે છે રે તમે સાંભળો માતાજી રે હાં,
નિજિયા ધરમ અમુંને દીજિયેં,
જનમ મરણ અમુંને ભવ ભારે તે
મટે તે વિદિયા અમુંને દીજિયેં હાં….’
પણ વળી કુંતામાતા એને નિજિયા ધરમનું રહસ્ય જાણવા માટેદ્રૌપદી પાસે મોકલે છે. યુધિષ્ઠિર દ્રૌપદીની સન્મુખ હાથ જોડી ઊભા રહે છે. દ્રૌપદી પૂછે છે:
દ્રૌપદી કહે છે ચાકર ઠાકરનો નાતો અમારે હાં
સીયો અવગુણ અમારો આવીયો?
પણ રાજા મુખરવિંદથી ન ઓચર્યા tતે હાથ જોડી ઊભા રિયા હાં……’
રાજા કહે ચાકર ઠાકરનો નંઇ નાતો અમારે હાં
ને સ્ત્રી પુરૂષ એવું શું હશે?
માતા કુંતા ને મારકુંડને વચને હું તો આવીયો
તો નિજિયા ધરમ અમુંને દીજિયેં.
સતી કહે છે નવ તો અંગની નવધા ભગતિ
તેની સેવા જુજવી જુજવી,
શીશને સાટે શ્રીફળ ગુરુને ચરણે મેલો
તો નિજિયા ધરમને તમે વરો હાં…..’
તન મન ધન લઇને ગુરુને સોંપો હાં
ધણીપણું રે મેલી દીયો હાંસલ ને ખોટને ગુરુને સોંપો તો
નિજાર પિયાલો રાજા તમે પીયો.
જોડે—સજોડે પછે રાજાજી ચાલ્યા રે હાં
મારકુંડજીને મંદિરે આવીયા,
સહસ્ત્ર અઠાસી ઋષિ ને તેત્રીસ કરોડ દેવ મળીને
યુધિષ્ઠિરનાં કાંકણ ત્યાં ભરિયાં હાં….’
અજર પિયાલો રાજા, નિજાર કેરો રે હાં,
તે તો અમીરસ તમે જીરવો,
કહે ઋષિ મારકુંડ સુણો રાજા ધરમ,
અમરફળ તમે તરત વરો હાં….’
******************
યુધિષ્ઠિરને આ ધર્મનો પ્રબોધ આપતાં એક બીજા ભજનમાં દ્રૌપદી કહેછે:
દ્રૌપદીકે’ છે રે તમે સાંભળોને ધરમરાય ! સાંભળો જુધિષ્ઠિરરાય !
બીજ ધરમ મહા કઠિન છે હાં…
એવો સતીયુંનો ધરમ સોહામણો હાં રે હાં.
******************************
કમોદની રે’વે જળની માંય
પુહપ જળમાં ડૂબે નહીં એમ જતિ રે’વે સતીયુંની સાથ
વિષયની વાસના વ્યાપે નહીં –હાં રે હાં.
નહીં ત્યાં કામી કુટિલનાં કામ
જતિ રે પુરુષ અજરા જીરવે હાં—દ્રૌપદી ‘0

 

ભાખરા બંધ પર અંકિત સમર્પણ લેખ

Leave a comment

ભાખરા બંધ પર અંકિત સમર્પણ લેખ

 


એ અજ્ઞાત મજૂરોને,
જેમણે મૌન અને અપ્રસિધ્ધ રહીને,
યશકે નામનાની ખેવના વિના
શ્રમ કર્યો
અને
જેમણે પોતાના જીવ નિચોવ્યા,
રાષ્ટ્રનું કામ કરવા,
જેથી
આવનારી પ્રજા
એમનાથી વધુ સુખે જીવી શકે

નંદરાણી—કવિ દુલા ભાયા કાગ સૈયર મેંદી લેશું રે ! (“રઢિયાળી રાત” સંપાદક: ઝવેરચંદ મેઘાણી )

1 Comment

નંદરાણીકવિ દુલા ભાયા કાગ

મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં ક્યાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું. એ વિચારો આવવાથી આ ક્રૂષ્ણાવતારનાં ગીતો લખવા શરૂ થયાં,એમાં માતા યશોદાનું આંગણું એ ભાવ બધાં ભજનોના આત્મા સમાન છે.ભગવાન ક્રૂષ્ણ સવારમાં તોફાન કરેછે.છાશ ફેરવવાનો સમય થઇ ગયો છે.ગાયોની ધકબક લાગી રહી છે.વાછડાં કૂદી કૂદીને એમની માતાઓને ધાવવા લાગ્યાં છે. એવે સમયે દેવનારીઓ જુદાં જુદાં રૂપ લઇ છાશ માગવા નંદરાણીને આંગણે આવેલ છે. જેને ત્યાં છાશ લેવા જાય તેના ઘરનું થોડુંક કામ માગનારી બાઇઓ કરી આપે. આ બાઇઓના ટોળામાં લક્ષ્મીજી પણ આવેલ છે. તે નંદરાણીની હેલ લઇને પાણી ભરવા લાગ્યાં છે. ઇંદ્રાણી છૂપે વેશે માટીની કુલડી લઇ લાંબો હાથ કરી કહી રહી છે કે: માતા !મને છાશ આપો.આ બધી ધમાલ વચ્ચે ભગવાન ક્રૂષ્ણનું તોફાન વધી જાય છે. માતા યશોદા ખિજાઇને એક દોરડાથી તેને મોટા ખાંડણિયા સાથે બાંધી દે છે.
અહો ! ધન્યભાગ્ય માતા યશોદાનાં! કે જેની અલ્પ માયાએ અનેક બ્રહ્માંડો બાંધી લીધાં છે, એવો ભગવાન આજે એના દોરડા વતી બંધાય જાય છે.હે માતા યશોદા! તારું ઘણા દિવસથી લેણું હતું: ચોપડા પણ બાંધી અભરાઇએ ચડાવી દીધેલા હતા; તે કરજ આજે ચૂક્તે થઇ ગયું છે.સ્રૂષ્ટિના સકલ જીવમાત્રમાં હે મા ! તારા જેવાં કોનાં ભાગ્ય વખાણું?’ ‘કાગકહે છે કે હે મકતા ! ઉઘાડે પગે જગતનો નાથ જે આંગણામાં ઓસરીમાં અને પગથિયાં પર ખેલે છે, એ પગથિયાંનો એક નાનકડો પાણો તે વખતે હું સરજાયો હોત તોપણ ક્રૂતાર્થ બનત

(ગોઝારાં એનાં આંગણાં રે જી એ રાગ)

માડી ! તારી કેટલા જનમની કમાણી રે?
-
નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી

મુરારિ કહે છે મુખથી માજી
તારે હુકમે ભણે છે હાજી હાજી
બાપુ બધાનો તારો બેટો રે
માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !ટેક

ઊભેલી અજાણી નારી, લખમી લોભાણી…;(2)
એને પ્રીતેથી ભરવાં છે તારાં પાણીરે.માતાજી0  1

કરમાં લઇ કુલડી ને ઊભી ઇંદ્રાણી…;(2)
ભીખ છાશુંની માગે છે બ્રહ્માણી રેમાતાજી0  2

જેના મોહ બંધણમાં દુનિયા વીંટાણી; (2)
એની દેયું તારી દોરડીએ બંધાણી રે માતાજી0  3

બેઠી જુગ જુગ માડી! ચોપડા તું બાંધી,(2)
(
આજ) તારી બધી પતી ગઇ ઉઘરાણી રે માતાજી0  4

કાગતારા ફળિયામાં રમે અડવાણો (2)
તારે પગથિયે સરજ્યો નંઇ હું એક પાણો રેમાતાજી0  5

(ભાવનગર એકત્રીશમી માર્ચ 1953)

==================================================

સૈયર મેંદી લેશું રે !

(રઢિયાળી રાતસંપાદક: ઝવેરચંદ મેઘાણી, બ્રૂહદ આવ્રૂત્તિ1997 પાનું ક્રમાંક 64)

[ઘરકામથી ત્રાસેલી વહુના અંતરની ગુપ્ત અવળચંડાઇના આ ચિત્રમાં સાસુએ જે કહ્યું હોય તેથી
ઊલટું જ સમજવાની આવડત બતાવી છે. મેંદી લેવાની ક્રિયાનું પ્રારંભિક ચિત્ર મસ્તીભર્યું છે.]

મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ,
એક હલાવું ડાળ ત્યારે ડાળાં હલે ચાર
સૈયર! મેંદી લેશું રે.


મારી સાસુએ એમ કહ્યું કે વાસીદાં વાળી મેલ્ય,
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.
મારી સાસુએ એમ કહ્યું કે પાણીડાં ભરી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે બેડલાં ફોડી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.


મારી સાસુએ એમ કહ્યું કે રોટલા ઘડી મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે ચૂલા ખોદી મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.


મારી સાસુએ એમ કહ્યું કે કોડ(1)માં દીવો મેલ્ય,
મેં ભોળીએ એમ માન્યું કે સોડમાં દીવો મેલ્ય,
સૈયર! મેંદી લેશું રે.

(1) કોડ: કોઢ, બળદને બાંધવાનું ઘાસથી ભરેલું સ્થાન.

 

ભાગવત કથાવિધિ //શ્રીમદ્ ભાગવત સંક્ષેપ (સંક્ષેપકર્તા: હસુમતી મહેતા બી.એ., એમ.એડ્.)

Leave a comment

ભાગવત કથાવિધિ

સનકાદિકમુનિ આ માહાત્મ્ય કથા સંભળાવ્યા પછી ભાગવતના શ્રવણની વિધિ વર્ણવે છે. શ્રાવણ, આશ્વિન, કાર્તિક, માર્ગશીર્સૅહ, અષાઢ કે ભાદરવોઆ મહિનાઓ શ્રોતાઓ માટે મોક્ષસૂચક હોવાથી ભાગવત કથા રાખવાનું આ મહિનાઓ દરમ્યાન ઇષ્ટ છે. સપ્તાહ-સમાપ્તિ પછી ગીતા અને વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવાથી સર્વ કાર્ય સફળ થાય છે. આ કથાના શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થયાં, નારદજી પણ આનંદિત થયા. શુકદેવજી કહે છે, ભાગવતથી પર કોઇ ધર્મ નથી. ભાગવત સાંભળનાર, પાઠ કરનાર અને તેનો વિચાર કરનાર પુરુષ મુક્તિ પામે છે. કલિયુગમાં ભાગવત કથા સંસારરૂપી રોગોનો નાશ કરનારી છે.

શ્રીમદ્ ભાગવતના બાર સ્કંધ છેપહેલો સ્કંધ પરમ કૃપાળુ ભગવાન શ્રીનાથજીનું જમણું ચરણકમળ છે. પહેલા સ્કંધને અધિકારલીલા કહેવામાં આવ્યો છે.બીજો સ્કંધ ભગવાનનું ડાબુ ચરણકમળ છે. બીજા સ્કંધને જ્ઞાન-સાધનલીલા કહેવામાં આવ્યો છે.હંમેશાં ભગવાનનું ધ્યાન ધરવા માટૃએ નમન કરતી વખતે પ્રથમ આપણી દૃષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદમાં સ્થિર કરવી અને પછી ધીમે ધીમે ઠાકોરજીના મુખ સુધી લઇ જવી જોઇએ. ત્રીજા સ્કંધને ભગવાનનો જમણો હાથ કહ્યો છે, જેને સર્ગ લીલા કહ્યો છે. ચોથો સ્કંધ શ્રીનાથજીનો ડાબો હાથ છે જેને વિસર્ગ લીલા કહેવામાં આવ્યો છે. પાંચમોસ્કંધ ભગવાનનો જમણો સાથળ છે જેને સ્થાન લીલા કહેવામાં આવ્યો છે. છઠ્ઠો સ્કંધ ડાબો સાથળ છે જેને પોષણ લીલા કહેવામાં આવ્યો છે.સાતમો સ્કંધ ઠાકોરજીનો જમણો હાથ, જે કેડ પર રાખ્યો છે, જે વાસના નાબૂદ કરવાનું સૂચવે છે. સાતમા સ્કંધને ઊતિ લીલા કહેવામાં આવ્યો છે. આઠમો સ્કંધ ભગવાનનો જમણો છાતીનો ભાગ છે, જેને મન્વન્તર લીલા કહી છે. નવમો સ્કંધ ભગવાનનો ડાબો છાતીનો ભાગ છે, જેને ઇશાનુકથા લીલા કહી છે. દશમો સ્કંધ ભગવાનનું હ્રદય છે, જેને નિરોધલીલા કહી છે. અગિયારમો સ્કંધ ઠાકોરજીનું લલાટ મસ્તક છે, જેને મુક્તિલીલા કહી છે. બારમો સ્કંધ ઠાકોરજીનો ડાબો ઊંચો કરેલો હાથ છે, જે ભક્તોને બોલાવે છે, જેને આશ્રયલીલા કહી છે. શ્રીમદ્ ભાગવત સાક્ષાત્ પરમ કૃપાળુ પરમાત્મા શ્રીનાથજીનું જ સ્વરૂપ છે. તેથી જ ભાગવતના દરેક સ્કંધને ઠાકોરજીના અવયવો  સાથે જોડ્યા છે.

સર્ગ : પરમેશ્વરે સત્ત્વગુણ દ્વારા પંચ મહાભૂતો પાંચ તન્માત્રાઓ ઇન્દ્રિયો અને અહંકારની ઉત્પત્તિ કરી છે તેને સર્ગ કહેવાય છે.

વિસર્ગ:  ઇશ્વરે સર્જેલી સ્થાવર જંગમ સૃષ્ટિ.

સ્થાન : દરેક પ્રાણીની મર્યાદા પ્રમાણે પાલન કરતાં ભગવાનની શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેને સ્થાન કહે છે.

પોષણ: ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ તેને પોષણ કહે છે.

મન્વન્તર : ઉત્તમ પુરુષોના શ્રેષ્ઠ ધર્મને મન્વન્તર કહે છે.

ઊતિ : કર્મની વાસનાને ઊતિ કહે છે.

ઇશાનુકથા : શ્રીહરિની અને તેમના ભક્તોની ઉત્તમ કથાઓને ઇશાનુકથા કહે છે.

નિરોધ: જીવાત્માનું શ્રીહરિની યોગનિદ્રા પાછળ ઉપાધિઓ સાથે લય થવું તેને નિરોધ કહે છે.

મુક્તિ : અહંકાર અથવા હુંપણાનો ત્યાગ કરી જીવાત્માએ બ્રહ્મસ્વરૂપે રહેવું તેને મુક્તિ’ કહે છે.

આશ્રય: જેના વડે સૃષ્ટિ સર્જાય અને લય થાય તે પરમાત્મા-પરબ્રહ્મ કે જેને આશ્રય કહે છે.

==============================     

 

ભાગવત માહાત્મ્ય: કથા 1//ભાગવત માહાત્મ્ય: કથા 2 ધુંધુકારી //શ્રીમદ્ ભાગવત સંક્ષિપ્ત/હસુમતીબહેન મહેતા

Leave a comment

ભાગવત માહાત્મ્ય: કથા 1

એક વખત બદ્રિકાશ્રમમાં સનકાદિ મુનિઓ આવ્યા. ત્યાં તેમણે નારદમુનિને જોયા. તેમનું મુખ ઉદાસ હતું. સનકાદિ મુનિઓએ નારદમુનિને તેમની ઉદાસીનું કારણ પૂછ્ યું. નારદજી કહે, હે મુનિઓ પૃથ્વી પર હું અનેક જગ્યાએ ફર્યો. કળિયુગમાં થતાં પાપો જોઇ મને ખૂબ દુ:ખ થયું. એક દિવસ સવારે વહેલા ઊઠી સ્નાન કરવા યમુના તટે ગયો ત્યારે મેં એક આશ્ચર્ય જોયું. એક યુવાન સ્ત્રી ઉદાસ ચહેરે બેઠી હતી.

અને તેની પાસે બે વૃદ્ધ પુરૂષો મૂર્છિત અવસ્થામાં પડેલા હતા. મને જોઇ યુવતી મારાં પગમાં પડી. મેં તેને પૂછ્યું,બહેન ! તું કોણ છે? યુવતીએ કહ્યું.મારૂં નામ ભક્તિ છે. આ મારાં પુત્રો એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય. કાળે કરીને બન્ને વૃદ્ધ થઇ ગયા છે. બન્ને મૂર્છિત દશામાં પડ્યા છે, જાગ્રત થતા નથી. હું ખૂબ દુ:ખી છું. આપ આ મારા બે પુત્રોને ભાનમાં લાવવામાં મને મદદ કરો.

માતા યુવાન અને દીકરા વૃદ્ધ ! મને ખૂબ આશ્ચર્ય થયું . મેં અનેક મંત્રો બોલી જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા કોશિશ કરી પણ વ્યર્થ. ભક્તિએ મને પૂછ્યું, હે મુનિ ! મારાં આ બે દીકરાઓ કેમ જવાબ આપતા નથી? મેં ભક્તિને વચન આપ્યું કે, હે પુત્રી, હું તને જરૂર મદદ કરીશ પણ અત્યારે મને જવા દે. ઉપાય મળતાં હું જરૂર પાછો આવીશ. ત્યાંથી નીકળી હું અનેક સ્થળોએ ફરતો ફરતો સંત-મહાત્માઓને મળ્યો. ઉપાય પૂછ્યા પણ વ્યર્થ. ભક્તિને મેં વચન આપ્યું છે, હું મથુરાથી બદ્રિકાશ્રમ આવ્યો. આપ મને અહીં મળ્યા. મને આ કામમાં આપ કૃપા કરી મદદ કરશો. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરી તેઓમાં ફરી ચેતના પ્રગટાવવાનો માર્ગ બતાવશો.

સનતકુમાર ભાઇઓએ હરિદ્વારમાં પ્રથમવાર શ્રીમદ્ ભાગવતની કથા કહી સંભળાવી.

જેમ દૂધમાં ઘી અને શેરડીમાં સાકર રહેલી છે તેમ શ્રીમદ્ ભાગવતમાં પરમાત્મા વિશેનું જ્ઞાન રહેલું છે.ગંગા કિનારે જ્યારે સનતકુમાર હજારો ઋષિમુનિઓ સહિત નારદજીને ભાગવત કથા કહેવા લાગ્યા ત્યારે યમુના કિનારે બેસૂધ પડેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા અને પોતાની માતા ભક્તિને કહેવા લાગ્યા કે હે મા ! જ્યાં ગંગા કિનારે ભાગવત કથા થાય છે ત્યાં અમને લઇ જા. યુવાન માતા વૃદ્ધ દીકરાઓને ખભે નાખી ગંગા કિનારે જ્યાં ભાગવત કથા થતી હતી ત્યાં આવી. ભાગવત કથા સાંભળી બન્ને દીકરાઓ જાગૃત થયા ભક્તિ હે કૃષ્ણ ! હે ગોવિંદ ! કરતી પોતાના યુવાન થયેલા પુત્રોને લઇ સનકાદિ મુનિઓ પાસે જઇ વંદન કર્યાં. હે બ્રહ્મપુત્રો ! આપે આ કળિયુગમાં મને અને મારાં પુત્રોને સજીવન કર્યાં પણ હવે મારે ક્યાં રહેવું? મુનિઓએ કહ્યું,હે ભક્તિ ! તું ભક્તો અને વૈષ્ણવોના મનમાં વાસ કર. જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય જ. શ્રીમદ્ ભાગવત શ્રવણથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉદ્ધાર થયો અર્થા કળિયુગમાં સંસારમાં રચ્યાપચ્યા જીવોમાં જ્ઞાન અને વૈરાગ્ય લગભગ નાશ પામેલા. પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિમાં પણ ઓટ આવી ગયેલી. ચારે બાજુ પાપાચાર ફેલાયેલો હતો. ત્યારે શ્રીમ ભાગવત કથા શ્રવણથી મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ ફરી જાગે અને માનવીના મનમાં સુપ્ત દશામાં પડેલાં જ્ઞાન અને વૈરાગ્ય ફરી જાગૃત થાય. અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા મોહ અને અહંકારનો નાશ થાય અને વિવેકબુદ્ધિનો ઉદય થાય.

 

ભાગવત માહાત્મ્ય: કથા 2

ધુંધુકારી

 

નારદજી કહેવા લાગ્યા કે, હે મુનીશ્વરો ! ભાગવત સપ્તાહનો આ અલૌકિક મહિમા મેં જોયો, હવે આ કથા સાંભળવાથી કોણ કોણ શુદ્ધ થાય ? જે માણસ હંમેશાં પાપાચારી,  ક્રોધી, કામી અને કુટિલ હોય તેનો પણ ભાગવત સાંભળવાથી ઉદ્ધાર થાય ?

સનકાદિમુનિએ કહ્યું, હે નારદજી આ વિષે એક વાત તમને કહું છું તે સાંભળો. તુંગભદ્રા નદીને કિનારે એક શહેર હતું. તેમાં એક આત્મદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધુંધુલી હતું. પચાસ વર્ષના આત્મદેવ થયા છતાં તેને ત્યાં પારણું બંધાયું નહીં, તેના આંગણામાં આંબો વાવે તો ફળ ન આવે. તેની ગાય વાછરડાને જન્મ ન આપે. તેવાં આ બ્રાહ્મણ દંપતી કમનશીબ હતાં, આત્મદેવને સંતાનની ખૂબ ઇચ્છા હતી. અનેક ઉપાય કર્યા, બાધા-આખડી કરવામાં પાછું વાળી ન જોયું છતાં તેની આશા ન ફળી. આખરે એક દિવસ નિરાશ થઇ આત્મદેવ પોતાની પત્ની ધુંધુલીને પોતાની મિલકત સોંપી ઇશ્વરાઅરાધના કરવા ચાલી નીકળ્યો. બપોરના ચાલતો ચાલતો સરોવર કિનારે પાણી પીવા રોકાણો. સરોવર કિનારે એક મહાત્મા તપ કરતા હતા. આત્મદેવે મહાત્માને પ્રણામ કર્યા, અને કહ્યું, હે મહાત્મા, મને જીવનમાં પુત્રપ્રાપ્તિ ન થતાં હું નિરાશ થઇ ઇશ્વરાઅરાધના કરવા નીકળ્યો હતો પણ આપ મને રસ્તામાં મળ્યા. આપનાં દર્શન થયાં આપને પ્રણામ કરૂં છું. કૃપા કરી મને પુત્રસુખ આપો.

મહાત્મા કહે, હે બ્રાહ્મણ ! આવો બિરાજો, ગંગાપાન કરો. ભોજન લો.

આત્મદેવ કહે, નહીં. મહારાજ મને ભોજનની ઇચ્છા નથી. મને પુત્ર પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. મહાત્માએ કહ્યું, હે બ્રાહ્મણ, તારા ભાગ્યમાં પુત્રસુખ નથી. પુત્રો ચાર પ્રકારના હોય છે. એક હજારમાં એક હોય, બીજો માતાપિતાનું નામ ઉજાળે, આજ્ઞાંકિત હોય, ત્રીજો માથે પડેલ, કમાય નહીં અને ચોથો ન કરવાના કામ કરે. માતાપિતાને છોડી ચાલ્યા જાય. હે બ્રાહ્મણ જે ભાગ્યમાં નથી તેને માટે જીદ ન કર. પણ બ્રાહ્મણ આત્મદેવ ન માન્યો. તેથી સંન્યાસીએ કહ્યું, હું તને મારાં તપના બળથી એક ફળ આપું છું. જે ખાશે તેના ઉદરમાંથી પ્રભુ જેવો દીકરો અવતરશે. આ ફળ તું તારી પત્નીને ખવડાવજે. આત્મદેવ સાંજે પોટલીમાં ફળ બાંધી ઘરે પાછો ગયો.

સાજે આત્મદેવ સંન્યાસીએ આપેલું ફળ લઇ ઘરે આવ્યો. બારણામાં જ તેની પત્ની ધુંધુલી દાંતે તમાકુ ઘસતી બેઠી હતી. આત્મદેવને પાછો આવેવ્લો જોઇ પૂછ્યું, કેમ પાછા આવ્યા?

આત્મદેવે મહાત્માએ આપેલા ફળની વાત કરી. આ ફળ તું ખાઇશ એટલે આપણે ત્યાં દેવ જેવો દીકરો અવતરશે. ધુંધુલીને આ વાત સાંભળી આનંદ થવાને બદલે ચિંતા થવા લાગી. બીજે દિવસે આ વાત ધુંધુલીએ  તેની બહેનપણીને કહી, જો મારા પતિ એક ફળ લાવ્યા છે. જોતે ફળ હું ખાઉં તો મને દીકરો અવતરશે, પણ મારી ઉંમર હવે મોટી થઇ ગઇ છે. પ્રસૂતિ વખતે કાંઇ તકલિફ થાય અને હું મરી જાઉં તો ? મારી એ ફળ ખાવાની ઇચ્છા નથી,  હું શું કરૂં?

આત્મદેવ દરરોજ પોતાની પત્નીને પૂછે કે, તે ફળ ખાધું કે નહીં? ધુંધુલી જવાબ દેતી કે સારૂં મુહૂર્ત જોઇને ખાઇશ. બીજે દિવસે ધુંધુલીની બહેન ધુંધુકા તેને ઘેર આવી. ધુંધુલી પોતાની બહેન પાસે રડવા લાગી. પોતાના દુ:ખની વાત કરી. તારા બનેવી મારાં માટે એક ફળ લાવ્યા છે પણ મને તેમાં જરાય વિશ્વાસ નથી. મારે તે ફળ ખાવું નથી. મને ઉપાય બતાવ. ધુંધુકા કહે તને એક ઉપાય બતાવું. આ ફળ તું તારી ગાયને ખવડાવી  દે. મને સાતમો મહિનો ચાલે છે. મારો દીકરો જન્મતાંની વેંત જ હું તને આપી દઇશ. તેના બદલામાં તું મને તારી મિલકતનો ચોથો ભાગ આપજે.

ધુંધુકાની સલાહ પ્રમાણે ધુંધુલીએ ફળ ગાયને ખવડાવી દીધું અને ઘરમાં એમ જાહેર કર્યું કે મેં ફળ ખાઇ લીધું છે. દિવસો વીતતા ચાલ્યા. સમય થયે ધુંધુકાએ દીકરાને જન્મ આપ્યો. તે દીકરો તેણે ધુંધુલીને તરત જ આપી દીધો અને ધુંધુલીએ તરત જાહેરાત કરી કે પોતાને દીકરો જન્મ્યો છે. દીકરાનું નામ ધુંધુકારી પાડ્યું. તે જ સમયે ધુંધુલીની ગાયે પણ ગાયના જેવા કાનવાળા દીકરાને જન્મ આપ્યો, જેનું નામ બ્રાહ્મણ આત્મદેવે ગોકર્ણ રાખ્યું. ધુંધુકારી અને ગોકર્ણ મોટા થવા લાગ્યા. ધુંધુકારી મહાખલ હતો, જ્યારે ગોકર્ણ મહાજ્ઞાની હતો.

આ સાંભળી આત્મદેવ ધુંધુલીને કહેવા લાગ્યા, આજે મને મહાત્માના શબ્દો યાદ આવે છે કે હે બ્રાહ્મણ ! તારે પુત્ર થશે તોયે તારા નસીબમાં પુત્ર સુખ નથી.

આજે મને ખૂબ દુ:ખ થાય છે. હે ધુંધુલી! આપણે આપણા દેકરાને સુધારવા પ્રયાસ કરીએ. ધુંધુકારીને સુધારવા આત્મદેવ પ્રયત્ન કરવા લાગ્યો પણ દીકરો સામો થવા લાગ્યો. બ્રાહ્મણ આત્મદેવનું દિલ તૂટી ગયું. ખૂબ દુ:ખ થયું. ધુંધુકારી બાર વર્ષનો થયો છતાં ભણવા જતો નથી. એક દિવસ નદીએ નાહીને આવતા ધુંધુકારી સ્મશાનયાત્રામાંના મુડદાના હાથમાંથી પીંડ ઉપાડી ખાવા લાગ્યો. બધા પૂછવા લાગ્યા , આ કોનો દીકરો છે? જાણવા મળ્યું કે બ્રાહ્મણ આત્મદેવનો દીકરો છે. આ વાત જ્યારે આત્મદેવે સાંભળી ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, મારો દીકરો આવો? મારા ક્યા જનમનાં પાપ? મેં મહાત્માની વાત માની નહીં. આજે મને ખૂબ પસ્તાવો થાય છે. હું શું કરૂં? આત્મહત્યા કરૂં તો પાપ લાગે. જીવનમાં માણસ પત્ની, પુત્ર, કુટુંબ, કાંચન, કીર્તિની ઝંખનામાં વધુ ને વધુ લપેટાતો જાય છેઅને વધુમાં વધુ દુ:ખી થાય છે. આત્મદેવે ભોજન છોડી દીધું. દીકરાને સમજાવવા અનેક પ્રયત્નો ક્ર્યા પણ વ્યર્થ.આવો દીકરો મારે ત્યાં જન્મ્યો તેમાં કોની ખામી? ધુંધુલી કોનો દીકરો છે તે કહેતી નથી. હવે ધુંધુકારી સોળ વર્ષનો થયો. સોળ વર્ષનો દીકરો મિત્ર ગણાય. બ્રાહ્મણ ખૂબ ધીરજથી ધુંધુકારીને સમજાવવા પ્રયત્ન કરવા લાગ્યો,પણ ધુંધુકારીમાં તો ઉંમર વધતાંની સાથે અનેક ખરાબ આદતો આવી. ધન વ્યય કરવા લાગ્યો. ખરાબ સોબતથી અનેક દુર્ગુણો તેનામાં આવ્યા. આજે ધુંધુકારીનો જન્મદિવસ છે. અનેક મિષ્ટાન્ન બનાવ્યાં. બ્રાહ્મણ આત્મદેવ વિચારવા લાગ્યો. મારી પત્ની, મારો પુત્ર મારૂં સાંભળતાં નથી. જીવન ખાટું થઇ ગયું છે, આખો દિવસ ઉપવાસ કર્યો. રાતે બાર વાગ્યે આત્મદેવ ધુંધુલી અને ધુંધુકારી જ્યાં સૂતા હતાં ત્યાં ગયો. તેઓને જગાડવાનો પ્રયત્ન કર્યો, ધુંધુલી ઊંઘમાં જ હતી. આત્મદેવે તેને કહ્યું કે, લે આ ચાવી અને આ દીકરો. હું ઇશ્વરની આરાધના કરવા જાઉં છું. ધુંધુલીએ સાંભળતી હોવા છતાં પોતાના પતિને જવાબ ન આપ્યો. દીકરો પણ સાંભળતો હતો છતાં જાગ્યો નહીં. ગોકર્ણે જતા પિતાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. આત્મદેવે પૂછ્યું, હે ગોકર્ણ ! હું ક્યાં જાઉં? ગોકર્ણે કહ્યું, પિતાજી, શેષ વધેલી જિંદગીમાં ભાગવતનો દશમ સ્કંધ વાંચી શાંતિ મેળવવા પ્રયત્ન કરો. આત્મદેવ ઘર છોડી ચાલી નીકળ્યો.

સવારે ધુંધુલીએ ધુંધુકારીને તેના પિતાના ચાલ્યા જવાની વાત કરી. ધુંધુકારી કહે મને ખબર છે. હું જાગતો જ હતો.

થોડા દિવસ પછી ધુંધુકારીએ પોતાની માતા પાસે તિજોરીની ચાવી માગી . માએ ચાવી ન આપી, તેથી ધુંધુકારીએ માને મારી નાખી ચાવી લઇ લીધી. તિજોરીનો કબજો મળતાં મન ફાવે તેમ ધુંધુકારે પૈસા વાપરવા લાગ્યો. યુવાનીમાં અંકુશ ન હોય, શિસ્ત ન હોય તો સંપત્તિ બરબાદી લાવે છે. ધુંધુકારી પોતાની યુવાની બરબાદ કરવા લાગ્યો. કુસંગને કારણે ચોરી કરવાની ટેવ પડી ગઇ. કુલટા સ્ત્રીઓના કહેવાથી ધુંધુકારી ચોરીઓ કરતો હતો. આ કુલટા સ્ત્રીઓએ ચોરીનો બધો માલ લઇ લીધો અને બધી ભેગી મળી ધુંધુકારીને સળગાવી, મારી નાખ્યો. ગોકર્ણ ધુંધુકારીને બેચાર દિવસથી ન જોતાં કુલટાઓને પૂછ્યું: મારો ભાઇ ક્યાં છે? જવાબ મળ્યો તે તો બહારગામ ગયો છે. ગોકર્ણને વધુ તપાસ કરતાં ખબર પડી કે ધુંધુકારીને આ કુલટા સ્ત્રીઓએ બાળી મૂક્યો છે. ગોકર્ણે પોતાના ભાઇઅની ઉત્તરક્રિયા કરી. ગયા જઇને શ્રાદ્ધ કર્યું. તેમ છતાં ગોકર્ણની ઊંઘ હરામ થઇ ગઇ. રાત્રે અચાનક આંખ ઊઘડી જ્આય. સ્વપ્નમાં ગાય, અગ્નિ, કૂતરા દેખાય. આમ થતાં ગોકર્ણ સજાગ થઇ ગયો. સામે જોયુ6 તો એક પડછાયો દેખાયો. ગોક્ર્ણ માતા ગાયત્રીનો પરમ ઉપાસક હતો. પડછાયો ગોકર્ણને કહેવા લાગ્યો ભાઇ, હું ધુંધુકારી છું, હું બળું છું. મારી સદ્ ગતિ નથી થઇ. હું પ્રેતરૂપે છું.ગોક્ર્ણે સૂર્યદેવની ઉપાસના કરી. હે સૂર્યદેવ ! મારાં ભાઇના ઉદ્ધાર માટે હું શું કરું? સૂર્યનારાયણે કહ્યું, હે ગોકર્ણ શ્રીમદ્ ભાગવતની કથાનું પારાયણ કરવાથી તારા ભાઇની  મુક્તિ થશે.

અષાઢ માસમાં ગોકર્ણે પોતાના ભાઇ ધુંધુકારીના ઉદ્ધાર માટે શ્રીમદ્ ભાગવત સપ્તાહ શરૂ કરી. સાત ગાંઠનો વાંસ મંડપ સાથે બાંધ્યો. દરરોજ એક એક કરી સાત દિવસમાં સાત ગાંઠ ફૂટી ગઇ. સાતમી ગાંઠ ફૂટતાં ધુંધુકારી સાક્ષાત્ પ્રગટ થયો.ભાઇ ગોકર્ણને નમસ્કાર કર્યા. અર્થાત્ ભાગવત કથા ધુંધુકારીએ પ્રેત સ્વરૂપે વાંસમાં પ્રવેશી ભક્તિભાવથી સાંભળી.સાત દિવસમાં તેની અજ્ઞાનરૂપી ગાંઠો એક એક કરી ફૂટી ગઇ, ધુંધુકારીને માનવજીવન વિશેનું સાચું જ્ઞાન થયું. પોતાનાં પાપકર્મો માટે પસ્તાવો થયો. ઇશ્વરે તેનો ઉદ્ધાર કર્યો. ખરા હ્રદયથી માણસ જીવનમાં કરેલાં પાપો અને ભૂલો માટે પ્રાયશ્ચિત કરે, ફરી એનાં એજ કે એવાં પાપો કે ભૂલો નકરવાનો નિશ્ચય કરે તો પરમ દયાના સાગર પરમાત્મા તેને ક્ષમા કરે છે અને તેની સદ્ ગતિ થાય છે.  ધુંધુકારી માટે ભગવાને વિમાન મોકલ્યું. ધુંધુકારીની મુક્તિ થઇ. જીવનમાં વાંસની સાત ગાંઠ જેવી માયા-મમતાની ગાંઠો તોડવાની જરૂર છે. સંસારનાં ક્ષણિક સુખોમાં આસક્તિ છોડવી જરૂરી છે. શ્રીમ ભાગવત એ જપ અને તપયજ્ઞ છે. ગોકર્ણે ભાગવત કથા કરી પોતાના પાપાચારી ભાઇનો ઉદ્ધાર કર્યો. મનન ન કર્યાથી બીજા કોઇનો ઉદ્ધાર ન થયો. ફરીથી શ્રાવણ માસમાં ગોકર્ણે કથા કરી. આખી સભા સહિત ગોકર્ણને ભગવાન ગોલોક લઇ ગયા.

====================================================  

 

 

 

 

 

 

 

શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય//શ્રીમદ્ ભાગવત સંક્ષેપ (સંક્ષેપકર્તા: હસુમતી મહેતા બી.એ., એમ.એડ્.)

Leave a comment

Bhag.sanxipt

શ્રીમદ્ ભાગવત સંક્ષેપ  (સંક્ષેપકર્તા: હસુમતી મહેતા બી.એ., એમ.એડ્.)

20મી આવૃત્તિ

લોકહિતાર્થે વિતરણકર્તા:

:પ્રચાર, પ્રસાર અને પ્રાપ્તિસ્થાન

ગોપાલ પારેખ.

 મે.ફોરટ્રાન સ્ટીલ પ્રા.લિ. ઓફિસ:35-એ, સાકર ગલી, લોખંડ બજાર, મસ્જિદબંદર, મુંબઇ 400-009  ફોન: 022-23485121(સમય: બપોરના 2.00 થી સાંજના 7.00 વાગ્યા સુધી) મોબાઇલ: 09324047909

કિરીટભાઇ પારેખ, મુંબઇ ફોન:022-26710498

પ્રગતિ મિત્ર મંડળ, મથુરાદાસ રોડ, કાંદિવલી(વેસ્ટ) મુંબઇ ફોન: 022-28017215(સવારે 9.00થી 12.00,અને સાંજે 4.00 થી 7.00સુધી)

આ પુસ્તક બાબત પૂજ્ય શ્રી રમેશભાઇ ઓઝા લખે છે:

શ્રી હરિ

વેદોનિષદાં સારાત્ જાતા ભાગવતી કથા

શ્રીમદ ભાગવત એટલે વેદ અને ઉપનિષદોનો સાર. ભગવાનનું વાડ’મય સ્વરૂપ, પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભાગવતજી સ્વરૂપે કલિકાલમાં ભક્તોને દર્શન અને જીવન સાફલ્યનું માર્ગદર્શન બંને આપે છે.

વિશ્વમંગલ કરનારું સાહિત્ય હિંદુસમાજ પાસે ઋષિઓના અનુગ્રહથી મોજુદ છે, પરંતુ એ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃતને સમજનાર, સમજાવનારની સંખ્યા ઓછી છે. તેથી આ સાહિત્યને સૌની માતૃભાષામાં, માતાનું દૂધ બાળક માટે જેમ હલકું અને હિતકર છે, તેવી રીતે આપવાનું અનિવાર્ય બન્યું છે.

શ્રીમતિ બહેનશ્રી હસુમતીબહેન મહેતાએ ગુજરાતી ભાષામાં શ્રીમદ ભાગવતજીને સંક્ષેપ અને સરળ રૂપે સમાજ સમક્ષ મૂકવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

ભાગવતજી સરસ તો છે જ, પણ એનું સરળ અને સંક્ષિપ્ત રૂપ સમાજને આશીર્વાદાત્મક બનશે.

મારા હ્રદયની શુભકામના આ કાર્યને અર્પું છું અને બહુજનહિતાય થયેલા આ પ્રભુકાર્યને વંદુ છું.

શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય

 

સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે

તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ:

જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણ રૂપ છે  અને જે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણે પ્રકારનાં દુ:ખોનો નાશ કરનાર છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમન કરીએ છીએ.

શ્રીમદ્ ભાગવત ભક્તિપ્રધાન ગ્રંથ છે, જે માનવજીવનમાં ચેતના પ્રગટાવે છે. ભાગવતમાં કુલ બાર સ્કંધ છે, 335 અધ્યાય છે અને અઢાર હજાર શ્લોકોનું બનેલું છે.

મહાભારતનાં અઢાર પર્વ છે. ગીતા અઢાર અધ્યાય છે. પુરાણો અઢાર છે. ઉપ-પુરાણો પણ અઢાર મનાય છે.

શ્રીમદ ભાગવત માનવને ઇશ્વરની નવધા ભક્તિ કરવા સૂચવે છે. દરેક માનવીએ તે માટે કોશિશ કરવી જોઇએ. માનવેભક્તિ એવી કરવી જોઇએ કે આંખો બંધ કરતાં સાક્ષાત્  ઇશ્વર મન:ચક્ષુ સમક્ષ દેખાય.ભક્તિભાવ, આબાલવૃદ્ધમાં ચેતના પ્રગટાવે છે; ઇશ્વરનાં ધ્યાન અને જપ દ્વારા ઇશ્વરની પ્રાપ્તિ થઇ શકે છે.

નવધા ભક્તિ

ઇશ્વરભક્તિના નવ પ્રકાર છે:

1.શ્રવણ 2.કીર્તન 3.સ્મરણ 4.સેવા 5.અર્ચન 6.વંદન 7.દાસ્ય 8.સખ્ય 9.આત્મનિવેદન

જગદ્ ગુરુના સ્વરૂપે નારાયણ ભગવાન સાગરમાં પોઢ્યા છે. તેમની નાભિમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુ:શ્લોકી ભાગવત કહ્યું, બ્રહ્માજીએ નારદજીને, નારદજીએ વેદવ્યાસજીને અને વેદવ્યાસે પોતાના પુત્ર શુકદેવજીને કહી સંભળાવ્યું.

વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવત રચતાં પહેલાં મહાભારતની રચના કરી, માનવજીવન સાથે જન્મ-મૃત્યુ નિશ્ચિત છે. તેની વચ્ચે દરેક માનવને સતાવે છે વ્યાધિ અને વૃદ્ધાવસ્થા. દરેક માનવી વ્યાધિ અને ઉપાધિથી બચવા ઇશ્વરને પ્રાર્થના કરે છે.

વેદવ્યાસજી 88 વર્ષના અને પત્ની અરણી 80 વર્ષનાં થયાં ત્યાં સુધી તેમને સંતાન સુખ ન હતું. અરણી એક દિવસ પોતાના પતિ વેદવ્યાસને પૂછે છે કે, આપણા ક્યા જન્મના પાપ ? મારો ખોળો ખાલી કેમ? મારે પુત્રની ઇચ્છા છે, અનેક નિ:સંતાન લોકો જે તમારે શરણે આવે છે તેને આપ તેના ઉપાય બતાવો છો તો મને કેમ નથી બતાવતા? વેદવ્યાસ પત્નીને ઉત્તર આપવાનું ટાળે છે. અરણીએ બીજા અનેકને પુત્રપ્રાપ્તિ માટે મહાદેવજીનું વ્રત કરવાનું કહેતાં વ્યાસજીને સાંભળ્યા હતા, તેથી અરણીએ પણ મહાદેવજીની આરાધના કરી.

એક દિવસ પાર્વતી મહાદેવજીને કહે છે કે, તમે તમે અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું છે, તો મને હવે ક્યારે જ્ઞાન આપશો? મહાદેવજી પાર્વતીને કહે કે તને જ્ઞાન આપવા માટે આપણે એકાંત જગ્યામાં જઇશું. એક દિવસ મહાદેવજી પારવતીને લઇ કાશ્મીરથી ચંદનવાડી થઇ શેષનાગ આવ્યા, ત્યાં મહાદેવજીએ શેષનાગને ત્યજી દીધા. ત્યાંથી પંચતરણી થઇ અમરનાથ ગયાં. ત્યાં ગુફામાં જઇ પાર્વતીને જ્ઞાનસભર કથા કહેવા લાગ્યા. ઇશ્વરની કથા સાંભળતાં પારવતીજી ધ્યાનમગ્ન થઇ ગયાં. મહાદેવજીને હોંકારો ભણવાનું ચૂકી ગયા, ત્યારે એક તરતનું જન્મેલું પોપટનું બચ્ચું પાર્વતીજીને બદલે હોંકારો ભણવા લાગ્યું. મહાદેવજીએ જોયું કે પાર્વતીને બદલે પોપટનું બચ્ચું કથા સાંભળે છે ! મહાદેવજી ગુસ્સે થઇ પોપટના બચ્ચાને મારવા જાય છે ત્યાં પોપટનું બચ્ચું ઊડીને વ્યાસપત્ની અરણીના ખોળામાં જઇને પડ્યું.ભગવાન શંકર અરણીને પોપટનું બચ્ચું પાછું આપી દેવા કહે છે અને પોતાના ત્રીજા નેત્રથી તેને બાળવા તૈયાર થાય છે ત્યારે વ્યાસજી અને અરણી મહાદેવજીને વિનંતી કરે છે કે હે ભગવાન રહેવા દ્યો. આટલા વરસે મારો ખોળો ભરાયો છે. શંકર ભગવાનને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. શંકર ભગવાને કહ્યું,તથાસ્તુ પોપટ બાળ તરત જ ઊડી ગયું અને ભગવાન શંકરે પોતે અરણીને પેટે શુકદેવજીના રૂપે જન્મ લીધો.

અરણીના ગર્ભને દસ મહિના અને દસ દિવસ થયા. જન્મ લેતાં પહેલાં શુકદેવજીએ પિતા પાસે શરત મૂકી અને કહ્યુંહું ઇશ્વરાઅરાધના માટે જ જન્મ લઇશ. આજીવન ઇશ્વરાઅરાધના કરીશ. વ્યાસજી કબૂલ થયા. અરણીએ પુત્રને જન્મ આપ્યો. માતાપિતાએ પોતાના પુત્રનું નામ શુકદેવ રાખ્યું.

શુકદેવજી પાંચ વર્ષના થયા અને માતાપિતાએ દીકરાને જનોઇ આપવા વિચાર્યું પણ પાંચ વર્ષનો એ બાળક માતાપિતાનો ત્યાગ કરીને જ્ઞાન મેળવવા ચાલ્યો ગયો. પાંચ વર્ષના શુકદેવને શોધવા વ્યાસજી જંગલેજંગલે ભટકવા લાગ્યા. સરોવરની પાળે ઊભેલાં વૃક્ષો બોલ્યાં,તમારો પુત્ર જનતાના ઉદ્ધાર માટે આવ્યો છે.ઉપકાર કરવા આવ્યો છે તેને અમારાં નમસ્કાર.

નારદજીએ શુકદેવજીને પાછા બોલાવવા વ્યાસજીને રસ્તો બતાવ્યો. નારદજીએ વેદ વ્યાસને કહ્યું, તમે શ્રીમદ ભાગવત લખો. તમે કથા કહેશો ત્યારે શુકદેવ જરૂરથી સાંભળવા આવશે.

તપ કરતાં કરતાં હવે શુકદેવજી સોળ વર્ષના થયા હતા. તેમનું મન ભાગવત કથા સાંભળવા આકર્ષાય તે માટે વેદવ્યાસે એક યુક્તિ કરી. વ્યાસજીએ પોતાના શિષ્યોને કહ્યું, વનમાં જ્યાં શુકદેવજી તપ કરે છે ત્યાં જઇ અને આ બે શ્લોક તેમને ગાઇ સંભળાવો. ગુરૂની આજ્ઞા પ્રમાણે શિષ્યો વનમાં ગયા. શુકદેવજી સ્નાન, સંધ્યા કરી સમાધિમાં બેસે તે જ સમયે શિષ્યોએ ગાવાનું શરૂ કર્યું:

વર્હાપીડં નટવરવપુ: કર્યો: કર્ણિકારં

બિભ્રદ્ વાસ: કનકપિશંવૈજયંતીં ચ માલામ

રન્ધ્રાન વેણોરધરસુધયા પૂરયન ગોરવૃન્દૈ

વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીતકીર્તિ

ઇતિ વેણુરવં રાજન સર્વભૂતમનોહરમ

શ્રુત્વા વ્રજસ્ત્રિય: સર્વા વર્ણયન્ત્યોડ્ભિરેમિરે

અર્થાત્:  શ્રીકૃષ્ણે ઉત્તમ નટ જેવું રૂપ ધારણ કર્યું હતું. મસ્તક પર મોરપીંછનો મુગટ પહેર્યો હતો, બન્ને કાનમાં કરેણનાં પીળાં ફૂલો પહેર્યાં હતાં, પીતાંબર ધારણ કર્યું હતું. વાંસળીનાં છિદ્રોને નીચલા હોઠના અમૃતથી ભરી રહ્યા હતા અને ગોવાળિયાઓનાં ટોળાં તેમની જ કીર્તિ ગાતાં હતાં, એવા શ્રીકૃષ્ણે પોતાનાં પગલાંથી સુંદર વૃંદાવનમાં પ્રવેહ્સ કર્યો. હે રાજન ! શ્રીકૃષ્ણનો બંસીનાદ સર્વ પ્રાણીઓનાં મનને હરી લેતો હતો. તે નાદ સાંભળી વ્રજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતી તન્મય થઇ પરમાનંદ મૂર્તિ શ્રીકૃષ્ણને આલિંગન કરવા લાગી.

આ શ્લોક શુકદેવજી સાંભળતા હતા. તે વિચારવા લાગ્યા કે આ પાંચ વર્ષના બાળસ્ક શ્રીકૃષ્ણનું સ્વરૂપ કેવું અદ્ ભુત !ત્યાં તો વ્યાસજીના શિષ્યો ગુરૂએ શીખવેલો બીજો શ્લોક ગાવા લાગ્યા:

અહો વકી યં સ્તનકાલકૂટં જિધાં સયાપા યયદપ્ય સાધ્વી

લેભે ગતિં ધાત્ર્યુ ચિતાં તતોડન્યં કં વા દયાલુ શરણમ્ બ્રવેમ

અર્થાત્ :અહો ! જે પૂતનાએ સ્તન પર ઝેર લગાડી કૃષ્ણને મારવા હેતુથી ધવડાવ્યા  હોવા છતાં પૂતનાને પણ ભગવાને સદ્ ગતિ  આપી  એવા શ્રીકૃષ્ણ સિવાય કોણ બીજું દયાળુ છે કે જેમને શરણે જઇ શકાય ?

આ બીજો શ્લોક સાંભળી શુકદેવજીએ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું: તમે કોણ છો ? આ બે શ્લોકો કોણે રચ્તા છે ?

શિષ્યોએ કહ્યું, હે શુકદેવજી અમે વ્યાસજીના શિષ્યો છીએ. તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. શ્રીકૃષ્ણની કથા આવા અઢાર હજાર શ્લોકો રચી ગુરૂ વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવતની કથા લખી છે.આ વાત સાંભળી શુકદેવજીને શ્રીકૃષ્ણની કથા સાંભળવાની ઇચ્છા થઇ અને બરાબર બાર વર્ષ પછી તેઓ પોતાના પિતાના આશ્રમમાં પાછા આવ્યા. આવતાંવેંત પિતા વ્યાસજીને સાષ્ટાંગ દંડવપ્રણામ કર્યા અને પોતાને ભાગવત શાસ્ત્ર ભણવાની ઇચ્છા છે એમ કહેવા લાગ્યા. મુનિ વેદ વ્યાસે શુકદેવજીને શ્રીમદ્ ભાગવતની કથા કહી સંભળાવી, વ્યાસજી ભાગવત કથા કોને કહેવી અને તેનો પ્રચાર કેમ કરવો તે ચિંતામાંથી હવે મુક્ત થયા.

ભગવાનના ગુણો એવા છે કે જે દરેક મનુષ્યને પોતાના તરફ આકર્ષે છે, તો પછી મહાજ્ઞાની શુકદેવજીનું મન કથા સાંભળવા આકર્ષાય તેમાં શું આશ્ચર્ય? વેદ રૂપી કલ્પવૃક્ષ છે અને ભાગવત તે વૃક્ષનું ફળછે. ફળમાં વિશેષ મધુર રસ હોય છે. ભાગવત શાસ્ત્રરૂપી ફળનું વારંવાર સેવન આજીવન જે માનવી કરે છે તેને ભાગવત, કાળના મુખમાંથી છોડાવી મુક્તિ અપાવે છે.

કળિયુગમાં મનની શુદ્ધિ માટે અને ભયનો નાશ કરવા માટે શ્રીમદ્ ભાગવતથી અધિક કોઇ ઉપાય નથી.

Older Entries

Follow

Get every new post delivered to your Inbox.

Join 112 other followers