“ BHAJ GOVINDAM ”
ભજ ગોવિંદમ્
ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્
ગોવિન્દમ્ ભજ મૂઢમતે .
પ્રાપ્તે સન્નિહિતે મરણે
ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1 ટાંપી રહેલું મરણ જ્યારે ઝડપી લેશે ત્યારે તારું આ ‘ડુકૃણ્ કરણે’તને નહિ બચાવે, નહિ રક્ષે; માટે હે મૂઢમતિ ! તું ગોવિંદને ભજ,ગોવિન્દને ભજ, ગોવિંદને ભજ.
‘ડુકૃણ્ કરણે’ આ શબ્દોથી ‘કૃ’ ધાતુનો ‘કરવું’ અર્થ થાય છે એમ પાણિનિએ એમના ધાતુપાઠમાં નિરુપ્યું છે. ‘ડુકૃણ્ ‘માંનો ‘કૃ’ ભાગ જ કર્મ, ક્રિયા, કરણ વગેરે શબ્દોનું મૂળ છે. કોઇક સંન્યાસી કે વૃધ્ધ પુરુષ પાણિનિના ધાતુપાઠનું રટણ કરતાં’ડુકૃણ્ કરણે’એમ રટ્યા કરતો હતો. આચાર્યે નજીકમાં થી પસાર થતાં આ સાંભળ્યું અને રટનારની અવસ્થા પણ જોઇ. એમને થયું કે જિંદગીના અંત સુધી આમ ધાતુના અર્થનું જ રટણ કરવાથી અથવા એ અર્થાનુસાર કામનો ઢસરડો જ કરવાથી શું વળે? એમ કરવાથી તો મહામૂલી જિંદગીને વેડફી નાખવાનું થાય છે. આમ વિચારીને તેમણે રટનારને સંબોધી ‘ગોવિંદનું ભજન કર’ એવા ઉદ્ ગારો કાઢ્યા હશે.
આચાર્યે કોઇ વ્યક્તિવિશેષને શિખામણ અ આપી હોય કે ન આપી હોય, પણ સમગ્ર માનવજાતની સામે એમણે લાલબત્તી તો ધરી જ છે. કામ,કામ ને કામ કરતાં કરતાં જિંદગી પૂરી કરનારાઓ જો જગત્સૃષ્ટા, જગત્પાલક અને જગત્સંહર્તા પરમાત્માનો વિચાર જ ન કરે તો એમનું જીવન એળે ગયું સમજવું. મેં આ કર્યું ને તે કર્યું, એમ કામનું અભિમાન, જ્ઞાનવિજ્ઞાનનું અભિમાન કે જીવનની કહેવાતી સિધ્ધિઓનું અભિમાન, માણસને જીવનના ધ્યેય વિશે સાવ બેદરકાર બનાવે છે. આ બધી કહેવાતી લૌકિક સિધ્ધિઓ કાળનું તેડું આવે ત્યારે કાંઇ જ ખપ લાગતી નથી.એટલું જ નહિ પણ પોતે જેને આટાઅટલું મહત્ત્વ આપ્યું તે કર્યું—કારવ્યું ધૂળમાં મળી રહ્યું છે ને પોતે અકિંચન, અસહાય બની બધું છોડી જઇ રહ્યો છે, એ વિચાર જ, એનું મનોમંથન જ, મનુષ્યની અંતિમ ક્ષણો વ્યાકુળતાથી ભરી દે છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે, ને તે છે ગોવિંદનું ભજન કરવાનો. ગોવિંદનું જિંદગીભર મન, વચન અને કર્મથી કરેલું ભજન જ જીવને અભિમાનજન્ય ક્ષુલ્ક્કતાઓથી ઉગારે છે અને ગોવિંદનાં સ્મરણ ચિંતનના બળે પોતાના શાશ્વત સ્થાનમાં જવા માટે મરણને પણ ઉમળકાથી વધાવવાની પ્રેરણાઆપે છે.
પ્ર્ભુસ્મરણ વિનાના કર્મની આ રીતે નિરર્થકતા બતાવી, પછી આચાર્ય ધનના અનર્ગળ સંચયમાં રચ્યાપચ્યા રહેવાનાં દૂષણ તરફ ધ્યાન ખેંચતાં કહે છે: મૂઢ !જહીહિ ધનાગમતૃષ્ણાં કુરૂ સદ્ બુધ્ધિં મનસિ વિતૃષ્ણામ્ . યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ….2
“ હે મૂઢ ! ધનપ્રાપ્તિની તૃષ્ણા છોડ, મનને તૃષ્ણારહિત તેમ જ બુધ્ધિને સત્યનિષ્ઠાવાળી કર. પોતાના શ્રમથી જે કાંઇ પ્રાપ્ત થાય તેટલા ધનથી જ ચિત્તને સંતુષ્ટ રાખ.
હે મૂઢમતિ ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.”
ધ્નપ્રાપ્તિ પોતે અનર્થકારી નથી પણ તે માટેની અનર્ગળ તૃષ્ણા અનેક અનર્થોને જન્મ આપે છે. તૃષ્ણાનો કદી અંત આવતો નથી. તૃષ્ણાવાનને જે કંઇ મળે તે અપૂરતું જ લાગે છે. શરૂઆતમાં જે મળ્યાથી સુખ અને શાંતિની આશા હોય તે મળ્યા પછી વધુ ને વધુ ધન મેળવવાની તૃષ્ણા વિસ્તરતી જાય છે. પૂર્વકર્મોએ નિર્મેલું ભાગ્ય પણ ધનપ્રાપ્તિમાં કારણરૂપ હોય છે. અનેક પ્રયત્નો કરવા છતાંયે નશીબમાં ન હોય તે મળતું નથી, માટે ઉદ્યમ કરવાથી જે કાંઇ પ્રાપ્ત થાય એથી સંતોષ મેળવવો ને પ્રભુની ઇચ્છા પ્રમાણે જે મળે છે તે પૂરતું છે એમ માની અજંપો ન રાખવો, એમાં જ સાચું સુખ રહેલું છે. સંતોષામૃતતૃપ્તાનાં યત્સુખં શાંતચેતસામ્ . કુતસ્તધ્ધ્નલુબ્ધાનામિતશ્ચેતશ્ચધાવતમ્ .. સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે છે તે ધનના લોભથી આમતેમ રઝળપાટ કરનારાઓને ક્યાંથી મળે?
શ્રમથી મળેલા ધનથી જે સુખશાંતિ મળે છે તે કૂડકપટથી મળેલા ધનથી નથી મળતી. અન્યાયથી મેળવેલું ધન; ધન મેળવ્યનો ક્ષણિક આનંદ ભલે આપે, પણ અનેક વિટંબણાઓ સર્જે છેને ચિત્તને ઉપાધિઓથી ભરી દે છે. આખરે શાંતિ જ સુખ છે.જે ધન અશાંતિની હોળી સળગાવે તેને ને સુખને બાર ગાઉનું છેટું છે.’અશાંતસ્ય કુત: સુખમ્ .અશાંતને વળી સુખ કેવું?(ગીતા) અનર્ગળ ધનતૃષ્ણામાંથી અશાંતિ જ જન્મે છે. નારીસ્તનભરનાભિનિવેશં
મિથ્યા માયામોહાવેશમ્ .
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિંતય વારંવારમ્ ……3
“નારીના ભરાવદાર સ્તન અને મનોહર નાભિ વગેરેનું સૌંદર્ય માયામોહના મિથ્યા આવેશને જન્માવનાર છે. ભલા ! આ (નારી દેહ) તો માંસ અને ચરબી વગેરેનું પિંજર જ છે એમ મનમાં વારંવાર વિચાર કર અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” તૃષ્ણાની જેમ કામ પણ માણસની સુખશાંતિનો પરમ શત્રુ છે. ‘કામ’ એ શબ્દના ઘટક બે અવયવો છે; ‘ક’ અને ‘આમ’. ‘ક’ એટલે સુખ ને ‘આમ’ એટલે રોગ અથવા કાચું. જે ભોગ સુખરૂપે પ્રતીત થાય છે તે વાસ્તવમાં રોગ હોય છે. જે સુખ કાચું જ સુખ હોય તેને કામ કહે છે.કામનો ઉદ્ ભવ મોહને લીધે થાય છે. વસ્તુની યથાર્થતાનો વિચાર જેનાથી નષ્ટ થઇ જાય તેને મોહ કહે છે.સ્વભાવે નશ્વર અને પરિણામે જુગુપ્સાજનક વસ્તુમાં સૌંદર્ય અને સુખદાયીપણાનો વિચાર મોહને કારણે થાય છે. વિજાતીય વ્યક્તિ માટેના મોહમાંથી કામ પ્રગટે છે અને જડ દૃશ્યના આકર્ષણથી તૃષ્ણા જન્મે છે. આ બંને શાંતિના શત્રુઓ છે.
જેના માટે કામ અને તૃષ્ણા હોય તેનાં યથાર્થ ચિંતન—મનન તેની પોકળતાને છતી કરે છે, એના માટેનું ખેંચાણ નબળું પાડે છે ને અંતે એમાંથી છૂટવાનું સરળ બનાવે છે. માટે જ અહીં કામનું, વિષયનું અને એની પોકળતાનું વારંવાર ચિંતન કરવાનું જણાવાયું છે.
કામ જેટલો વિઘાતક પુરુષ માટે છે તેટલો જ સ્ત્રી માટે પણ છે. આચાર્યે પુરુષસમાજને ઉદ્દેશીને કહેલી વાત સ્ત્રીસમાજને પણ એટલી જ ઉપયોગી છે.
કામ પણ તૃષ્ણાની જેમ કદી તૃપ્તથતો નથી.કામની અતૃપ્તિમાંથી ક્રોધ જન્મે છે. જો ક્ષણિક તૃપ્તિ થાય તોયે વધુ ને વધુ ભડકતી તૃષ્ણા પાછીએ અતૃપ્તિ જ જન્માવે છે. કામને પ્રગટયા પછી રોકવાનું કઠણ છે, માટે એને જન્માવનાર દૃષ્ટિનો જ સંયમ થવો ઘટે.અનુચિત વસ્તુઓને જોવી તેમ જ અસદાચારીઓની સોબત કરવી, આ બંનેનો ત્યાગ કામથી બચવા માટે જરૂરી છે. અહીં જે કામને ત્યજવાનો ઉપદેશ છે તે ધર્મવિરુધ્ધ કામને લગતો છે. ધર્મને અનુરૂપ કામ પણ સંયમ ન હોય તો અનર્થકારી બની શકે છે. મોહના આવેગથી પેદા થતો કામ અનર્થરૂપ જ બને, કારણ કે તેમાં સંયમ થઇ શકતો નથી.ઇન્દ્રિયોના આવેગોના શમન વગર વિવેક, શાંતિ કે સુખ સંભવી શક્તાં નથી.
નલિનીદલગતજલમતિચપલં તદ્વત્જીવિતમતિશયચપલમ્ . વિદિધ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ ……4 ”કમળના પાન પર રહેલું જલબિંદુ જેવું અતિશય ચપળ, અસ્થિર હોય છે તેવું પ્રાણીનું જીવન પણ છે. માટે તું રોગ અને અભિમાનથી ગ્રસ્ત થયેલા બધા લોકોને શોકસંતપ્ત થયેલા જાણ-સમજ; અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” કમળના પાન પર નાચતું સોહામણું જલબિંદુ એની ક્ષણિક જિંદગીમાં આનન્દમગ્ન જણાય છે, જરાશી પવનની લહેર આવી કે એ પછડાટ ખાઇને લુપ્ત થઇ જાય છે. માનવજીવનનું પણ આવું જ છે. જોતજોતામાં એક પછી એક અવસ્થા વીતી જાય છે. બાળપણનો ઉલ્લાસ, યુવાનીનો તરવરાટ અને પ્રૌઢાવસ્થાની ગંભીરતા, બધુંયે વૃધ્ધાવસ્થામાં અને મરણમાં સરકી જાય છે.ઘડીમાં ખુશી તો ઘડીમાં ગમ. રાજા હો કે રંક,વિદ્યાવાન હો કે અભણ,ધનવાન હો કે નિર્ધન, દરેકના જીવનમાં તડકાછાંયડા આવે છે ને જાય છે. કોઇ પણ અવસ્થાને કાયમી માની એનું અભિમાન કરવું એ વિચારહીનતા છે. એક વિચારશીલ કવિએ જીવનની આ નશ્વરતાને આરીતે વર્ણવી છે: રાત્રિગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતં ભાસ્વાનુદેષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી:. ઇત્થં વિચિંતયતિ કોષગતે દ્વિરેફે, હા હંત ! હંત !નલિનીં ગજ ઉજ્જહાર… કમળપુષ્પની સુગંધનો ને રસનો લોલુપ ભમરો સુર્યાસ્ત થતાં કમળનો કેદી બને છે પણ એ આશાવાદી લોલુપ વિચારે છે: રાત જશે ને સોહામણું પ્રભાત ઊઘડશે, સૂર્ય ઊઘડતાં જ રળિયામણાં કમળો હાસ્યના ફુવારા ઉડાવશે.અર્થાત્ કમળ ઊઘડતાં હું મુક્ત બનીશ. પણ હાય ! એટલામાં તો એક મદમસ્ત બનેલો હાથી આવ્યો ને બીડેલા કમળને જ ઊખેડીને, પગથી ચગદી ચાલતો થયો. આશાઓના મિનારા ચણતા પ્રત્યેક માનવની આ જ સ્થિતિ છે. ‘ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત્ .’ એમ મહાભારત કહે છે: ’યમરાજ જાણે કે ચોટલી પકડીને ઊભો છે એમ સમજીને ધર્મ—પરમાર્થનું સેવન કરવું ઘટે.’
જીવનની નશ્વરતાના વિચારે દૈન્ય કે નિરાશાને પોષવાનું ઉચિત નથી. પરંતુ અનેક સુકૃત્યોનાં ફળ રૂપે આ મહામૂલું માનવજીવન મળ્યું છે તો એ દ્વારા લોકક્લ્યાણ કરતાં કરતાં પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો. જે કંઇ જન્મે છે તે જવા જ સર્જાયું છે, એમ સમજી વિરક્તિ તેમ જ અનાસક્તિને પોષવાં જોઇએ. આજીવનદૃષ્ટિ જ આચાર્યને અહીં અભિપ્રેત છે.
નોંધ:- કુલ 31 શ્લોકો છે તેમાંથી હપ્તે હપ્તે શ્લોકો મૂકવાનો વિચાર છે.
“ BHAJ GOVINDAM ”
ભજ ગોવિંદમ્
ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્
ગોવિન્દમ્ ભજ મૂઢમતે .
પ્રાપ્તે સન્નિહિતે મરણે
ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1 ટાંપી રહેલું મરણ જ્યારે ઝડપી લેશે ત્યારે તારું આ ‘ડુકૃણ્ કરણે’તને નહિ બચાવે, નહિ રક્ષે; માટે હે મૂઢમતિ ! તું ગોવિંદને ભજ,ગોવિન્દને ભજ, ગોવિંદને ભજ.
‘ડુકૃણ્ કરણે’ આ શબ્દોથી ‘કૃ’ ધાતુનો ‘કરવું’ અર્થ થાય છે એમ પાણિનિએ એમના ધાતુપાઠમાં નિરુપ્યું છે. ‘ડુકૃણ્ ‘માંનો ‘કૃ’ ભાગ જ કર્મ, ક્રિયા, કરણ વગેરે શબ્દોનું મૂળ છે. કોઇક સંન્યાસી કે વૃધ્ધ પુરુષ પાણિનિના ધાતુપાઠનું રટણ કરતાં’ડુકૃણ્ કરણે’એમ રટ્યા કરતો હતો. આચાર્યે નજીકમાં થી પસાર થતાં આ સાંભળ્યું અને રટનારની અવસ્થા પણ જોઇ. એમને થયું કે જિંદગીના અંત સુધી આમ ધાતુના અર્થનું જ રટણ કરવાથી અથવા એ અર્થાનુસાર કામનો ઢસરડો જ કરવાથી શું વળે? એમ કરવાથી તો મહામૂલી જિંદગીને વેડફી નાખવાનું થાય છે. આમ વિચારીને તેમણે રટનારને સંબોધી ‘ગોવિંદનું ભજન કર’ એવા ઉદ્ ગારો કાઢ્યા હશે.
આચાર્યે કોઇ વ્યક્તિવિશેષને શિખામણ અ આપી હોય કે ન આપી હોય, પણ સમગ્ર માનવજાતની સામે એમણે લાલબત્તી તો ધરી જ છે. કામ,કામ ને કામ કરતાં કરતાં જિંદગી પૂરી કરનારાઓ જો જગત્સૃષ્ટા, જગત્પાલક અને જગત્સંહર્તા પરમાત્માનો વિચાર જ ન કરે તો એમનું જીવન એળે ગયું સમજવું. મેં આ કર્યું ને તે કર્યું, એમ કામનું અભિમાન, જ્ઞાનવિજ્ઞાનનું અભિમાન કે જીવનની કહેવાતી સિધ્ધિઓનું અભિમાન, માણસને જીવનના ધ્યેય વિશે સાવ બેદરકાર બનાવે છે. આ બધી કહેવાતી લૌકિક સિધ્ધિઓ કાળનું તેડું આવે ત્યારે કાંઇ જ ખપ લાગતી નથી.એટલું જ નહિ પણ પોતે જેને આટાઅટલું મહત્ત્વ આપ્યું તે કર્યું—કારવ્યું ધૂળમાં મળી રહ્યું છે ને પોતે અકિંચન, અસહાય બની બધું છોડી જઇ રહ્યો છે, એ વિચાર જ, એનું મનોમંથન જ, મનુષ્યની અંતિમ ક્ષણો વ્યાકુળતાથી ભરી દે છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે, ને તે છે ગોવિંદનું ભજન કરવાનો. ગોવિંદનું જિંદગીભર મન, વચન અને કર્મથી કરેલું ભજન જ જીવને અભિમાનજન્ય ક્ષુલ્ક્કતાઓથી ઉગારે છે અને ગોવિંદનાં સ્મરણ ચિંતનના બળે પોતાના શાશ્વત સ્થાનમાં જવા માટે મરણને પણ ઉમળકાથી વધાવવાની પ્રેરણાઆપે છે.
પ્ર્ભુસ્મરણ વિનાના કર્મની આ રીતે નિરર્થકતા બતાવી, પછી આચાર્ય ધનના અનર્ગળ સંચયમાં રચ્યાપચ્યા રહેવાનાં દૂષણ તરફ ધ્યાન ખેંચતાં કહે છે: મૂઢ !જહીહિ ધનાગમતૃષ્ણાં કુરૂ સદ્ બુધ્ધિં મનસિ વિતૃષ્ણામ્ . યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ….2
“ હે મૂઢ ! ધનપ્રાપ્તિની તૃષ્ણા છોડ, મનને તૃષ્ણારહિત તેમ જ બુધ્ધિને સત્યનિષ્ઠાવાળી કર. પોતાના શ્રમથી જે કાંઇ પ્રાપ્ત થાય તેટલા ધનથી જ ચિત્તને સંતુષ્ટ રાખ.
હે મૂઢમતિ ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.”
ધ્નપ્રાપ્તિ પોતે અનર્થકારી નથી પણ તે માટેની અનર્ગળ તૃષ્ણા અનેક અનર્થોને જન્મ આપે છે. તૃષ્ણાનો કદી અંત આવતો નથી. તૃષ્ણાવાનને જે કંઇ મળે તે અપૂરતું જ લાગે છે. શરૂઆતમાં જે મળ્યાથી સુખ અને શાંતિની આશા હોય તે મળ્યા પછી વધુ ને વધુ ધન મેળવવાની તૃષ્ણા વિસ્તરતી જાય છે. પૂર્વકર્મોએ નિર્મેલું ભાગ્ય પણ ધનપ્રાપ્તિમાં કારણરૂપ હોય છે. અનેક પ્રયત્નો કરવા છતાંયે નશીબમાં ન હોય તે મળતું નથી, માટે ઉદ્યમ કરવાથી જે કાંઇ પ્રાપ્ત થાય એથી સંતોષ મેળવવો ને પ્રભુની ઇચ્છા પ્રમાણે જે મળે છે તે પૂરતું છે એમ માની અજંપો ન રાખવો, એમાં જ સાચું સુખ રહેલું છે. સંતોષામૃતતૃપ્તાનાં યત્સુખં શાંતચેતસામ્ . કુતસ્તધ્ધ્નલુબ્ધાનામિતશ્ચેતશ્ચધાવતમ્ .. સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે છે તે ધનના લોભથી આમતેમ રઝળપાટ કરનારાઓને ક્યાંથી મળે?
શ્રમથી મળેલા ધનથી જે સુખશાંતિ મળે છે તે કૂડકપટથી મળેલા ધનથી નથી મળતી. અન્યાયથી મેળવેલું ધન; ધન મેળવ્યનો ક્ષણિક આનંદ ભલે આપે, પણ અનેક વિટંબણાઓ સર્જે છેને ચિત્તને ઉપાધિઓથી ભરી દે છે. આખરે શાંતિ જ સુખ છે.જે ધન અશાંતિની હોળી સળગાવે તેને ને સુખને બાર ગાઉનું છેટું છે.’અશાંતસ્ય કુત: સુખમ્ .અશાંતને વળી સુખ કેવું?(ગીતા) અનર્ગળ ધનતૃષ્ણામાંથી અશાંતિ જ જન્મે છે. નારીસ્તનભરનાભિનિવેશં
મિથ્યા માયામોહાવેશમ્ .
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિંતય વારંવારમ્ ……3
“નારીના ભરાવદાર સ્તન અને મનોહર નાભિ વગેરેનું સૌંદર્ય માયામોહના મિથ્યા આવેશને જન્માવનાર છે. ભલા ! આ (નારી દેહ) તો માંસ અને ચરબી વગેરેનું પિંજર જ છે એમ મનમાં વારંવાર વિચાર કર અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” તૃષ્ણાની જેમ કામ પણ માણસની સુખશાંતિનો પરમ શત્રુ છે. ‘કામ’ એ શબ્દના ઘટક બે અવયવો છે; ‘ક’ અને ‘આમ’. ‘ક’ એટલે સુખ ને ‘આમ’ એટલે રોગ અથવા કાચું. જે ભોગ સુખરૂપે પ્રતીત થાય છે તે વાસ્તવમાં રોગ હોય છે. જે સુખ કાચું જ સુખ હોય તેને કામ કહે છે.કામનો ઉદ્ ભવ મોહને લીધે થાય છે. વસ્તુની યથાર્થતાનો વિચાર જેનાથી નષ્ટ થઇ જાય તેને મોહ કહે છે.સ્વભાવે નશ્વર અને પરિણામે જુગુપ્સાજનક વસ્તુમાં સૌંદર્ય અને સુખદાયીપણાનો વિચાર મોહને કારણે થાય છે. વિજાતીય વ્યક્તિ માટેના મોહમાંથી કામ પ્રગટે છે અને જડ દૃશ્યના આકર્ષણથી તૃષ્ણા જન્મે છે. આ બંને શાંતિના શત્રુઓ છે.
જેના માટે કામ અને તૃષ્ણા હોય તેનાં યથાર્થ ચિંતન—મનન તેની પોકળતાને છતી કરે છે, એના માટેનું ખેંચાણ નબળું પાડે છે ને અંતે એમાંથી છૂટવાનું સરળ બનાવે છે. માટે જ અહીં કામનું, વિષયનું અને એની પોકળતાનું વારંવાર ચિંતન કરવાનું જણાવાયું છે.
કામ જેટલો વિઘાતક પુરુષ માટે છે તેટલો જ સ્ત્રી માટે પણ છે. આચાર્યે પુરુષસમાજને ઉદ્દેશીને કહેલી વાત સ્ત્રીસમાજને પણ એટલી જ ઉપયોગી છે.
કામ પણ તૃષ્ણાની જેમ કદી તૃપ્તથતો નથી.કામની અતૃપ્તિમાંથી ક્રોધ જન્મે છે. જો ક્ષણિક તૃપ્તિ થાય તોયે વધુ ને વધુ ભડકતી તૃષ્ણા પાછીએ અતૃપ્તિ જ જન્માવે છે. કામને પ્રગટયા પછી રોકવાનું કઠણ છે, માટે એને જન્માવનાર દૃષ્ટિનો જ સંયમ થવો ઘટે.અનુચિત વસ્તુઓને જોવી તેમ જ અસદાચારીઓની સોબત કરવી, આ બંનેનો ત્યાગ કામથી બચવા માટે જરૂરી છે. અહીં જે કામને ત્યજવાનો ઉપદેશ છે તે ધર્મવિરુધ્ધ કામને લગતો છે. ધર્મને અનુરૂપ કામ પણ સંયમ ન હોય તો અનર્થકારી બની શકે છે. મોહના આવેગથી પેદા થતો કામ અનર્થરૂપ જ બને, કારણ કે તેમાં સંયમ થઇ શકતો નથી.ઇન્દ્રિયોના આવેગોના શમન વગર વિવેક, શાંતિ કે સુખ સંભવી શક્તાં નથી.
નલિનીદલગતજલમતિચપલં તદ્વત્જીવિતમતિશયચપલમ્ . વિદિધ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ ……4 ”કમળના પાન પર રહેલું જલબિંદુ જેવું અતિશય ચપળ, અસ્થિર હોય છે તેવું પ્રાણીનું જીવન પણ છે. માટે તું રોગ અને અભિમાનથી ગ્રસ્ત થયેલા બધા લોકોને શોકસંતપ્ત થયેલા જાણ-સમજ; અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” કમળના પાન પર નાચતું સોહામણું જલબિંદુ એની ક્ષણિક જિંદગીમાં આનન્દમગ્ન જણાય છે, જરાશી પવનની લહેર આવી કે એ પછડાટ ખાઇને લુપ્ત થઇ જાય છે. માનવજીવનનું પણ આવું જ છે. જોતજોતામાં એક પછી એક અવસ્થા વીતી જાય છે. બાળપણનો ઉલ્લાસ, યુવાનીનો તરવરાટ અને પ્રૌઢાવસ્થાની ગંભીરતા, બધુંયે વૃધ્ધાવસ્થામાં અને મરણમાં સરકી જાય છે.ઘડીમાં ખુશી તો ઘડીમાં ગમ. રાજા હો કે રંક,વિદ્યાવાન હો કે અભણ,ધનવાન હો કે નિર્ધન, દરેકના જીવનમાં તડકાછાંયડા આવે છે ને જાય છે. કોઇ પણ અવસ્થાને કાયમી માની એનું અભિમાન કરવું એ વિચારહીનતા છે. એક વિચારશીલ કવિએ જીવનની આ નશ્વરતાને આરીતે વર્ણવી છે: રાત્રિગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતં ભાસ્વાનુદેષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી:. ઇત્થં વિચિંતયતિ કોષગતે દ્વિરેફે, હા હંત ! હંત !નલિનીં ગજ ઉજ્જહાર… કમળપુષ્પની સુગંધનો ને રસનો લોલુપ ભમરો સુર્યાસ્ત થતાં કમળનો કેદી બને છે પણ એ આશાવાદી લોલુપ વિચારે છે: રાત જશે ને સોહામણું પ્રભાત ઊઘડશે, સૂર્ય ઊઘડતાં જ રળિયામણાં કમળો હાસ્યના ફુવારા ઉડાવશે.અર્થાત્ કમળ ઊઘડતાં હું મુક્ત બનીશ. પણ હાય ! એટલામાં તો એક મદમસ્ત બનેલો હાથી આવ્યો ને બીડેલા કમળને જ ઊખેડીને, પગથી ચગદી ચાલતો થયો. આશાઓના મિનારા ચણતા પ્રત્યેક માનવની આ જ સ્થિતિ છે. ‘ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત્ .’ એમ મહાભારત કહે છે: ’યમરાજ જાણે કે ચોટલી પકડીને ઊભો છે એમ સમજીને ધર્મ—પરમાર્થનું સેવન કરવું ઘટે.’
જીવનની નશ્વરતાના વિચારે દૈન્ય કે નિરાશાને પોષવાનું ઉચિત નથી. પરંતુ અનેક સુકૃત્યોનાં ફળ રૂપે આ મહામૂલું માનવજીવન મળ્યું છે તો એ દ્વારા લોકક્લ્યાણ કરતાં કરતાં પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો. જે કંઇ જન્મે છે તે જવા જ સર્જાયું છે, એમ સમજી વિરક્તિ તેમ જ અનાસક્તિને પોષવાં જોઇએ. આજીવનદૃષ્ટિ જ આચાર્યને અહીં અભિપ્રેત છે.
નોંધ:- કુલ 31 શ્લોકો છે તેમાંથી હપ્તે હપ્તે શ્લોકો મૂકવાનો વિચાર છે.