Feeds:
Posts
Comments

bhaj govindam -2

 સત્સંગ્ત્વે નિસ્સંગત્વં

નિસ્સંગત્વે નિર્મોહત્વમ્ . 

નિર્મોહત્વે નિશ્ચલચિત્તં  

નિશ્ચલચિત્તે જીવનમુક્તિ: …..

 

જ્યારે મનુષ્ય સંતોનો સંગ કરે છે ત્યારે એ નિ:સંગઅનાસક્ત બને છે.અનાસક્તિથી મોહમુક્તિ થાય છે. મોહ ટળી જ્તાં ચિત્ત નિશ્ચલસ્થિર થાય છે,ને ચિત્તની નિશ્ચલતા થતાં  જીવન્મુક્તિ મળે છે. 

સંગ માનવના ઘડતરમાં અગ્ત્યનો ભાગ ભજવે છે. જન્મે બ્રાહ્મણ હોવા છતાં વાલ્મીકિ લૂંટારાઓની સોબતમાં લૂંટારા બન્યા.તેઓ અનેકની હત્યા કરવામાં રાચતા હ્તા. નારદ વગેરે સંતમહાત્માઓની સોબત થતાં એ જ ક્રૂર વાલ્મીકિ અમર ભક્તકવિ અને સંત બન્યા.સંગનો રંગ લાગ્યા વિના રહેતો નથી.સંતનો સંગ નશ્વર વસ્તુઓની નિરર્થકતા સમજાવે છે.આસક્તિનું મૂળ મોહ છે.આસક્તિ નિર્મૂળ થતાં મોહનો ઉચ્છેદ સરળ બની જાય છે.મોહ ટળતાં ચિત્ત સ્થિર ય્હાય છે. મોહ ચિત્તને મૂઢ બનાવી જ્યાં ત્યાં ભટકાવે છે. મોહ જેને માટે હોય તે પદાર્થનું ઉપલકિયું આકર્ષણ આસક્તિ જન્માવે છે.આસક્તિ નિર્મૂળ બનતાં મોહ પણ નિર્મૂળ બને છે. મોહ અને આસક્તિ પરસ્પરનાં પોષક છે. એક બળવાન બને તો બીજું પણ ફૂલેફાલે અને એકનો વિવેકપૂર્વક ઉચ્છેદ કરતાં બીજાનોયે ઉચ્છેદ સરળ બને.

વસ્તુના યથાર્થદર્શનમાં ચિત્તની સ્થિરતા સર્વથા જરૂરી છે.
નિશ્ચલ ચિત્ત વિવેક અને વૈરાગ્યને પ્રગટાવે છે. વિવેક
વૈરાગ્યની ઉપલબ્ધિ સાંસારિક બંધનોની જડ ઉખાડી  નાખે છે.હંમેશાં આત્મા વિષે સભાન રહેવું ને ચારે તરફ લહેરાતાં સાંસારિક ભાવો પ્રત્યે અસંગભાવ ધરવો, એનું જ નામ જીવન્મુક્તિ. જીવનના સર્વ વ્યવહારો ચાલતા રહે છતાંએ કોઇ પણ વિષય પર આસક્તિ ન રહે, તેને જીવનમુક્તિ કહેવાય. સમુદ્ર પર તરંગો ઊઠે ને શમી જાય છે., પરંતુ સમુદ્ર જેમનો તેમ રહે છે.તેમ સુખદુ:ખ આવે ને જાય, પણ તેથી જેનું ચિત્ત ક્ષુબ્ધ થતું નથી  તે જીવનમુક્ત મહાત્મા છે. માનવજીવનના પરમ ઉત્કર્ષની સ્થિતિ  સુધી લઇ જનાર છે સત્સંગ. માટે જ સંગ કરતાં ખૂબ સાવધાન રહેવું અને સચ્ચરિત્ર સજ્જનોનો, સંતપુરુષોનો જ સંગ કરવો ઘટે.

વયસિ ગતે ક: કામ વિકાર: ?

      શુષ્કે નીરે ક: કાસાર: ?

ક્ષીણે વિત્તે ક: પરિવાર: ?

           જ્ઞાતે તત્ત્વે ક: સંસાર: ?……

 

યુવાની વીતી જતાં કામવિકાર ક્યાં રહેશે?નીર સુકાઇ જતાં

તળાવનું તળાવપણું ક્યાં રહે છે? વિત્ત નષ્ટ થતાં પરિવાર કેવો? ને તત્ત્વજ્ઞાન થતાં સંસાર કેવો ?

ગ હડપણ આવતાં યુવાનીને સુલભ કામાદિ વિકારો જેમ આપમેળે  શમી જાયછે, પાણી સુકાઇઅ જતાં તળાવ જેમ શુષ્ક જમીન માત્ર બની રહે છે ને એના કમળ અને પશુપંખીઓનો સહચાર આટોપાઇ જાય છે, જેમ ગરીબી આવી પડતાં કહેવાતાં સ્વજનો અને મિત્રો વગેરેનો મીઠો વ્યવહાર છૂ થઇ જાય છે; તેમ આત્મતત્ત્વનું જ્ઞાન થતાં સંસાર પણ આપોઆપ સરી જાય છે.

જ્યાંસુધી સંસારની વાસનાઓ સતાવતી હોય ત્યાંસુધી જ લાભહાનિના વિચારે થતો હર્ષ કે અસંતોષ સતાવે છે. ચિત્ત અંતર્મુખ બની સર્વ સુખના ઉદ્ ગમસ્ત્રોતઆત્માનું દર્શન કરે ત્યારે બહારની વસ્તુઓનું આકર્ષણ આપોઆપ શમી જાય છે. આ સ્થિતિ વિષયાસક્તિની નિરર્થકતાઅને આત્મદર્શનની મહત્તાની પાકી સમજમાંથી જ પેદા થાય છે. ગ્રંથનું અધ્યયન, કથાદિશ્રવણ, જપતપ વગેરે જો અંતર્મુખતા, વિષયો પ્રત્યેની અનાસક્તિ અને સર્વાત્મભાવને ન પોષે તો તેમની સાર્થકતા નથી.

યુવાનીમાં મન બળવાન હોય છે. ત્યારે જો તેને શુભસંક્લ્પોથી ભરી દેવાય તો જ વૃધ્ધાવસ્થામાં પણ તેને વિવેક સાથે વિનિયોગ ન થાય તો શક્તિઓનો બેફામ વેડફાટ થાય છે. પરિણામે આસક્તિ ભડભડતીહોય પણ ઇન્દ્રિયોની ભોગશક્તિ ન હોય એવી વૃધ્ધાવસ્થાનાં મંડાણ અથતાં પહેલાં જ તેને અનુરૂપ ચિત્તવૃત્તિ કેળવાય તો જ સંતાપને બદલે સમાધાનનો અનુભવ થાય.

 

ધન,સંબંધીઓ અને યૌવનનો ગર્વ ન કર. એ બધાં આંખના પલકારામાં કાળનો કોળિયો થઇ જાય છે. આ બધું માયામય છે એમ સમજી, એમને ત્યાગી, તું બ્રહ્મપદમાં પ્રવેશ કર.

ધન,અનેક પ્રકારના સંબંધો  તેમ જ યૌવન વિષે સમજપૂર્વક વ્યવહાર કરવો ઘટે. ધન સાવ અસ્થિર છે એ અનેક દાખલાઓ દ્વારા જોવા મળે છે. સંબંધો પણ અસ્થિર છે. આજે જે સ્વજન કે મિત્ર હોય તે કાલે એકદમ સામે પાટલે જઇ બેસે એવું પણ બને. યુવાની જોતજોતામાં વીતી જાય છે, કાળ આ બધાને દાઢમાં લઇને જ બેઠો છે,એવું ભાન સતત રહેવું  જોઇએ. મહાભારત કહે છે કે

ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત્ .

 

 

 

bhaj govindam

“ BHAJ GOVINDAM ”
ભજ ગોવિંદમ્
ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્
ગોવિન્દમ્ ભજ મૂઢમતે .
પ્રાપ્તે સન્નિહિતે મરણે
ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1 ટાંપી રહેલું મરણ જ્યારે ઝડપી લેશે ત્યારે તારું આ ‘ડુકૃણ્ કરણે’તને નહિ બચાવે, નહિ રક્ષે; માટે હે મૂઢમતિ ! તું ગોવિંદને ભજ,ગોવિન્દને ભજ, ગોવિંદને ભજ.

‘ડુકૃણ્ કરણે’ આ શબ્દોથી ‘કૃ’ ધાતુનો ‘કરવું’ અર્થ થાય છે એમ પાણિનિએ એમના ધાતુપાઠમાં નિરુપ્યું છે. ‘ડુકૃણ્ ‘માંનો ‘કૃ’ ભાગ જ કર્મ, ક્રિયા, કરણ વગેરે શબ્દોનું મૂળ છે. કોઇક સંન્યાસી કે વૃધ્ધ પુરુષ પાણિનિના ધાતુપાઠનું રટણ કરતાં’ડુકૃણ્ કરણે’એમ રટ્યા કરતો હતો. આચાર્યે નજીકમાં થી પસાર થતાં આ સાંભળ્યું અને રટનારની અવસ્થા પણ જોઇ. એમને થયું કે જિંદગીના અંત સુધી આમ ધાતુના અર્થનું જ રટણ કરવાથી અથવા એ અર્થાનુસાર કામનો ઢસરડો જ કરવાથી શું વળે? એમ કરવાથી તો મહામૂલી જિંદગીને વેડફી નાખવાનું થાય છે. આમ વિચારીને તેમણે રટનારને સંબોધી ‘ગોવિંદનું ભજન કર’ એવા ઉદ્ ગારો કાઢ્યા હશે.
આચાર્યે કોઇ વ્યક્તિવિશેષને શિખામણ અ આપી હોય કે ન આપી હોય, પણ સમગ્ર માનવજાતની સામે એમણે લાલબત્તી તો ધરી જ છે. કામ,કામ ને કામ કરતાં કરતાં જિંદગી પૂરી કરનારાઓ જો જગત્સૃષ્ટા, જગત્પાલક અને જગત્સંહર્તા પરમાત્માનો વિચાર જ ન કરે તો એમનું જીવન એળે ગયું સમજવું. મેં આ કર્યું ને તે કર્યું, એમ કામનું અભિમાન, જ્ઞાનવિજ્ઞાનનું અભિમાન કે જીવનની કહેવાતી સિધ્ધિઓનું અભિમાન, માણસને જીવનના ધ્યેય વિશે સાવ બેદરકાર બનાવે છે. આ બધી કહેવાતી લૌકિક સિધ્ધિઓ કાળનું તેડું આવે ત્યારે કાંઇ જ ખપ લાગતી નથી.એટલું જ નહિ પણ પોતે જેને આટાઅટલું મહત્ત્વ આપ્યું તે કર્યું—કારવ્યું ધૂળમાં મળી રહ્યું છે ને પોતે અકિંચન, અસહાય બની બધું છોડી જઇ રહ્યો છે, એ વિચાર જ, એનું મનોમંથન જ, મનુષ્યની અંતિમ ક્ષણો વ્યાકુળતાથી ભરી દે છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે, ને તે છે ગોવિંદનું ભજન કરવાનો. ગોવિંદનું જિંદગીભર મન, વચન અને કર્મથી કરેલું ભજન જ જીવને અભિમાનજન્ય ક્ષુલ્ક્કતાઓથી ઉગારે છે અને ગોવિંદનાં સ્મરણ ચિંતનના બળે પોતાના શાશ્વત સ્થાનમાં જવા માટે મરણને પણ ઉમળકાથી વધાવવાની પ્રેરણાઆપે છે.
પ્ર્ભુસ્મરણ વિનાના કર્મની આ રીતે નિરર્થકતા બતાવી, પછી આચાર્ય ધનના અનર્ગળ સંચયમાં રચ્યાપચ્યા રહેવાનાં દૂષણ તરફ ધ્યાન ખેંચતાં કહે છે: મૂઢ !જહીહિ ધનાગમતૃષ્ણાં કુરૂ સદ્ બુધ્ધિં મનસિ વિતૃષ્ણામ્ . યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ….2
“ હે મૂઢ ! ધનપ્રાપ્તિની તૃષ્ણા છોડ, મનને તૃષ્ણારહિત તેમ જ બુધ્ધિને સત્યનિષ્ઠાવાળી કર. પોતાના શ્રમથી જે કાંઇ પ્રાપ્ત થાય તેટલા ધનથી જ ચિત્તને સંતુષ્ટ રાખ.
હે મૂઢમતિ ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.”
ધ્નપ્રાપ્તિ પોતે અનર્થકારી નથી પણ તે માટેની અનર્ગળ તૃષ્ણા અનેક અનર્થોને જન્મ આપે છે. તૃષ્ણાનો કદી અંત આવતો નથી. તૃષ્ણાવાનને જે કંઇ મળે તે અપૂરતું જ લાગે છે. શરૂઆતમાં જે મળ્યાથી સુખ અને શાંતિની આશા હોય તે મળ્યા પછી વધુ ને વધુ ધન મેળવવાની તૃષ્ણા વિસ્તરતી જાય છે. પૂર્વકર્મોએ નિર્મેલું ભાગ્ય પણ ધનપ્રાપ્તિમાં કારણરૂપ હોય છે. અનેક પ્રયત્નો કરવા છતાંયે નશીબમાં ન હોય તે મળતું નથી, માટે ઉદ્યમ કરવાથી જે કાંઇ પ્રાપ્ત થાય એથી સંતોષ મેળવવો ને પ્રભુની ઇચ્છા પ્રમાણે જે મળે છે તે પૂરતું છે એમ માની અજંપો ન રાખવો, એમાં જ સાચું સુખ રહેલું છે. સંતોષામૃતતૃપ્તાનાં યત્સુખં શાંતચેતસામ્ . કુતસ્તધ્ધ્નલુબ્ધાનામિતશ્ચેતશ્ચધાવતમ્ .. સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે છે તે ધનના લોભથી આમતેમ રઝળપાટ કરનારાઓને ક્યાંથી મળે?
શ્રમથી મળેલા ધનથી જે સુખશાંતિ મળે છે તે કૂડકપટથી મળેલા ધનથી નથી મળતી. અન્યાયથી મેળવેલું ધન; ધન મેળવ્યનો ક્ષણિક આનંદ ભલે આપે, પણ અનેક વિટંબણાઓ સર્જે છેને ચિત્તને ઉપાધિઓથી ભરી દે છે. આખરે શાંતિ જ સુખ છે.જે ધન અશાંતિની હોળી સળગાવે તેને ને સુખને બાર ગાઉનું છેટું છે.’અશાંતસ્ય કુત: સુખમ્ .અશાંતને વળી સુખ કેવું?(ગીતા) અનર્ગળ ધનતૃષ્ણામાંથી અશાંતિ જ જન્મે છે. નારીસ્તનભરનાભિનિવેશં
મિથ્યા માયામોહાવેશમ્ .
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિંતય વારંવારમ્ ……3
“નારીના ભરાવદાર સ્તન અને મનોહર નાભિ વગેરેનું સૌંદર્ય માયામોહના મિથ્યા આવેશને જન્માવનાર છે. ભલા ! આ (નારી દેહ) તો માંસ અને ચરબી વગેરેનું પિંજર જ છે એમ મનમાં વારંવાર વિચાર કર અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” તૃષ્ણાની જેમ કામ પણ માણસની સુખશાંતિનો પરમ શત્રુ છે. ‘કામ’ એ શબ્દના ઘટક બે અવયવો છે; ‘ક’ અને ‘આમ’. ‘ક’ એટલે સુખ ને ‘આમ’ એટલે રોગ અથવા કાચું. જે ભોગ સુખરૂપે પ્રતીત થાય છે તે વાસ્તવમાં રોગ હોય છે. જે સુખ કાચું જ સુખ હોય તેને કામ કહે છે.કામનો ઉદ્ ભવ મોહને લીધે થાય છે. વસ્તુની યથાર્થતાનો વિચાર જેનાથી નષ્ટ થઇ જાય તેને મોહ કહે છે.સ્વભાવે નશ્વર અને પરિણામે જુગુપ્સાજનક વસ્તુમાં સૌંદર્ય અને સુખદાયીપણાનો વિચાર મોહને કારણે થાય છે. વિજાતીય વ્યક્તિ માટેના મોહમાંથી કામ પ્રગટે છે અને જડ દૃશ્યના આકર્ષણથી તૃષ્ણા જન્મે છે. આ બંને શાંતિના શત્રુઓ છે.
જેના માટે કામ અને તૃષ્ણા હોય તેનાં યથાર્થ ચિંતન—મનન તેની પોકળતાને છતી કરે છે, એના માટેનું ખેંચાણ નબળું પાડે છે ને અંતે એમાંથી છૂટવાનું સરળ બનાવે છે. માટે જ અહીં કામનું, વિષયનું અને એની પોકળતાનું વારંવાર ચિંતન કરવાનું જણાવાયું છે.
કામ જેટલો વિઘાતક પુરુષ માટે છે તેટલો જ સ્ત્રી માટે પણ છે. આચાર્યે પુરુષસમાજને ઉદ્દેશીને કહેલી વાત સ્ત્રીસમાજને પણ એટલી જ ઉપયોગી છે.
કામ પણ તૃષ્ણાની જેમ કદી તૃપ્તથતો નથી.કામની અતૃપ્તિમાંથી ક્રોધ જન્મે છે. જો ક્ષણિક તૃપ્તિ થાય તોયે વધુ ને વધુ ભડકતી તૃષ્ણા પાછીએ અતૃપ્તિ જ જન્માવે છે. કામને પ્રગટયા પછી રોકવાનું કઠણ છે, માટે એને જન્માવનાર દૃષ્ટિનો જ સંયમ થવો ઘટે.અનુચિત વસ્તુઓને જોવી તેમ જ અસદાચારીઓની સોબત કરવી, આ બંનેનો ત્યાગ કામથી બચવા માટે જરૂરી છે. અહીં જે કામને ત્યજવાનો ઉપદેશ છે તે ધર્મવિરુધ્ધ કામને લગતો છે. ધર્મને અનુરૂપ કામ પણ સંયમ ન હોય તો અનર્થકારી બની શકે છે. મોહના આવેગથી પેદા થતો કામ અનર્થરૂપ જ બને, કારણ કે તેમાં સંયમ થઇ શકતો નથી.ઇન્દ્રિયોના આવેગોના શમન વગર વિવેક, શાંતિ કે સુખ સંભવી શક્તાં નથી.
નલિનીદલગતજલમતિચપલં તદ્વત્જીવિતમતિશયચપલમ્ . વિદિધ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ ……4 ”કમળના પાન પર રહેલું જલબિંદુ જેવું અતિશય ચપળ, અસ્થિર હોય છે તેવું પ્રાણીનું જીવન પણ છે. માટે તું રોગ અને અભિમાનથી ગ્રસ્ત થયેલા બધા લોકોને શોકસંતપ્ત થયેલા જાણ-સમજ; અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” કમળના પાન પર નાચતું સોહામણું જલબિંદુ એની ક્ષણિક જિંદગીમાં આનન્દમગ્ન જણાય છે, જરાશી પવનની લહેર આવી કે એ પછડાટ ખાઇને લુપ્ત થઇ જાય છે. માનવજીવનનું પણ આવું જ છે. જોતજોતામાં એક પછી એક અવસ્થા વીતી જાય છે. બાળપણનો ઉલ્લાસ, યુવાનીનો તરવરાટ અને પ્રૌઢાવસ્થાની ગંભીરતા, બધુંયે વૃધ્ધાવસ્થામાં અને મરણમાં સરકી જાય છે.ઘડીમાં ખુશી તો ઘડીમાં ગમ. રાજા હો કે રંક,વિદ્યાવાન હો કે અભણ,ધનવાન હો કે નિર્ધન, દરેકના જીવનમાં તડકાછાંયડા આવે છે ને જાય છે. કોઇ પણ અવસ્થાને કાયમી માની એનું અભિમાન કરવું એ વિચારહીનતા છે. એક વિચારશીલ કવિએ જીવનની આ નશ્વરતાને આરીતે વર્ણવી છે: રાત્રિગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતં ભાસ્વાનુદેષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી:. ઇત્થં વિચિંતયતિ કોષગતે દ્વિરેફે, હા હંત ! હંત !નલિનીં ગજ ઉજ્જહાર… કમળપુષ્પની સુગંધનો ને રસનો લોલુપ ભમરો સુર્યાસ્ત થતાં કમળનો કેદી બને છે પણ એ આશાવાદી લોલુપ વિચારે છે: રાત જશે ને સોહામણું પ્રભાત ઊઘડશે, સૂર્ય ઊઘડતાં જ રળિયામણાં કમળો હાસ્યના ફુવારા ઉડાવશે.અર્થાત્ કમળ ઊઘડતાં હું મુક્ત બનીશ. પણ હાય ! એટલામાં તો એક મદમસ્ત બનેલો હાથી આવ્યો ને બીડેલા કમળને જ ઊખેડીને, પગથી ચગદી ચાલતો થયો. આશાઓના મિનારા ચણતા પ્રત્યેક માનવની આ જ સ્થિતિ છે. ‘ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત્ .’ એમ મહાભારત કહે છે: ’યમરાજ જાણે કે ચોટલી પકડીને ઊભો છે એમ સમજીને ધર્મ—પરમાર્થનું સેવન કરવું ઘટે.’
જીવનની નશ્વરતાના વિચારે દૈન્ય કે નિરાશાને પોષવાનું ઉચિત નથી. પરંતુ અનેક સુકૃત્યોનાં ફળ રૂપે આ મહામૂલું માનવજીવન મળ્યું છે તો એ દ્વારા લોકક્લ્યાણ કરતાં કરતાં પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો. જે કંઇ જન્મે છે તે જવા જ સર્જાયું છે, એમ સમજી વિરક્તિ તેમ જ અનાસક્તિને પોષવાં જોઇએ. આજીવનદૃષ્ટિ જ આચાર્યને અહીં અભિપ્રેત છે.
નોંધ:- કુલ 31 શ્લોકો છે તેમાંથી હપ્તે હપ્તે શ્લોકો મૂકવાનો વિચાર છે.
“ BHAJ GOVINDAM ”
ભજ ગોવિંદમ્
ભજ ગોવિંદમ્ ભજ ગોવિન્દમ્
ગોવિન્દમ્ ભજ મૂઢમતે .
પ્રાપ્તે સન્નિહિતે મરણે
ન હિ ન હિ રક્ષતિ ‘ડુકૃણ્ કરણે’ ..1 ટાંપી રહેલું મરણ જ્યારે ઝડપી લેશે ત્યારે તારું આ ‘ડુકૃણ્ કરણે’તને નહિ બચાવે, નહિ રક્ષે; માટે હે મૂઢમતિ ! તું ગોવિંદને ભજ,ગોવિન્દને ભજ, ગોવિંદને ભજ.

‘ડુકૃણ્ કરણે’ આ શબ્દોથી ‘કૃ’ ધાતુનો ‘કરવું’ અર્થ થાય છે એમ પાણિનિએ એમના ધાતુપાઠમાં નિરુપ્યું છે. ‘ડુકૃણ્ ‘માંનો ‘કૃ’ ભાગ જ કર્મ, ક્રિયા, કરણ વગેરે શબ્દોનું મૂળ છે. કોઇક સંન્યાસી કે વૃધ્ધ પુરુષ પાણિનિના ધાતુપાઠનું રટણ કરતાં’ડુકૃણ્ કરણે’એમ રટ્યા કરતો હતો. આચાર્યે નજીકમાં થી પસાર થતાં આ સાંભળ્યું અને રટનારની અવસ્થા પણ જોઇ. એમને થયું કે જિંદગીના અંત સુધી આમ ધાતુના અર્થનું જ રટણ કરવાથી અથવા એ અર્થાનુસાર કામનો ઢસરડો જ કરવાથી શું વળે? એમ કરવાથી તો મહામૂલી જિંદગીને વેડફી નાખવાનું થાય છે. આમ વિચારીને તેમણે રટનારને સંબોધી ‘ગોવિંદનું ભજન કર’ એવા ઉદ્ ગારો કાઢ્યા હશે.
આચાર્યે કોઇ વ્યક્તિવિશેષને શિખામણ અ આપી હોય કે ન આપી હોય, પણ સમગ્ર માનવજાતની સામે એમણે લાલબત્તી તો ધરી જ છે. કામ,કામ ને કામ કરતાં કરતાં જિંદગી પૂરી કરનારાઓ જો જગત્સૃષ્ટા, જગત્પાલક અને જગત્સંહર્તા પરમાત્માનો વિચાર જ ન કરે તો એમનું જીવન એળે ગયું સમજવું. મેં આ કર્યું ને તે કર્યું, એમ કામનું અભિમાન, જ્ઞાનવિજ્ઞાનનું અભિમાન કે જીવનની કહેવાતી સિધ્ધિઓનું અભિમાન, માણસને જીવનના ધ્યેય વિશે સાવ બેદરકાર બનાવે છે. આ બધી કહેવાતી લૌકિક સિધ્ધિઓ કાળનું તેડું આવે ત્યારે કાંઇ જ ખપ લાગતી નથી.એટલું જ નહિ પણ પોતે જેને આટાઅટલું મહત્ત્વ આપ્યું તે કર્યું—કારવ્યું ધૂળમાં મળી રહ્યું છે ને પોતે અકિંચન, અસહાય બની બધું છોડી જઇ રહ્યો છે, એ વિચાર જ, એનું મનોમંથન જ, મનુષ્યની અંતિમ ક્ષણો વ્યાકુળતાથી ભરી દે છે. એમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે, ને તે છે ગોવિંદનું ભજન કરવાનો. ગોવિંદનું જિંદગીભર મન, વચન અને કર્મથી કરેલું ભજન જ જીવને અભિમાનજન્ય ક્ષુલ્ક્કતાઓથી ઉગારે છે અને ગોવિંદનાં સ્મરણ ચિંતનના બળે પોતાના શાશ્વત સ્થાનમાં જવા માટે મરણને પણ ઉમળકાથી વધાવવાની પ્રેરણાઆપે છે.
પ્ર્ભુસ્મરણ વિનાના કર્મની આ રીતે નિરર્થકતા બતાવી, પછી આચાર્ય ધનના અનર્ગળ સંચયમાં રચ્યાપચ્યા રહેવાનાં દૂષણ તરફ ધ્યાન ખેંચતાં કહે છે: મૂઢ !જહીહિ ધનાગમતૃષ્ણાં કુરૂ સદ્ બુધ્ધિં મનસિ વિતૃષ્ણામ્ . યલ્લભસે નિજકર્મોપાત્તં
વિત્તં તેન વિનોદય ચિત્તમ્ ….2
“ હે મૂઢ ! ધનપ્રાપ્તિની તૃષ્ણા છોડ, મનને તૃષ્ણારહિત તેમ જ બુધ્ધિને સત્યનિષ્ઠાવાળી કર. પોતાના શ્રમથી જે કાંઇ પ્રાપ્ત થાય તેટલા ધનથી જ ચિત્તને સંતુષ્ટ રાખ.
હે મૂઢમતિ ! ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.”
ધ્નપ્રાપ્તિ પોતે અનર્થકારી નથી પણ તે માટેની અનર્ગળ તૃષ્ણા અનેક અનર્થોને જન્મ આપે છે. તૃષ્ણાનો કદી અંત આવતો નથી. તૃષ્ણાવાનને જે કંઇ મળે તે અપૂરતું જ લાગે છે. શરૂઆતમાં જે મળ્યાથી સુખ અને શાંતિની આશા હોય તે મળ્યા પછી વધુ ને વધુ ધન મેળવવાની તૃષ્ણા વિસ્તરતી જાય છે. પૂર્વકર્મોએ નિર્મેલું ભાગ્ય પણ ધનપ્રાપ્તિમાં કારણરૂપ હોય છે. અનેક પ્રયત્નો કરવા છતાંયે નશીબમાં ન હોય તે મળતું નથી, માટે ઉદ્યમ કરવાથી જે કાંઇ પ્રાપ્ત થાય એથી સંતોષ મેળવવો ને પ્રભુની ઇચ્છા પ્રમાણે જે મળે છે તે પૂરતું છે એમ માની અજંપો ન રાખવો, એમાં જ સાચું સુખ રહેલું છે. સંતોષામૃતતૃપ્તાનાં યત્સુખં શાંતચેતસામ્ . કુતસ્તધ્ધ્નલુબ્ધાનામિતશ્ચેતશ્ચધાવતમ્ .. સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે છે તે ધનના લોભથી આમતેમ રઝળપાટ કરનારાઓને ક્યાંથી મળે?
શ્રમથી મળેલા ધનથી જે સુખશાંતિ મળે છે તે કૂડકપટથી મળેલા ધનથી નથી મળતી. અન્યાયથી મેળવેલું ધન; ધન મેળવ્યનો ક્ષણિક આનંદ ભલે આપે, પણ અનેક વિટંબણાઓ સર્જે છેને ચિત્તને ઉપાધિઓથી ભરી દે છે. આખરે શાંતિ જ સુખ છે.જે ધન અશાંતિની હોળી સળગાવે તેને ને સુખને બાર ગાઉનું છેટું છે.’અશાંતસ્ય કુત: સુખમ્ .અશાંતને વળી સુખ કેવું?(ગીતા) અનર્ગળ ધનતૃષ્ણામાંથી અશાંતિ જ જન્મે છે. નારીસ્તનભરનાભિનિવેશં
મિથ્યા માયામોહાવેશમ્ .
એતન્માંસવસાદિવિકારં
મનસિ વિચિંતય વારંવારમ્ ……3
“નારીના ભરાવદાર સ્તન અને મનોહર નાભિ વગેરેનું સૌંદર્ય માયામોહના મિથ્યા આવેશને જન્માવનાર છે. ભલા ! આ (નારી દેહ) તો માંસ અને ચરબી વગેરેનું પિંજર જ છે એમ મનમાં વારંવાર વિચાર કર અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” તૃષ્ણાની જેમ કામ પણ માણસની સુખશાંતિનો પરમ શત્રુ છે. ‘કામ’ એ શબ્દના ઘટક બે અવયવો છે; ‘ક’ અને ‘આમ’. ‘ક’ એટલે સુખ ને ‘આમ’ એટલે રોગ અથવા કાચું. જે ભોગ સુખરૂપે પ્રતીત થાય છે તે વાસ્તવમાં રોગ હોય છે. જે સુખ કાચું જ સુખ હોય તેને કામ કહે છે.કામનો ઉદ્ ભવ મોહને લીધે થાય છે. વસ્તુની યથાર્થતાનો વિચાર જેનાથી નષ્ટ થઇ જાય તેને મોહ કહે છે.સ્વભાવે નશ્વર અને પરિણામે જુગુપ્સાજનક વસ્તુમાં સૌંદર્ય અને સુખદાયીપણાનો વિચાર મોહને કારણે થાય છે. વિજાતીય વ્યક્તિ માટેના મોહમાંથી કામ પ્રગટે છે અને જડ દૃશ્યના આકર્ષણથી તૃષ્ણા જન્મે છે. આ બંને શાંતિના શત્રુઓ છે.
જેના માટે કામ અને તૃષ્ણા હોય તેનાં યથાર્થ ચિંતન—મનન તેની પોકળતાને છતી કરે છે, એના માટેનું ખેંચાણ નબળું પાડે છે ને અંતે એમાંથી છૂટવાનું સરળ બનાવે છે. માટે જ અહીં કામનું, વિષયનું અને એની પોકળતાનું વારંવાર ચિંતન કરવાનું જણાવાયું છે.
કામ જેટલો વિઘાતક પુરુષ માટે છે તેટલો જ સ્ત્રી માટે પણ છે. આચાર્યે પુરુષસમાજને ઉદ્દેશીને કહેલી વાત સ્ત્રીસમાજને પણ એટલી જ ઉપયોગી છે.
કામ પણ તૃષ્ણાની જેમ કદી તૃપ્તથતો નથી.કામની અતૃપ્તિમાંથી ક્રોધ જન્મે છે. જો ક્ષણિક તૃપ્તિ થાય તોયે વધુ ને વધુ ભડકતી તૃષ્ણા પાછીએ અતૃપ્તિ જ જન્માવે છે. કામને પ્રગટયા પછી રોકવાનું કઠણ છે, માટે એને જન્માવનાર દૃષ્ટિનો જ સંયમ થવો ઘટે.અનુચિત વસ્તુઓને જોવી તેમ જ અસદાચારીઓની સોબત કરવી, આ બંનેનો ત્યાગ કામથી બચવા માટે જરૂરી છે. અહીં જે કામને ત્યજવાનો ઉપદેશ છે તે ધર્મવિરુધ્ધ કામને લગતો છે. ધર્મને અનુરૂપ કામ પણ સંયમ ન હોય તો અનર્થકારી બની શકે છે. મોહના આવેગથી પેદા થતો કામ અનર્થરૂપ જ બને, કારણ કે તેમાં સંયમ થઇ શકતો નથી.ઇન્દ્રિયોના આવેગોના શમન વગર વિવેક, શાંતિ કે સુખ સંભવી શક્તાં નથી.
નલિનીદલગતજલમતિચપલં તદ્વત્જીવિતમતિશયચપલમ્ . વિદિધ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ ……4 ”કમળના પાન પર રહેલું જલબિંદુ જેવું અતિશય ચપળ, અસ્થિર હોય છે તેવું પ્રાણીનું જીવન પણ છે. માટે તું રોગ અને અભિમાનથી ગ્રસ્ત થયેલા બધા લોકોને શોકસંતપ્ત થયેલા જાણ-સમજ; અને ગોવિંદને ભજ, ગોવિંદને ભજ.” કમળના પાન પર નાચતું સોહામણું જલબિંદુ એની ક્ષણિક જિંદગીમાં આનન્દમગ્ન જણાય છે, જરાશી પવનની લહેર આવી કે એ પછડાટ ખાઇને લુપ્ત થઇ જાય છે. માનવજીવનનું પણ આવું જ છે. જોતજોતામાં એક પછી એક અવસ્થા વીતી જાય છે. બાળપણનો ઉલ્લાસ, યુવાનીનો તરવરાટ અને પ્રૌઢાવસ્થાની ગંભીરતા, બધુંયે વૃધ્ધાવસ્થામાં અને મરણમાં સરકી જાય છે.ઘડીમાં ખુશી તો ઘડીમાં ગમ. રાજા હો કે રંક,વિદ્યાવાન હો કે અભણ,ધનવાન હો કે નિર્ધન, દરેકના જીવનમાં તડકાછાંયડા આવે છે ને જાય છે. કોઇ પણ અવસ્થાને કાયમી માની એનું અભિમાન કરવું એ વિચારહીનતા છે. એક વિચારશીલ કવિએ જીવનની આ નશ્વરતાને આરીતે વર્ણવી છે: રાત્રિગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતં ભાસ્વાનુદેષ્યતિ હસિષ્યતિ પંકજશ્રી:. ઇત્થં વિચિંતયતિ કોષગતે દ્વિરેફે, હા હંત ! હંત !નલિનીં ગજ ઉજ્જહાર… કમળપુષ્પની સુગંધનો ને રસનો લોલુપ ભમરો સુર્યાસ્ત થતાં કમળનો કેદી બને છે પણ એ આશાવાદી લોલુપ વિચારે છે: રાત જશે ને સોહામણું પ્રભાત ઊઘડશે, સૂર્ય ઊઘડતાં જ રળિયામણાં કમળો હાસ્યના ફુવારા ઉડાવશે.અર્થાત્ કમળ ઊઘડતાં હું મુક્ત બનીશ. પણ હાય ! એટલામાં તો એક મદમસ્ત બનેલો હાથી આવ્યો ને બીડેલા કમળને જ ઊખેડીને, પગથી ચગદી ચાલતો થયો. આશાઓના મિનારા ચણતા પ્રત્યેક માનવની આ જ સ્થિતિ છે. ‘ગૃહિત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત્ .’ એમ મહાભારત કહે છે: ’યમરાજ જાણે કે ચોટલી પકડીને ઊભો છે એમ સમજીને ધર્મ—પરમાર્થનું સેવન કરવું ઘટે.’
જીવનની નશ્વરતાના વિચારે દૈન્ય કે નિરાશાને પોષવાનું ઉચિત નથી. પરંતુ અનેક સુકૃત્યોનાં ફળ રૂપે આ મહામૂલું માનવજીવન મળ્યું છે તો એ દ્વારા લોકક્લ્યાણ કરતાં કરતાં પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો. જે કંઇ જન્મે છે તે જવા જ સર્જાયું છે, એમ સમજી વિરક્તિ તેમ જ અનાસક્તિને પોષવાં જોઇએ. આજીવનદૃષ્ટિ જ આચાર્યને અહીં અભિપ્રેત છે.
નોંધ:- કુલ 31 શ્લોકો છે તેમાંથી હપ્તે હપ્તે શ્લોકો મૂકવાનો
વિચાર છે.

Paramapita

લગ્ન-પ્રસંગે
પરમ સમીપે//કુંદનિકા કાપડીયા//અગીયારમી આવૃત્તિ//પાના 128 થી 130

પરમપિતા,
આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે

તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો કરજો

સહજીવનના કેન્દ્રમાં તમે રહેજો. અમારા માર્ગનું લક્ષ્ય પણ તમે જ રહેજો.
સુખમાં ને દુ:ખમાં, માંદગીમાં ને વાવાઝોડાંમાં

અમે પ્રેમ ને શ્રધ્ધાથી એકમેકની સાથે રહીએ

એકબીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન dakhavie

પોતાના વિચાર બીજા પર ન લાદીએ

બીજાના સ્વતંત્ર વ્યક્તિત્વનું માન કરીએ.
હવે અમે કેવળ પ્રવાસી નથી

 જીવનના બધા સ્તરે, સાથે રહેવાના હેતુને વરેલા
યાત્રી છીએ.

 અમારો પ્રેમ, તારા વિશાળ પ્રેમમાં પહોંચવા માટેનું
એક નાનું પણ મહત્ત્વનું પગથિયું છે.
અને એટલે, અમે અમારા સંબંધને
સાંસારિક અધિકારોનું માધ્યમ નહિ,
એક માર્ગના યાત્રીઓ વચ્ચેની મૈત્રી ગણીએ,
એકમેકને અવલંબીને પાંગળાં ન બનીએ,
પણ સાથ આપીને સબળ બનીએ.

અતિ પરિચયથી અવજ્ઞા ન કરીએ
પણ સતત સિંચનથી સુંદરતાનો ઉઘાડ કરીએ

અમારામાં ખોવાઇ ન જઇએ,
પણ એકબીજા દ્વારા પોતાને પામીએ.

 લોકો કહે છે:લગ્ન એક પવિત્ર બંધન છે.

પણ જે બંધન છે તે પવિત્ર શી રીતે હોઇ શકે?

 amaaro  prem અમને ઊંચે ચડાવતી પાંખો બને.
અમારું જીવન સમાધાન ને ગોઠવણીની વ્યવસ્થા ન રહે

એક ધબકતો નિત્ય નવા ઉઘાડનો,
છલકતા આનંદનો ઉત્સવ બની રહે

અમારાં સુખ-સલામતીમાં તૃપ્ત થઇ અમે પુરાઇ ન રહીએ

પણ સહુને માટે બારણા સદા ખુલ્લા રાખીએ.

ekmek ne જ નહિ, ઘણાંને ચાહીએ

અમારા માળામાં જે કોઇ આવે તે શીળો છાંયો પામે.

 એક ફૂલની જેમ ખીલતો, સુગંધ વેરતો સંબંધ
માનવજીવનનું એક ઉત્તમ સર્જન છે.

 અમે એ સર્જનનો તમને અર્ઘ્ય ધરીએ

એકમેક ભણી જોઇ રહેવાને બદલે
તમારા ભણી સાથે મીટમાંડીએ
સુખી કરીને સુખી થઇએ સુખી થઇએ ને સુખી કરીએ,
એકબીજામાં ભળી ગયેલા પ્રવાહ જેવા નહિ, પણ
જોડાજોડ ઊભા રહી,
તમારી આરતી ઉતારતા બે દીવા બની રહીએ.
એવી આજના અવસરે અમારી પ્રાર્થના છે.

gita ch.17

શ્રધ્ધા-ત્રય-વિભાગ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા –અધ્યાત સત્તરમો
શાસ્ત્રને એટલે કે શિષ્ટાચારને પ્રમાણ ગણવો એમ સાંભળતાં અર્જુનને શંકા થઇ કે જે શિષ્ટાચારને કબૂલ ન કરી શકે પણ શ્રધ્ધાથી વર્તે તેની કેવી ગતિ થાય, તેનો જવાબ આપવાનો આ અધ્યાયમાં પ્રયત્ન છે. પણ શિષ્ટાચારરૂપી દીવાદાંડી છોડ્યા પછીની શ્રધ્ધામાં ભય રહ્યા છે તે બતાવીને ભગવાને સંતોષ માન્યો છે, અને તેથી શ્રધ્ધા અને તેની ઓથે થતાં યજ્ઞ, તપ, દાનાદિના ગુણ પ્રમાણે ત્રણ વિભાગ કરી બતાવ્યા છે ને અંતે ઔમ તત્ સત્ નો મહિમા ગાયો છે.
—ગાંધીજી અર્જુન ઉવાચ–
યે, શાસ્ત્રવિધિમ્ , ઉત્સૃજ્ય, યજંતે, શ્રધ્ધ્યા, અંવિતા:, તેષાંમ્ , નિષ્ઠા, તુ, કા, કૃષ્ણ, સત્ત્વમ્ , આહો, રજ:, તમ: ……..1
અર્જુન બોલ્યા– શાસ્ત્રના વિધિને છોડી શ્રધ્ધાથી પૂજન કરે, તેની નિષ્ઠા ગઉણે કે’વી સત્ત્વ, કે રજ, કે તમ?….1 હે કૃષ્ણ ! શાસ્ત્રવિધિ એટલે શિષ્ટાચારને જતો કરી જે કેવળ શ્રધ્ધાથી જ પૂજાદિ કરે છે તેની વૃત્તિ કેવી ગણાય? સાત્ત્વિક, રાજસી કે તામસી?…1
શ્રીભગવાનુવાચ– ત્રિવિધા, ભવતિ, શ્રધ્ધા, દેહિનામ્ , સા, સ્વભાવજા, સાત્ત્વિકી, રાજસી, ચ, ઇતિ, તામ્ , શ્રુણુ …………2
શ્રી ભગવાન બોલ્યા–
ત્રણ પ્રકારની શ્રધ્ધા દેહીઓની સ્વભાવથી,- સાત્ત્વિકી,રાજસી, તેમ તામસી, સુણ, તે સહુ. …..2
માણસને એના સ્વભાવ પ્રમાણે ત્રણ પ્રકારની શ્રધ્ધા હોય છે: સાત્ત્વિકી, રાજસી ને વળી તામસી; તે તું સાંભળ. …….2 સત્ત્વાનુરૂપા, સર્વસ્ય, શ્રધ્ધા, ભવતિ, ભારત, શ્રધ્ધામય:, અય , પુરુષ:, ય:, યચ્છૃચ્દ:સ:, …..3
હે ભારત ! બધાની શ્રધ્ધા તેમના પોતાના પ્રકૃતિ-સ્વભાવને અનુસરે છે, મનુષ્યને કંઇક ને કંઇક શ્રધ્ધા તો હોય જ. જેવી જેની શ્રધ્ધા તેવો તે થાય છે. ….3
યજંતે,સત્ત્વિકા:, દેવા , યક્ષરક્ષાંસિ, રાજસા:, પ્રેતા ,
ભૂતગણા , ચ, અન્યે, યજંતે, તામસા:, જના: …..4
સાત્ત્વિકો દેવને પૂજે, રાજસો યક્ષ—રાક્ષસો; પ્રેતો—ભૂતગણો પૂજે, જે લોકો તામસી જગે. …..4 સાત્ત્વિક લોકો દેવોને ભજે છે, રાજસ લોકો યક્ષોને અને રાક્ષસોને ભજે છે, બાકી રહેલા તામસ લોકો ભૂતપ્રેતાદિને ભજે છે. ….4
અશાસ્ત્રવિહિતમ્ , ઘોર ,તપ્યંતે, યે, તપ:, જના:,
દમ્ભાહંકારસંયુક્તા:, કામરાગબલાંવિતા:. …..5 કર્ષયંત:, શરીરસ્થમ્ , ભૂતગ્રામમ્ , અચેતસ:, મામ્ ,
ચ, એવ, અંત:, શરીરસ્થમ્ , તાન્ , વિધ્ધિ, આસુરનિશ્ચયાન્ , …6

શાસ્ત્રવિરુધ્ધ ને ઘોર, જે જનો તપ આચરે; અહંતા-દંભથી યુક્ત, કામ—રાગ—બળે ભર્યા; …..5
દેહનાં પંચભૂતો ને હૃદયે વસતા મ’ને, પીડે જે અબુધો જાણ, તેના નિશ્ચય આસુરી. …6
દંભ અને અહંકારવાળા તેમ જ, કામ અને રાગના બળથી પ્રેરાયેલા જે લોકો શાસ્ત્રીય વિધિ વિનાનું ઘોર તપ કરે છે, તે મૂઢ લોકો શરીરને વિશે રહેલાં પંચમહાભૂતોને, તેમ જ અંત:કરણમાં રહેલા મને પણ કષ્ટ આપે છે.આવાને આસુરી નિષ્ઠાવાલા જાણ. 5—6
આહાર:,તુ, અપિ, સર્વસ્ય, ત્રિવિધ:, ભવતિ, પ્રિય:,
યજ્ઞ:, તપ:, તથા, દાનમ્ , તેષામ્ , ભેદમ્ , ઇમમ્ , શ્રુણુ, ….7
આહારે પ્રિય સર્વેના ત્રણ પ્રકારના જુદા: તેમ યજ્ઞો તપો, દાનો,-તેના આ ભેદ સાંભળ. ….7 આહાર પણ મનુષ્ય ત્રણે પ્રકારે પ્રિય હોય છે.તેમ જ યજ્ઞ,તપ તથા દાન પણ ત્રણ પ્રકારે પ્રિય હોય છે. તેમના આ ભેદ તું સાંભળ. …..7 આયુ:સત્ત્વબલારોગ્યસુખપ્રીતિવિવર્ધના:. રસ્યા:, સ્નિગ્ધા:, સ્થિરા:, હૃદ્યા:, આહારા:, સાત્ત્વિકપ્રિયા: …8 આયુ, સત્ત્વ, બળ, સ્વાસ્થ્ય, સુખ, પ્રીતિ,વધારતા, રસાળ,રોચક, સ્નિગ્ધ, સ્થિર તે સાત્ત્વિક પ્રિય. …8 આયુષ્ય, સાત્ત્વિકતા,બળ,આરોગ્ય, સુખ, અને રુચિ વધરનારા, રસદાર,ચીકણા,પૌષ્ટિક, ને ચિત્તને સંતોષ આપનારા આહાર સાત્ત્વિક લોકોને પ્રિય હોય છે. …8 કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષ્વિદાહિન:, આહારા:, રાજસસ્ય,ઇષ્ટા:, દુ:ખશોકાભયપ્રદા:. …9
ખારા,ખાટા, ઘણા ઊના, તીખા, લૂખા, બળે,કટુ; દે દુ:ખ, શોક કે વ્યાધિ, આહારો રાજસ-પ્રિય. …9 તીખા, ખાટા, ખારા, બહુ ગરમ, તમતમા, લૂખા, બાળે એવા આહાર રાજસ લોકોને ગમે છે, (જોકે) તે દુ:ખ, શોક ને રોગ પેદા કરનારા છે. ….9 યાતયામમ્ , ગતરસમ્ , પૂતિ, પર્યુષિતમ્ , ચ, યત્ ,
ઉચ્છિષ્ટમ્ , અપિ,ચ, અમેધ્યમ્ , ભોજનમ્ , તામસપ્રિયમ્ , …10
પો’ર ટાઢો, થયો વાસી,ગંધાતો,સ્વાદ ઊતર્યો, એઠો,નિશિધ્ધ આહાર, તામસી જનને પ્રિય. …10 નિષિધ્ધ—અમેધ્ય; જેને ધર્મકાર્યમાં ન વાપરી શકાય તેવો; જેમ કે કૂતરા, કાગડા વગેરેએ બગાડેલો, ગંદી જગ્યામાં પડેલો, ધોઇને સ્વચ્છ કર્યા વિનાનો ઇત્યાદિ.
પહોર લગી પડી રહેલું,ઊતરી ગયેલું,ગંધાતું,રાતવાસી, એઠું, અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે. …10
અફલાકાંક્ષિભિ:, યજ્ઞ:, વિધિદૃષ્ટ:, ય:, ઇજ્યતે, યષ્ટવ્યમ્ , એવ, ઇતિ, મન:, સમાધાય, સ:, સાત્ત્વિક:. …..11 ન રાખી ફળની આશા, યજ્ઞે જ ધર્મ જાણતા, સ્થિરચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્ત્વિક……11
યજ્ઞ કરવો એ ધર્મ છે એટલા જ માટે .
જેમાં ફળની અપેક્ષા નથી, જે વિધિપૂર્વક કર્તવ્ય સમજી, મનને તેમાં પરોવીને થાય છે તે યજ્ઞ સાત્ત્વિક છે….11
અભિસંધાય, તુ, ફલમ્ ,દમ્ભાર્થમ્ , અપિ, ચ, એવ, યત્ ,
ઇજ્યતે, ભરતશ્રેષ્ઠ, તમ્ , યજ્ઞમ્ , વિધ્ધિ, રાજસમ્ . …..12
ફળને દૃષ્ટિમાં રાખી, તેમ જે દંભભાવથી, જે યજ્ઞ થાય છે લોકે, રાજસી યજ્ઞ તે કહ્યો. ….12 હે ભરતશ્રેષ્ઠ ! જે ફળના ઉદ્દેશથી ને વળી દંભથી થાય છે તે યજ્ઞને રાજસી જાણ. …12

વિધિહીનમ્ , અસૃષ્ટાન્નમ્, મંત્રહીનમ્, અદક્ષિણમ્ ,
શ્રધ્ધાવિરહિતમ્ , યજ્ઞમ્ , તામસમ્ , પરિચક્ષતે. …..13
જેમાં ન વિધિ, ના મંત્ર, ન યે સર્જન અન્નનું; ન દક્ષિણા, નહીં શ્રધ્ધા, તામસી યજ્ઞ તે કહ્યો. ….13 જેમાં વિધિ નથી, અન્નની ઉત્પત્તિ અને સંતર્પણ નથી,મંત્ર નથી,ત્યાગ નથી, શ્રધ્ધા નથી તે યજ્ઞ તામસ યજ્ઞ કહેવાય છે. ….13 દેવદ્વિજગુરૂપ્રાજ્ઞપૂજનમ્ , શૌચમ્ , આર્જવમ્ ,
બ્રહ્મચર્યમ્ , અહિંસા, ચ, શારીરમ્ , તપ:, ઉચ્યતે. …14 દેવ-દ્વિજ- ગુરુ-જ્ઞાને તેની પૂજા, પવિત્રતા, બ્રહ્મચર્ય, અહિંસા ને આર્જવ દેહનું તપ. …14 દેવ,બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. …14
અનુદ્વેગકરમ્ , વાક્યમ્ , સત્યમ્ , પ્રિયહિતમ્ , ચ, યત્ ,
સ્વાધ્યાયાઅભ્યાસનમ્ , ચ, એવ, વાંગમયમ્ , તપ:, ઉચ્યતે. …15
અખૂંચતું, સત્ય ને મીઠું હિતનું વેણ બોલવું; તથા સ્વાધ્યાય, અભ્યાસ, વાણીનું તપ તે કહ્યું. ….15 દુ:ખ ન દે એવું સત્ય, પ્રિય, હિતકર વચન અને ધર્મગ્રંથનો અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે. ..15 મન:પ્રસાદ:, સૌમ્યત્વમ્ , મૌનમ્ , આત્મવિનિગ્રહ:,
ભાવસંશુધ્ધિ:, ઇતિ, એતત્ , તપ:, માનસમ્ , ઉચ્યતે. ..16
આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા, મૃદુતા, ભાવની શુધ્ધિ,મનનું તપ તે કહ્યું. ..16 મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ, ભાવના શુધ્ધિ એ માનસિક તપ કહેવાય છે. …16
શ્રધ્ધયા, પરયા, તપ્ત , તપ:,ત , ત્રિવિધ , નરૈ:,
અફલાકાંક્ષિભ:, યુક્તૈ:, સાત્ત્વિક , પરિચક્ષતે. ….17
યોગથી,અતિશ્રધ્ધાથી, આચરે આ ત્રણે તપો, ન સેવી ફળની આશા, તે કહેવાય સાત્ત્વિક. ….17 સમભાવી પુરુષોજ્યારે ફલેચ્છાનો ત્યાગ કરીને પરમ શ્રધ્ધાપૂર્વક આ ત્રણ પ્રકારનું તપ કરે છે,ત્યારે તેને ડાહ્યા લોકો સાત્ત્વિક તપ કહે છે. …17
સત્કારમાનપૂજાર્થમ્ , તપ:, દ્મ્ભેન, ચ, એવ, યત્ ,
ક્રિયતે, તત્ , ઇહ, પ્રોક્તમ્ , રાજસમ્ , ચલમ્ , અધ્રુવમ્ , …..18
સત્કાર—માન—પૂજાર્થે તથા જે દંભથી કરે;
તે તપ રાજસી લોકે, કહ્યું ચંચળ, અધ્રુવ. ….18 સત્કાર,માન અને પૂજાને અર્થે દંભપૂર્વક જે થાય છે તે અસ્થિર અને અનિશ્ચિત તપ રાજસ કહેવાય છે. .,..18
મૂઢગ્રાહેણ,આત્મન:, યત્ , પીડ્યા,ક્રિયતે,તપ:, પરસ્ય, ઉત્સાદનાર્થમ્, વા, તત્ , તામસમ્ , ઉદાહૃતમ …19 મૂઢાગ્રહે તપે જેઓ પીડીને અંતરાત્મને,
પરના નાશ માટે વા,તપ તે તામસી કહ્યું. …19 .
જે તપ પીડાઇને, દુરાગ્રહથી અથવા પારકાના નાશને અર્થે થાય છે તે તામસ તપ કહેવાય છે. …19 દાતવ્યમ્ , ઇતિ, યત્ , દાનમ્ દીયતે, અનુપકારિણે,
દેશે, કાલે, ચ, પાત્રે, ચ, તત્ , દાનમ્ , સાત્ત્વિકમ્ , સ્મૃતમ્ ,….20

કશો ના પાડ તોયે જે દેવાનો ધર્મ ઓળખી, યોગ્ય પાત્રે—સ્થળે—કાળે આપે, તે દાન સાત્ત્વિક. …20
(દાન કરવું એ ધર્મ છે એટલા માટે જ. )
આપવું યોગ્ય છે એવી સમજથી, તેમ જ બદલો મળવાની આશા વિના, દેશ, કાળ અને પાત્ર જોઇને જે દાન થાઅય્છે, તેને સાત્ત્વિક દાન કહ્યું છે. ..20

યત્ , તુ, પ્રત્યુપકારાર્થમ્ , ફલમ્ , ઉદ્દિશ્ય, વા, પુન:,
દીયતે, ચ, પરિક્લિષ્ટમ્ , તત્ , દાનમ્ , રાજસમ્ , સ્મૃતમ્ ,. ….21
ફેડવા પાછલો પાડ, હેતુ વા ફળનો ધરી, કે કોચાતા મને આપે, તે દાન રાજસી ગણ્યું…..21 બાહ્ય વિષયોમાં જેને આસક્તિ નથી એવો પુરુષ અંતરમાં જે આનન્દ ભોગવે છેતે અક્ષય્ય આનંદ પેલો બ્રહ્મપરાયણ પુરુષ અનુભવે છે…..21 નોંધ:-જે અંતર્મુખ થયો છે તે જ ઇશ્વરસાક્ષાત્કાર કરી શકે અને તે જ પરમ આનંદ પામે. વિષયોથી નિવૃત રહી કર્મ કરવાં અને બ્રહ્મસમાધિમાં રમવું એ બે નોખી વસ્તુ નથી, પણ એક જ વસ્તુને જોવાની બે દૃષ્ટિ છે—એક જ સિક્કાનાં બે પાસાં છે.
અદેશકાલે, યત્ , દાનમ્ , અપાત્રેભ્ય:, ચ, દીયતે,
અસત્કૃતમ્ , અવજ્ઞાતમ્ , તત્ , તામસમ્ , ઉદાહૃતમ્ …..22
અપાત્રે દન જે આપે, અયોગ્ય દેશકાળમાં, વિના આદરસત્કાર, તે દાન તામસી ગણ્યું…….22 ખોટે સ્થાને, કટાણે અને કુપાત્રને આપેલું અથવા માન વિના, તિરસ્કારથી આપવામાં આવેલું દાન તામસી કહેવાય છે….22
ઔમ્ તત્સત્ , ઇતિ, નિર્દેશ:, બ્રહ્મણ:, ત્રિવિધ:, સ્મૃત:,
બ્રાહ્મણા:, તેન, વેદા:, ચ, યજ્ઞા:, ચ, વિહિતા:, પુરા….23

ઔમ્ (3),તત્ , સત્ , ત્રણે નામે થાય નિર્દેશ બ્રહ્મનો, બ્રાહ્મણો, વેદ ને યજ્ઞો સર્જયા તેણે જ આદિમાં….23
બ્રહ્મનું વર્ણન ઔમ્ તત્ સત્ એમ ત્રણ રીતે થયેલું છે, અને એ વડે પૂર્વે બ્રહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા…..23 તસ્માત્ , ઔમ્ , ઇતિ, ઉદાહૃત્ય, યજ્ઞદાનતપ:ક્રિયા:,
પ્રવર્તંતે, વિધાનોક્તા:, સતતમ્ , બ્રહ્મવાદિનામ્, ….24
તેથી ઔમ્ (3) વદી ફેલાં, યજ્ઞ—દાન—તપ—ક્રિયા,
બ્રહ્મવાદી તણી નિત્ય પ્રવર્તે વિધિપૂર્વક……24
તેથી બ્રહ્મવાદીઓની યજ્ઞ,દાન અને તપરૂપી ક્રિયાઓ હંમેશાં ઔમ્ નું
ઉચ્ચારણ કરીને વિધિવત્ થાય છે…..24

તત્ , ઇતિ, અનભિસંધાય, ફલમ્ , યજ્ઞતપ:ક્રિયા:,
દાનક્રિયા:, ચ, વિવિધા:, ક્રિયંતે, મોક્ષકાંક્ષિભિ:. ….25
ત વડે ફળને ત્યાગી, યજ્ઞ ને તપની ક્રિયા,
વિવિધ દાન કર્મોયે આચરે છે મુમુક્ષુઓ …..25
વળી ‘ત ‘ એમ ઉચ્ચાર કરી ફળની આશા રાખ્યા વિના મોક્ષેચ્છુ યજ્ઞ, તપ અને દનરૂપી વિવિધ ક્રિયાઓ કરે છે. ….25

સદ્ભાવે, સાધુભાવે, ચ, સત્ , ઇતિ, એતત્ , પ્રયુજ્યતે,
પ્રશસ્તે, કર્મણિ, તથા, સત્ , શબ્દ:, પાર્થ, યુજ્યતે ….26
સારું ને સત્ય દર્શાવા સત્ શબ્દ વપરાય છે;
તેમ સત્ શબ્દ યોજાય પ્રશંસાયોગ્ય કર્મમાં. ….26
સત્ય તેમ જ કલ્યાણના અર્થમાં સત્ શબ્દનો પ્રયોગ થાય છે. અને હે પાર્થ ! શુભ કર્મોમા6 પણ સત્ શબ્દ વપરાય છે. …..26
યજ્ઞે, તપસિ, દાને, ચ, સ્થિતિ:, સત્ , ઇતિ, ચ, ઉચ્યતે, કર્મ, ચ, એવ, તદર્થીયમ્ , સત્, ઇતિ, એવ, અભિધીયતે ….27
યજ્ઞે, તપે તથા દાને વર્તે તેનેય સત્ કહે;
તે માટે જે થતાં કર્મો, તે બધાં પણ સ કહ્યાં. ….27
યજ્ઞ,તપ અને દાનને વિશે દૃઢતા એ પણ સત્ કહેવાય છે. તેમને અર્થે જ કર્મ છે એવો સંકલ્પ એ પણ સત્ કહેવાય છે…27
નોંધ:- ઉપલા ત્રણ શ્લોકોનો ભાવાર્થ એ થયો કે પ્રત્યેક કર્મ ઇશ્વરાર્પણ કરીને જ કરવું, કેમ કે ઔમ્ એ જ સત્ છે, સત્ય છે.તેને અર્પેલું જ ઊગે..
અશ્રધ્ધયા, હુતમ્, દત્તમ્ , તપ:, તપ્તમ્ , કૃતમ્ , ચ, યત્ ,
અસત્ , ઇતિ, ઉચ્યતે, પાર્થ, ન, ચ, તત્ , પ્રેત્ય, નો, ઇહ …..28
અશ્રધ્ધાથી કર્યા કર્મ, યજ્ઞ, દાન, તપો વળી; અસ કે’વાય તે સર્વ, વ્યર્થ તે બેઉ લોકમાં. ….28 હે પાર્થ ! જે યજ્ઞ, દાન, તપ કે બીજું કાર્ય શ્રધ્હ્દા વિના થાય છે તે અસ કહેવાય છે. તે નથી અહીંના કામનું કે નથી પરલોકના કામનું. …..28 ઔમ્ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘શ્રહ્ધ્દા—ત્રય—વિભાગ—યોગ ‘નામનો સત્તરમો અધ્યાય અત્રે પૂરો થાય છે. 4થી નવેમ્બર2009 ને કારતક વદ બીજ 2066ને બુધવાર

Jee,Modhu jaraa malakavajo

જી, મોઢું જરા મલકાવજો.

“છૂટાછેડા લીધા પછી બેંકનું ખાતું કોણ સંભાળશે?” “અડધેઅડધું વહેંચી લેશું :બેંકની પાસબૂક વગેરે એ રાખે ને માત્ર ચેકબુક હું રાખીશ બીજું શું?”

***************************************

 ચૂંટણીસભામાં એક વક્તાએ જાહેરમાં પૂછ્યું:”અહીં દારૂ કોણ પીએ છે?” સભામાંથી કોઇએ પૂછ્યું: “ આ તપાસ છે કે આમંત્રણ?”

—————————————————–

સુનીલે લોન પર કાર ખરીદી. લોનના હપ્તા ભરપાઇ ન થતાં બેંકે કાર પાછી લઇ લીધી. સુનીલસ્વગત) મને આવી ખબર હોત તો લગ્ન માટે પણ મેં લોન લીધી હોત !” ///////////////////////////////////////

પોલીસ: જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.

જેલર: એ તો બહુ સારી વાત કહેવાય. તું રાજી થવાને બદલે કેમ આટલો ચિંતામાં છે? પોલીસ:સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઇને પાછો નથી આવ્યો !…શું કરીશું?

*********************************************

 

મતદાર: “ તમારા કરતાં હુંગધેડાને મત આપવાનું પસંદ કરીશ.”
ઉમેદવાર:”તો તો એક મત વિરોધપક્ષને જશે !” ++++++++++++++++++++++++++++++++++++++

 મૂર્ખનો સરદાર રોજ બે કલાક પ્રાર્થના કરે.

 ”હે ભગવાન, મને લોટરી લગાડી દો.”

અગિયાર વર્ષે ભગવાન પ્રગટ થયા અને ચિડાઇને બોલ્યા:”પહેલાં લોટરીની ટિકિટ તો લે.” =====================================

purushottam yog

 

PURUSHOTTAM-YOG

પુરુષોત્તમયોગ 

શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો 

 

આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.ગાંધીજી. 

 

શ્રીભગવાનુવાચ–

ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ , 

છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ, સ: વેદવિત્ ,…..1

 

શ્રી ભગવાન બોલ્યા–

ઊંચે મૂળ તળે ડાળો,શ્રુતિઓ પાંદડાં કહ્યાં;

એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો…..1

 

જેનું મૂળ ઊંચે છે , જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય છે તેને જે જાણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે…….1

નોંધ:-

શ્વ એટલે આવતીકાલ. તેથી અશ્વત્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતર થયા કરે છે માટે તે અશ્વત્થ છે.પણ એવી સ્થિતિમાં તે હંમેશાં રહેનાર છે તેથી અને તેનું  મૂળ ઊર્ધ્વ એટલે ઇશ્વર છે તેથી શાશ્વત અવિનાશી છે. તેને વેદ ના એટલે ધર્મના શુધ્ધ  જ્ઞાનરૂપી પ્આતરાં ન હોય તો તે ન શોભે. આમ સંસારનું યથાર્થજ્ઞાન જેને છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે.  

અધ:,ચ, ઉર્ધ્વ , પ્રસૃતા:, તસ્ય, શાખા:, ગુણપ્રવૃધ્ધા:, વિષયપ્રવાલા:, અધ:, ચ, મૂલાનિ, અનુસંતતાનિ, કર્માનુબન્ધીનિ, મનુષ્યલોકે……2

ઊંચે-તળે ડાળ-પસાર તેનો,  

    ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે;

નીચે, વળી, માનવલોક માંહી

    મૂળો ગયાં, કર્મ વિષે ગૂંથાયાં,………2 

(ડાળોનો પસારો) 

 

ગુણોના સ્પર્શ વડે વૃધ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળી તે અશ્વત્થની ડાળીઓ નીચેઉપર પ્રસરેલી છે; કર્મોનાં બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે…….2

નોંધ:-

સંસાર્વૃક્ષનું અજ્ઞાનીની દૃષ્ટિવાળું આ વર્ણનછે. તેનું ઊંચે ઇશ્વરમાં રહેલું મૂળ તે નથી જોતો,પણ વિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ  વૃક્ષને પોષે છે ને મનુષ્યલોકમાં કર્મપાશમાં બંધાયેલો રહે છે.

 

ન, રૂપમ્ , અસ્ય, ઇહ, તથા, ઉપલભ્યતે, ન, અંત:, ન, ચ, આદિ:, ન, ચ, સંપ્રતિષ્ઠા, અશ્વત્થમ્ , એનમ્ , સુવિરૂઢમૂલમ્ , અસંગશસ્ત્રેણ, દૃઢેન, છિત્વા…..3 

તત:, પદમ્ , તત્ , પરિમાર્ગિતવ્યમ્ , યસ્મિન્, નિવર્તંતિ, ભૂય:, તમ્, એવ,ચ, આદ્યમ્ , પુરુષમ્ , પ્રપદ્યે, યત:, પ્રવૃત્તિ:, પ્રસૃતા, પુરાણી….4 

તેનું જગે સત્ય ન રૂપ ભાસે,

        ન આદિઅંતે નહિ કોઇ પાયો;

લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી,  

        અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ……3 

(દૃઢમૂળવાળો) 

શોધી પછી તે પદને પ્રયત્ને

        જ્યાં પોંચનારા ન પડે ફરીથી–

તે પામવું  આદિ પરમાત્મ રૂપ,

      પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ…..4 

આ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી.તેને અંત નથી, આદિ નથી, પાયો નથી; ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીનેમનુષ્ય આ પ્રાર્થના કરે:જેમાંથી આ સનાતનપ્રવૃત્તિમાયા પ્રસરેલી તે આદિપુરુને હું શરણે જાઉં છું ! અને તે  પદને શોધે કે જેને પામનારાને ફરી જન્મમરણના ચક્રમાં પડવું નથી પડત્તું……34

નોંધ:-

અસંગ એટલે અસહકાર,વૈરાગ્ય. જ્યાં લગી મનુષ્ય વિષયોની જોડે અસહકાર ન કરે, તેમનાં પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે તેમાં  

ખૂંચ્યા જ કરવાનો.

વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો   બતાવે છે. 

 

નિર્માનમોહા:, જિતસંગદોષા:, અધ્યાત્મનિત્યા:,

વિનિવૃત્તકામા:, દ્વન્દૈ:, વિમુક્તા:, સુખદુ:ખસંજ્ઞૈ:, ગચ્છંતિ,અમૂઢા:, પદમ્ , અવ્યયમ્, તત્ ,…..5 

નિર્માન, નિરમોહ, અસંગવૃત્તિ,  

     અધ્યાત્મનિષ્ઠા, નિત, શાંતકામ;

છૂટેલ દ્વંદ્વ  સુખદુ:ખરૂપી,  

        અમૂઢ તે અવ્યય ધામ પામે……5

 

(શાંતકામજેની વાસનાઓ શમી ગઇ છે.)  

જેણે  માનમોહનો ત્યાગ કર્યો છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યા છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો શમી ગયા છે, જે સુખ-દુ:ખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. ….5 

ન, તત્ , ભાસયતે, સૂર્ય:, ન, શશાંક:, ન, પાવક:,

યત્ , ગત્વા, ન, નિવર્તંતે, તત્ , ધામ, પરમમ્, મમ…..6 

 

સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં.

જ્યાં પોંચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ….6

 

ત્યાં સૂર્યને, ચન્દ્રને કે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું.જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે….6

 

મમ, એવ, અંશ:, જીવલોકે, જીવભૂત:, સનાતન:, મન:ષષ્ઠાનિ, ઇન્દ્રિયાણિ, પ્રકૃતિસ્થાનિ,કર્ષતિ…..7

મારો જ અંશ સંસારે જીવરૂપ સનાતન,  

ખેંચે પ્રકૃતિમાંથી તે મન ને પાંચ ઇન્દ્રિયો……7

મારો જ સનાતન અંશ  જીવલોકમાં જીવ થઇને પ્રકૃતિમાં રહેલ પાંચ ઇન્દ્રિયો અને મનને આકર્ષે  છે….7

શરીરમ્ , ય ત્, અવાપ્નોતિ, ય ત્, ચ, અપિ, ઉત્ક્રામતિ, ઇશ્વર:, ગૃહિત્વા, અતાનિ, સંયાતિ, વાયુ:, ગન્ધાન્ , એવ, આશયાત્ , ……8 

જેમ વાયુ ગ્રહે ગંધ, વસ્તુનો નિજ સાથમાં,

તેમ દેહી ગ્રહે આ સૌ ધારતાંછોડતાં તનુ….8

શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઇ જાય છે તેમ ઇન્દ્રિયો સહિત મનને સાથે લઇ જાય છે. …8

 

શ્રોત્રમ્ , ચક્ષુ:, સ્પર્શનમ્ , ચ, રસનમ્ , ધ્રાણમ્ , એવ, ચ,

 અધિષ્ઠાય, મન:, ચ, અયમ્ , વિષયાન્ , ઉપસેવતે…..9

આંખ, કાન, ત્વચા,નાક, જીભ ને છઠ્ઠું  તો મન.

અધિષ્ઠાતા થઇ સૌનો દેહી વિષય ભોગવે…..9

અને કાન, આંખ, ચામડી, જીભ, નાક તથા મનનો આશ્રય લઇને તે વિષયોને સેવે છે….9

 નોંધ:-

અહીં વિષય શબ્દોનો અર્થ બીભત્સ વિલાસ નથી, પણ તે તે ઇન્દ્રિયોની સ્વાભાવિક ક્રિયાઓ; જેમ કે આંખનો વિષ્ય જોવું, કાનનો સાંભળવું. જીભનો ચાખવું. આક્રિયાઓ વિકારવાળી, અહંભાવવાળી હોય ત્યારે દોષિત-બીભત્સ ઠરે છે.જ્યારે નિર્વિકાર હોય ત્યારે તે નિર્દોષ છે. બાળક આંખે જોતું કે હાથે અડકતું વિકાર પામતું નથી. તેથી પછીના શ્લોકમાં કહે છે:

ઉત્ક્રામંતમ્ , સ્થિતમ્ ,વા, અપિ, ભુંજાનમ્ , વા, ગુણાંવિતમ્ ,

વિમૂઢા:, ન, અનુપશ્યંતિ, પશ્યંતિ, જ્ઞાનચક્ષુષ:……..10

નીકળે કે રહે દેહે, ભોગવે ગુણ સાથ વા,

મૂઢો ન દેખતા એને, દેખે છે જ્ઞાનચક્ષુના……10

(શરીરનો) ત્યાગ કરનાર અથવા તેમાં રહેનાર તેમ જ ગુણોનો આશ્રય લઇ ભોગ ભોગવનાર એવા (આ અંશરૂપી) ઇશ્વરને મૂર્ખાઓ નથી જોતા; દિવ્યચક્ષુ જ્ઞાનીઓ જુએછે……10

યતંત:, યોગિન:,ચ, એનમ્ , પશ્યંતિ, આત્મનિ, અવસ્થિતમ્ ,

યતંત:, અપિ, અકૃતાત્માન:,ન, એન , પશ્યંતિ, અચેતસ:…..11

રહેલો હૃદયે તેને, દેખે યોગી પ્રયત્નવાન્

હૈયાસૂના, અશુધ્ધાત્મા ન દેખે યત્નથીય તે…….11

યત્નવાન યોગીજનો પોતાને વિશે રહેલા આ ઇશ્વરને જુએ છે .

જ્યારે જેમણે પોતાની જાતને કેળવી જ નથી, આત્મશુધ્ધિ કરી નથી, એવા મૂઢજન યત્ન કરતાં છતાં પણ એને ઓળખતા નથી….11

નોંધ:-

આમાં ને નવમા અધ્યાયમાં દુરાચારીને ભગવાને જે વચન આપ્યું છે તેમાં વિરોધ નથી.અકૃતાત્મા એટલે ભક્તિહીન,સ્વેચ્છાચારી,દુરાચારી.

નમ્રપણે શ્રધ્ધાથી ઇશ્વરને જે ભજે છે તે ક્રમે ક્રમે  આત્મશુધ્ધ થાય છે અને ઇશ્વરને ઓળખે છે.જે યમ-નિયમાદિની દરકાર ન રાખતાં કેવળ બુધ્ધિપ્રયોગથી ઇશ્વરને ઓળખવા માગે છે તે અચેતાચિત્ત વિનાના, રામ વિનાના, રામને ક્યાંથી જ ઓળખે?

યત્ , આદિત્યગતમ્ , તેજ:, જગત્ , ભાસયતે, અખિલમ્ ,

યત્ , ચન્દ્રમસિ, યત્ , ચ, અગ્નૌ, તત્ , તેજ:, વિધ્ધિ, મામકમ્ …..12

પ્રકાશતું વિશ્વને આખા તેજ જે સૂર્યમાં દીસે,

ચન્દ્રે જે, અગ્નિમાંયે જે, મારું જ તેજ જાણ તે….12

સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચન્દ્રમાં અને અગ્નિમાં રહેલું છે તે મારું જ છે એમ જાણ…12

ગામ્ , આવિશ્ય,ચ, ભૂતાનિ, ધારયામિ, અહમ્ , ઓજસા,

પુષ્ણામિ, ચ, ઔષધી:, સર્વા:, સોમ:, ભૂત્વા, રસાત્મક:….13

પેસી પૃથ્વી વિશે ધારું ભૂતોને મુજ શક્તિથી;

પોષું છું ઔષધી સર્વે થઇ સોમ, રસે ભર્યો…..13

પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસો ઉત્પન્ન કરનાર ચન્દ્ર થઇ બધી વનસ્પતિઓનું પોષણ  કરું છું….13

અહમ્ , વૈશ્વાનર:, ભૂત્વા, પ્રાણિનામ્ , દેહમ્ , આશ્રિત:,

પ્રાણાપાનસમાયુક્ત:, પચામિ, અન્નમ્ , ચતુર્વિધમ્ …..14

હું વૈશ્વાનર રૂપે સૌ પ્રાણીના દેહમાં રહ્યો;

પ્રાણાપાન કરી યુક્ત પચાવું અન્ન ચોવિધ…….14

જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રય લઇ હું પ્રાણ અને અપાન વાયુ વડે ચારે પ્રકારનું અન્ન પચાવું છું.

(નોંધ:-ચાર પ્રકારનું અન્ન તે 1. ચાવીને ખાવાનું, 2. પીવાનું 3. ચૂસી લેવાનું અને 4. ચાટી જવાનું.કાકાસાહેબ કાલેલકર)

સર્વસ્ય, ચ, અહમ્ , સંનિવિષ્ટ:, મત્ત:, સ્મૃતિ:, જ્ઞાનમ્ , અપોહનમ્ , ચ, વેદૈ:, ચ, સર્વૈ:, અહમ્ , એવ, વેદ્ય:, વેદાંતકૃત્ , વેદવિત્ , એવ, ચ, અહમ્ ,…..15

નિવાસ સૌનાં હૃદયે કરું હું,

    હું-થી સ્મૃતિ, જ્ઞાન તથા વિવેક;

વેદો બધાનું હું જ એક વેદ્ય,

વેદાંતકર્તા હું જ વેદવેત્તા….15

વિવેકમૂળમાં અપોહન છે કેટલાંક તેનો અર્થ વિસ્મરણ અપણ કરે છે.

હું બધાનાં હૃદયને વિશે રહેલો છું; મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે.બધા વેદોથી જાણવાયોગ્ય તે હું જ, વેદોનો જાણનાર હું, અને વેદાંત પ્રગટાવનાર પણ હું જ છું….15

દ્વૌ, ઇમૌ,પુરુષૌ, લોકે, ક્ષર:, ચ, અક્ષર:, એવ, ચ,

ક્ષર:, સર્વાણિ, ભૂતાનિ, કૂટ્સ્થ:, અક્ષર:, ઉચ્યતે….16

બે છે આ પુરુષો વિશ્વે ક્ષર-અક્ષર, અર્જુન,

ક્ષર તે સઘળાં ભૂતો, નિત્યને અક્ષર કહ્યો…..16

આ લોકમાં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે. ભૂતમાત્ર તે ક્ષર છે અને તેમા6 જે સ્થિર રહેલો અંતર્યામી છે તે અક્ષર કહેવાય છે…..16

ઉત્તમ:, પુરુષ:,તુ, અન્ય:, પરમાત્મા, ઇતિ, ઉદાહૃત:,

ય:, લોકત્રય , આવિશ્ય, બિભરતિ, અવ્યય:, ઇશ્વર:…17

પોષે ત્રિલોકને વ્યાપી જે અવિનાશ ઇશ્વર,

પરમાત્મા કહ્યો તેને, ત્રીજો પુરુષ ઉત્તમ…..17

આ ઉપરાંત એક બીજો ઉત્તમ પુરુષ છે.તે પરમાત્મા કહેવાય છે. એ અવ્યય ઇશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને તેને પોષે છે…..17

યસ્મા , ક્ષર , અતીત:, અહ , અક્ષરા , અપિ, ચ, ઉત્તમ:,

અત:, અસ્મિ, લોકે, વેદે, ચ, પ્રથિત:, પુરુષોત્તમ;….18

કાં જે હું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ,

તેથી હું લોક ને વેદે વર્ણાયો પુરુષોત્તમ…..18

કેમ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું, તેથી વેદોમાં અને લોકોમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું….18

ય:, મામ્ , એવમ્ , અસંમૂઢ:, જાનાતિ, પુરુષોત્તમમ્ ,

સ:, સર્વવિત્ , ભજતિ, મામ્ , સર્વભાવેન, ભારત……19

જે અમૂઢ મને આમ જાણતો પુરુષોત્તમ,

તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મને ભજે……19

હે ભારત ! મોહરહિત થઇને મને પુરુષોત્તમને આમ જે જાણે છે તે  સર્વ જાણે છે ને મને પૂર્ણભાવે ભજે છે. …..19

ઇતિ, ગુહ્યતમમ્, શાસ્ત્રમ્ , ઇદમ્ , ઉક્તમ્ , મયા, અનઘ, એતત્ , બુધ્ધ્વા, બુધ્ધિમાન્ , સ્યાત્ , કૃતકૃત્ય:, ચ, ભારત…..20

 

 

હે અનઘ ! આ ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું.હે ભારત ! એ જાણીને મનુષ્ય બુધ્ધિમાન થાય અને પોતાનું જીવન સફળ કરે….20

 

ઔમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમ-યોગો નામ પંચદશોધ્યાય:

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો પુરુષોત્તમ-યોગ નામનો પંદરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

PURUSHOTTAM-YOG
પુરુષોત્તમ—યોગ
શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદરમો

આ અધ્યાયમાં ક્ષર અને અક્ષરથી પર એવું પોતાનું ઉત્તમ સ્વરૂપ ભગવાને સમજાવ્યું છે.—ગાંધીજી.

શ્રીભગવાનુવાચ– ઉર્ધ્વમૂલમ્ , અધ:શાખમ્ , અશ્વત્થમ્ , પ્રાહુ:, અવ્યયમ્ ,
છંદાસિ, યસ્ય, પર્ણાનિ, ય:, તમ્ , વેદ, સ: વેદવિત્ ,…..1
શ્રી ભગવાન બોલ્યા– ઊંચે મૂળ તળે ડાળો,શ્રુતિઓ પાંદડાં કહ્યાં; એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો…..1
જેનું મૂળ ઊંચે છે , જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય છે તેને જે જાણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે…….1 નોંધ:- ’શ્વ’ એટલે આવતીકાલ. તેથી અ—શ્વ—ત્થ એટલે આવતીકાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતર થયા કરે છે માટે તે અશ્વત્થ છે.પણ એવી સ્થિતિમાં તે હંમેશાં રહેનાર છે તેથી અને તેનું મૂળ ઊર્ધ્વ એટલે ઇશ્વર છે તેથી શાશ્વત અવિનાશી છે. તેને વેદ ના એટલે ધર્મના શુધ્ધ જ્ઞાનરૂપી પ્આતરાં ન હોય તો તે ન શોભે. આમ સંસારનું યથાર્થજ્ઞાન જેને છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે.
અધ:,ચ, ઉર્ધ્વ , પ્રસૃતા:, તસ્ય, શાખા:, ગુણપ્રવૃધ્ધા:, વિષયપ્રવાલા:, અધ:, ચ, મૂલાનિ, અનુસંતતાનિ, કર્માનુબન્ધીનિ, મનુષ્યલોકે……2 ઊંચે-તળે ડાળ-પસાર તેનો,
ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે; નીચે, વળી, માનવલોક માંહી મૂળો ગયાં, કર્મ વિષે ગૂંથાયાં,………2
(ડાળોનો પસારો)

ગુણોના સ્પર્શ વડે વૃધ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળી તે અશ્વત્થની ડાળીઓ નીચે—ઉપર પ્રસરેલી છે; કર્મોનાં બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે…….2 નોંધ:- સંસાર્વૃક્ષનું અજ્ઞાનીની દૃષ્ટિવાળું આ વર્ણનછે. તેનું ઊંચે ઇશ્વરમાં રહેલું મૂળ તે નથી જોતો,પણ વિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ વૃક્ષને પોષે છે ને મનુષ્યલોકમાં કર્મપાશમાં બંધાયેલો રહે છે.
ન, રૂપમ્ , અસ્ય, ઇહ, તથા, ઉપલભ્યતે, ન, અંત:, ન, ચ, આદિ:, ન, ચ, સંપ્રતિષ્ઠા, અશ્વત્થમ્ , એનમ્ , સુવિરૂઢમૂલમ્ , અસંગશસ્ત્રેણ, દૃઢેન, છિત્વા…..3
તત:, પદમ્ , તત્ , પરિમાર્ગિતવ્યમ્ , યસ્મિન્, નિવર્તંતિ, ભૂય:, તમ્, એવ,ચ, આદ્યમ્ , પુરુષમ્ , પ્રપદ્યે, યત:, પ્રવૃત્તિ:, પ્રસૃતા, પુરાણી….4
તેનું જગે સત્ય ન રૂપ ભાસે, ન આદિ—અંતે નહિ કોઇ પાયો; લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી,
અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ……3
(દૃઢમૂળવાળો)
શોધી પછી તે પદને પ્રયત્ને જ્યાં પોં’ચનારા ન પડે ફરીથી– તે પામવું આદિ પરમાત્મ રૂપ, પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ…..4
આ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી.તેને અંત નથી, આદિ નથી, પાયો નથી; ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીનેમનુષ્ય આ પ્રાર્થના કરે:’જેમાંથી આ સનાતનપ્રવૃત્તિ—માયા પ્રસરેલી તે આદિપુરુને હું શરણે જાઉં છું !’ અને તે પદને શોધે કે જેને પામનારાને ફરી જન્મમરણના ચક્રમાં પડવું નથી પડત્તું……3—4 નોંધ:- અસંગ એટલે અસહકાર,વૈરાગ્ય. જ્યાં લગી મનુષ્ય વિષયોની જોડે અસહકાર ન કરે, તેમનાં પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે તેમાં
ખૂંચ્યા જ કરવાનો. વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો બતાવે છે.

નિર્માનમોહા:, જિતસંગદોષા:, અધ્યાત્મનિત્યા:, વિનિવૃત્તકામા:, દ્વન્દૈ:, વિમુક્તા:, સુખદુ:ખસંજ્ઞૈ:, ગચ્છંતિ,અમૂઢા:, પદમ્ , અવ્યયમ્, તત્ ,…..5
નિર્માન, નિરમોહ, અસંગવૃત્તિ,
અધ્યાત્મનિષ્ઠા, નિત, શાંતકામ; છૂટેલ દ્વંદ્વ સુખદુ:ખરૂપી,
અમૂઢ તે અવ્યય ધામ પામે……5
(શાંતકામ—જેની વાસનાઓ શમી ગઇ છે.)
જેણે માનમોહનો ત્યાગ કર્યો છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યા છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષયો શમી ગયા છે, જે સુખ-દુ:ખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે. ….5
ન, તત્ , ભાસયતે, સૂર્ય:, ન, શશાંક:, ન, પાવક:, યત્ , ગત્વા, ન, નિવર્તંતે, તત્ , ધામ, પરમમ્, મમ…..6

સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં. જ્યાં પોં’ચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ….6
ત્યાં સૂર્યને, ચન્દ્રને કે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું.જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે….6
મમ, એવ, અંશ:, જીવલોકે, જીવભૂત:, સનાતન:, મન:ષષ્ઠાનિ, ઇન્દ્રિયાણિ, પ્રકૃતિસ્થાનિ,કર્ષતિ…..7 મારો જ અંશ સંસારે જીવરૂપ સનાતન,
ખેંચે પ્રકૃતિમાંથી તે મન ને પાંચ ઇન્દ્રિયો……7 મારો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થઇને પ્રકૃતિમાં રહેલ પાંચ ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે….7 શરીરમ્ , ય ત્, અવાપ્નોતિ, ય ત્, ચ, અપિ, ઉત્ક્રામતિ, ઇશ્વર:, ગૃહિત્વા, અતાનિ, સંયાતિ, વાયુ:, ગન્ધાન્ , એવ, આશયાત્ , ……8
જેમ વાયુ ગ્રહે ગંધ, વસ્તુનો નિજ સાથમાં, તેમ દેહી ગ્રહે આ સૌ ધારતાં—છોડતાં તનુ….8 શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઇ જાય છે તેમ ઇન્દ્રિયો સહિત મનને સાથે લઇ જાય છે
. …8

Bhakti-yog

ભકતિ-યોગ શ્રીમદ્ ભગવદ્ ગીતા // અધ્યાય બારમો

પુરુષોત્તમનાં દર્શન અનન્ય ભક્તિથી જ થાય એમ હોવાથી ભગવાનનાં દર્શન પછી તો ભક્તિનું સ્વરૂપ જ આલેખાય. આ બારમો અધ્યાય બધાએ મોઢે કરી લેવો જોઇએ. નાનામાં નાનામાંનો આ એક છે. આમાં આપેલાં ભક્તનાં લક્ષણ નિત્ય મનન કરવા જેવાં છે.—-મો.ક.ગાંધી

અર્જુન ઉવાચ–
એવમ્ ,સતતયુક્તા:,યે, ભક્તા:, ત્વામ્ ,પર્યુપાસતે,
યે, ચ, અપિ, અક્ષરમ્ ,અવ્યક્તમ્ ,તેષામ્ ,કે, યોગવિત્તમા:…1
અર્જુન બોલ્યા—
નિત્યયુક્ત થ ઇ આમ જે ભક્ત તમને ભજે; ને જે અક્ષર,અવ્યક્ત—તે બે માંહી ક્યા ચડે?…1
અર્જુન બોલ્યા– આમ જે ભક્તો તમારું નિરંતર ધ્યાન ધરતા તમને ઉપાસે છે ને જેઓ તમારા અવિનાશી અવ્યક્ત સ્વરૂપનું ધ્યાન ધરે છે તેમાંના ક્યા યોગી શ્રેષ્ઠ ગણાય?…1
શ્રીભગવાનુવાચ—
મયિ,આવેશ્ય,મન:, યે, મામ્ ,નિત્યયુક્તા:, ઉપાસતે, શ્રધ્ધ્યા, પરયા, ઉપેતા:, તે, મે, યુક્તતમા:, મતા:….2
મારામાં મનને પ્રોઇ, નિત્યયુક્ત થઇ મ’ને, ભજે પરમ શ્રધ્ધાથી, તે યોગી ચડતા ગણું…..2 શ્રીભગવાન બોલ્યા– નિત્ય ધ્યાન ધરતા, મારામાં મન આરોપીને જેઓ પરમ શ્રધ્ધાપૂર્વક મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું……2
યે, તુ, અક્ષરમ્ , અનિર્દેશ્યમ્ ,અવ્યક્તમ્ ,પર્યુપાસતે, સર્વત્રગમ્ ,અચિંત્યમ્ , ચ, કૂટસ્થમ્ , અચલમ્ , ધ્રુવમ્ …3
સંનિયમ્ય,ઇન્દ્રિયગ્રામ , સર્વત્ર, સમબુધ્ધય:, તે, પ્રાપ્નુવંતિ, મા , એવ, સર્વભૂતહિતે, રતા:…..4
જેઓ અચિંત્ય, અવ્યક્ત,સર્વવ્યાપક, નિશ્ચળ,
એકરૂપ,અનિર્દેશ્ય,ધ્રુવ અક્ષરને ભજે, ………3
ઇન્દ્રિયો નિયમે રાખી, સર્વત્ર સમબુધ્ધિના, સર્વભૂતહિતે રક્ત,તે યે મ’ને જ પામતા……..4
બધી ઇન્દ્રિયોને વશમાં રાખીને, બધે સમત્વ જાળવીને જેઓ અચિંત્ય,દ્રઢ,અચળ, ધીર, સર્વવ્યાપી, અવ્યક્ત, અવર્ણનીય, અવિનાશી સ્વરૂપને ઉપાસે છે તે સર્વ પ્રાણીઓના હિતમાં પરોવાયેલા મને જ પામે છે…3—4.

નોંધ:-
દેહધારી મનુષ્ય અમૂર્ત સ્વરૂપની માત્ર કલ્પના જ કરી શકે, પણ તેની પાસે અમૂર્ત સ્વરૂપને સારું એક પણ નિશ્ચયાત્મક શબ્દ નથી તેથી તેને નિષેધાત્મક ‘નેતિ’ શબ્દથી સંતોષ પામવો રહ્યો.એટલે જ મૂર્તિપૂજાનો નિષેધ કરનાર પણ સૂક્ષ્મ રીતે જોતાં મૂર્તિપૂજક જ હોય છે. પુસ્તકની પૂજા કરવી, દેવળમાં જઇને પૂજા કરવી, એક જ દિશામાં મુખ રાખી પૂજા કરવી એ બધાં સાકાર-પૂજાનાં લક્ષણ છે. આમ છતાં બધાએ સમજ્યે જ છૂટ્કો. ભક્તિની પરાકાષ્ઠા એ કે ભક્ત ભગવાનમાં શમી જાય ને છેવટે કેવળ એક અદ્વિતીય,અરૂપી ભગવાન જ રહે. પણ આ સ્થિતિને સાકારની મારફતે સહેલાઇથી પહોંચાય.તેથી નિરાકારને સીધા પહોંચવાનો માર્ગ કષ્ટસાધ્ય કહ્યો.

,
અવ્યક્તા, હિ, ગતિ:, દુ:ખ , દેહવદ્ભિ:, અવાપ્યતે….5

ક્લેશ:, અધિકતર:, તેષામ્ , અવ્યક્તાસક્તચેતસામ્
અવ્યક્તા, હિ ,ગતિ:, દુ:ખ ,દેહવદ્ભિ:, અવાપ્યતે…5
અવ્યક્તે ચિત્ત ચોંટાડે,તેને ક્લેશ થતો વધુ; મહા પરિશ્રમે દેહી, પામે અવ્યક્તમાં ગતિ…5
જેમનું ચિત્ત અવ્યક્તને વિશે ચોંટેલું છે તેમને કષ્ટ વધારે છે. અવ્યક્ત ગતિને દેહધારી કષ્ટ વડે જપામી શકે….5

યે, તુ, સર્વાણિ, કર્માણિ, મયિ, સંન્યસ્ય, મત્પરા:,
અનન્યેન, એવ, યોગેન, મામ્ , ધ્યાયંત:, ઉપાસતે…..6
મારામાં સર્વ કર્મોનો કરી સંન્યાસ, મત્પર, અનન્ય યોગથી મારાં કરે ધ્યાન –ઉપાસના…….6 તેષામ્ , અહમ્ , સમુધ્ધર્તા, મૃત્યુસંસારસાગરાત્
ભવામિ, નચિરાત્ , પાર્થ, મયિ, આવેશિતચેતસામ્,….7 મારામાં ચિત્ત પ્રોતા તે ભક્તોનો ભવસાગરે, વિના વિલંબ ઉધ્ધાર કરું છું , પાર્થ, હું સ્વયં….7
પણ, હે પાર્થ ! જેઓ મારામાં પરાયણ રહી, બધાં કર્મો મને સમર્પણ કરી, એકનિષ્ઠા થી મારું ધ્યાન ધરતા મને ઉપાસે છે અને મારામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે એવાઓને મરણધર્મી સંસારસાગરમાંથી હું ઝટ તારી લઉં છું…6—7
મયિ, એવ, મન:, આધત્સ્વ, મયિ, બુધ્ધિમ્ ,નિવેશય,
નિવસિષ્યસિ, મયિ, એવ, અત:, ઉર્ધ્વમ્ , ન, સંશય: …..8 હું-માં જ મનને સ્થાપ, નિષ્ઠામારી જ રાખ તું; તો મારામાં જ નિ:શંક, તું વસીશ હવે પછી…….8 તારું મન મારામાં રાખ, તારી બુધ્ધિ મારામાં પરોવ, એટલે આ ભવ પછીનિ:સંશય મને જ પામીશ…..8
અથ, ચિત્તમ્ , સમાધાતુમ્ , ન, શક્નોષિ, મયિ, સ્થિરમ્,
અભ્યાસયોગેન, તત:, મા મ્, ઇચ્છ્ ,આપ્તુ , ધનંજય….9
જો ન રાખી શકે સ્થિર હું—માં ચિત્ત સમાધિથી, તો મ’ને પામવા ઇચ્છ, સાધી અભ્યાસયોગને….9
હવે જો તું મારે વિશે તારું મન સ્થિર કરવા અસમર્થ હોય તો હે ધનંજય ! અભ્યાસયોગ વડે મને પામવાની ઇચ્છા રાખ…..9
અભ્યાસે, અપિ, અસમર્થ:, અસિ, મત્કર્મપરમ:, ભવ, મદર્થમ્ , અપિ, કર્માણિ, કુર્વન્ , સિધ્ધિમ્ , અવાપ્સ્યસિ….10
અભ્યાસેયે ન જો શક્તિ, થા મત્કર્મપરાયણ;
મારે અર્થે કરે કર્મો;તોયે પામીશ સિધ્ધિને…..10 (મારે માટે કર્મ કરવાં, તેને જ પરમ ધ્યેય સમજવાવાળો થા) એવો અભ્યાસ રાખવા પણ તું અસમર્થ હોય તો કર્મમાત્ર મને અર્પણ કર. એમ મારે નિમિત્તે કર્મ કરતો કરતો પણ તું મોક્ષ પામીશ. …10
અથ, એતત્ , અપિ, અશક્ત:, અસિ, કર્તુમ્, મદ્યોગમ્ , આશ્રિત:, સર્વકર્મફલત્યાગમ્ , તત;, કુરુ, યતાત્મવાન્,….11

જો ન કરી શકે તેયે, આશરો મુજ યોગને,
તો સૌ કર્મફળો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર….11

અને જો મારે નિમિત્તે કર્મ કરવા જેટલી પણ તારી શક્તિ ન હોય તો યત્નપૂર્વક બધાં કર્મોનાં ફળનો ત્યાગ કર….11 શ્રેય: હિ, અભ્યાસાત્ ,જ્ઞાનાત્ , ધ્યાનમ્ , વિશિષ્યતે,
ધ્યાનાત્ , કર્મફલત્યાગ:, ત્યાગાત્ , શાંતિ: અનંતરમ્ ,…..12

ઊંચું અભ્યાસથી જ્ઞાન, જ્ઞાનથી ધ્યાન તો ચડે; ધ્યાનથી ફળનો ત્યાગ, ત્યાગથી શાંતિ સત્વર….12
(અભ્યાસયોગ કરતાં જ્ઞાન ઊંચું છે; તે કરતાં ધ્યાન ચડે. કારણકે તે ધ્યાનથી જ ફળનો ત્યાગ સિધ્ધ થાય છે; અને ત્યાગથી જ સત્વર શાંતિ મળે છે.)

અભ્યાસમાર્ગ કરતાં જ્ઞાનમાર્ગ શ્રેયસ્કર છે.જ્ઞાનમાર્ગ કરતાં ધ્યાનમાર્ગ વિશેષ છે. અને ધ્યાનમાર્ગ કરતાં કર્મફલત્યાગ સરસ છે, કેમ કે એ ત્યાગને અંતે તુરંત શાંતિ જ હોય…..12 નોધ: ચિત્ત અશાંત હોય તો ધ્યાન સંભવે નહીં, અને અશાંતિનું કારણ તો જાતજાતની ફળ-વાસના જ છે.માટે ફળત્યાગ પ્રથમ કરવો જોઇએ એ ત્યાગ પછી ધ્યાનને આવશ્યક એવી શાંતિ તરત મળી શકે છે…કાકાસાહેબ કાલેલકર અદ્વેષ્ટા, સર્વભૂતાના , મૈત્ર:, કરૂણ:, એવ, ચ,
નિર્મમ:, નિર્હંકાર:સમદુ:ખસુખ:ક્ષમી…..13 સંતુષ્ટ:સતત , યોગી, યતાત્મા, દૃઢનિશ્ચય:, મયિ, અર્પિતમનોબુધ્ધિ;, ય:, મદ્ભક્ત:, સ;, મે, પ્રિય:…..14
અદ્વેષ સર્વ ભૂતોનો, મિત્રતા, કરુણા, ક્ષમા, નિર્મમ, નિરહંકાર, સુખદુ:ખે સમાનતા……13 યોગી સદાય સંતોષી, જિતાત્મા, દૃઢનિશ્ચયી, મનબુધ્ધિ મ’ને અર્પ્યા તે મદ્ ભક્ત મ’ને પ્રિય….14
જે પ્રાણીમાત્ર પ્રત્યે દ્વેષરહિત,સર્વનો મિત્ર,દયાવાન, ક્ષમાવાન, અહંતા—મમતા—રહિત, સુખ-દુ:ખને વિશે સરખો, સદાય સંતોષી, યોગયુક્ત, ઇન્દ્રિય—નિગ્રહી, અને દૃઢ નિશ્ચયવાળો છે, તેમ જ મારે વિશે જેણે પોતાનાં બુધ્ધિને મન અર્પણ કર્યા છે.એવો મારો ભક્ત મને પ્રિય છે….13 અને 14
યસ્માત્, ન, ઉદ્વિજતે, લોક:, લોકાત્ , ન, ઉદ્વિજતે, ચ, ય:,
હર્ષામર્ષભયોદ્વેગે;, મુક્ત:, ય:, સ:, ચ, મે, પ્રિય:….15

જેથી દુભાય નાલોકો,લોકથી જે દુભાય ના; કર્ષ-ક્રોધ-ભય- ક્ષોભે છૂટ્યો જે, તે મ’ને પ્રિય….15
જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા, જે લોકોથી ઉદ્વેગ નથી પામતો, જે હર્ષ, ક્રોધ, અદેખાઇ, ભય, અને ઉદ્વેગથી મુક્ત છે, તે મને પ્રિય છે…15
નોંધ:- જે તેને ઓળખે છે તે તેની અંદર છે. ગતિ અને સ્થિરતા,શાંતિ અને અશાંતિ બંને આપણે અનુભવીએ છીએ, અને એ બધા ભાવો તેનામાંથી જ પેદા થાય છે તેથી તે ગતિમાન અને સ્થિર બંને છે.
અનપેક્ષ:, શુચિ:, દક્ષ:, ઉદાસીન:, ગતવ્યથ:,
સર્વારમ્ભપરિત્યાગી, ય:, મદ્ભ્ક્ત:, સ:,મે, પ્રિય:….16 પવિત્ર,નિસ્પૃહી,દક્ષ, ઉદાસીન,વ્યથા નહીં, સૌ કર્મારંભ છોડેલો, મારો ભક્ત મ’ને પ્રિય….16 (કર્મારંભ—(આસક્તિપૂર્વક થતાં) કર્મોનો ખટાટોપ. તે અવિભક્ત હોવા છતાં ભૂતોને વિશે વિભક્તના જેવું પણ રહેલ છે. તે જાણવા યોગ્ય(બ્રહ્મ) પ્રાણીઓનું પાલક, નાશક ને ફરી ઉત્પન્નકર્તા છે….16
ય:, ન, હૃષ્યતિ, ન, દ્વેષ્ટિ , ન, શોચતિ, ન, કાંક્ષતિ,
શુભાશુભપરિત્યાગી, ભક્તિમાન્ , ય:, સ:, મે, પ્રિય:…..17
ન કરે હર્ષ કે દ્વેષ, ન કરે શોક કે સ્પૃહા;
શુભાશુભત્યજ્યાં જેણે, ભક્તિમાન મ’ને પ્રિય….17
જે હર્ષ પામતો નથી,જે દ્વેષ કરતો નથી,જે ચિંતા નથી કરતો, જે આશાઓ નથી બાંધતો,જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, તે ભક્તિ-પરાયણ મને પ્રિય છે…..17 સમ:,શત્રૌ, ચ, મિત્રે, ચ, તથા, માનાપમાનયો:, શીતોષ્ણસુખદુ:ખેષુ, સમ:, સંગવિવર્જિત:……18 તુલ્યનિન્દાસ્તુતિ:, મૌની, સંતુષ્ટ;, યેન, કેનચિત્ , અનિકેત:, સ્થિરમતિ:, ભક્તિમાન્ , મે, પ્રિય:,નર:…19

સમ જે શત્રુ ને મિત્રે, સમ માનાપમાનમા; ટાઢે—તાપે, સુખેદુ:ખે સમ, આસક્તિહીન જે;….18
સમાન સ્તુતિ—નિંદામાં, મૌની,સંતુષ્ટ જે મળે; સ્થિરબુધ્ધિ, નિરાલંબ, ભક્ત જે, તે મ’ને પ્રિય…..19
શત્રુ—મિત્ર, માન-અપમાન, ટાઢ—તડકો,સુખ—દુ:ખ—અ બધાંને વિશે જે સમતાવાન છે,જેણે આસક્તિ છોડી છે, જે નિંદા સ્તુતિમાં સરખો વર્તે છે ને મૌન ધારણ કરે છે, જે કાંઇ મળે તેથી જેને સંતોષ છે, જેને પોતાનું એવું કોઇ આશ્રયસ્થાન નથી, જે સ્થિર ચિત્તવાળો છે, એવો ભક્ત મ’ને પ્રિય છે…18—19

યે, તુ, ધર્મ્યામૃતમિદ , ઇદ , ય્થા, ઉક્ત , પર્યુપાસતે, શ્રધ્ધાના:, મત્પરમા:, ભક્તા:, તે, અતીવ, મે, પ્રિયા:…..20 આ ધર્મામૃતને સેવે શ્રધ્ધાથી જેમ મેં કહ્યું,
મત્પરાયણ જે ભક્તો, તે મ’ને અતિશે પ્રિય……20 આપવિત્ર અમૃતરૂપ જ્ઞાન જેઓ મારામાં પરાયણ રહીને શ્રધ્ધાપૂર્વક સેવે છે તેઓ મારા અતિશય પ્રિય ભક્ત છે…..20
ઔમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગો નામ દ્વાદશો અધ્યાય:II 12II

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘ભક્તિયોગ’ નામનો બારમો અધ્યાય અત્રે પૂરો થાય છે.
ઔમ્ તત્સત્ ,
દેવદિવાળી,2066/29મી ઑક્ટોબર 2009

Sthitapragya naa laxano

 સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72

 નોંધ:- સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.

 સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.

ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

અર્જુન ઉવાચ:

 સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ

 સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54

અર્જુન બોલ્યા:

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

 

બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54

 

અર્જુન બોલ્યા:

 હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

શ્રીભગવાનુવાચ:

પ્રજહાતિ યદા કામાંસર્વાંપાર્થ મનોગતા

 આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે….55

 

શ્રીભગવાન બોલ્યા–

સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
નોંધ:-
સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે. સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે. ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

અર્જુન ઉવાચ: સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54

અર્જુન બોલ્યા: સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ? બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
અર્જુન બોલ્યા: હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

શ્રીભગવાનુવાચ: પ્રજહાતિ યદા કામાંસર્વાંપાર્થ મનોગતા આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે….55
શ્રીભગવાન બોલ્યા– મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55
શ્રીભગવાન બોલ્યા– હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55 નોંધ:
આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો, સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો. આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ: વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરૂચ્યતે…56
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ; ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56 દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56
ય: સર્વત્રાનભિસ્નેહસ્તત્ત્પ્રાપ્ય શુભાશુભમ્ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…57
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ; ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઇ સ્થિર….57

જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુધ્ધિ સ્થિર છે…..57

યદા સંહરતે ચાયં કૂર્મોઅંગાનીવ સર્વશ: ઇન્દ્રિયાણિઇન્દ્રિયાર્થેભ્યયસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…58
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….58 કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષજ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુધ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય..58 વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિન: રસવર્જં રસોપ્યસ્ય પરં દ્ર્ષ્ટ્વા નિવરતતે…59 નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં…59 દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે જરૂર; પણ (વિષય પરત્વેનો) એનો રસ નથી જતો;તે રસ તો પરવસ્તુના દર્શનથી,પરમાત્માનો સાક્ષાત્કારથવાથી શમે છે…..59
નોંધ: આ શ્લોક ઉપવાસાદિનો નિષેધનથી કરતો પણ તેની મર્યાદા સૂચવે છે.વિષયોને શાંત કરવા સારુ ઉપવાસાદિ આવશ્યક છે,પણ તેમની જડ એટલે તેમને વિશે ર્હેલોરસ તો કેવળ ઇશ્વરની ઝાંખી થયે જ શમે.ઇશ્વરસાક્ષાત્કારનો જેને રસ લાગ્યો તે બીજા રસોને ભૂલી જ જાય….

યતતો હ્યપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત: ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરંતિ પ્રસભં મન:…60 પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે
મનને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી….60
હે કૌંતેય! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઇન્દ્રિયો એવી તો વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે….60 તાનિ સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પર: વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…61
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ, ઇન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા સ્થિર….61
એ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઇ રહેવું જોઇએ,કેમ કે પોતાની ઇંદ્રિયો જેના વશમાં છે તેની જ બુધ્ધિ સ્થિર રહે છે….61 નોંધ:
એટલે કે ભક્તિ વિના-ઇશ્વરની સહાય વિના, પુરુષ-પ્રયત્ન મિથ્યા છે. ધ્યાયતો વિષયાંપુંસ: સંગસ્તેષૂપજાયતે સંગાત્સંજાયતે કામ: કામાત્ક્રોધોઅભિજાયતે…62

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે, જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે….62

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે.આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે….62
નોંધ:
કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઇ દિવસ તૃપ્ત થતો જ નથી.

ક્રોધાત્ભવતિસંમોહ:સંમોહાત્સ્મૃતિવિભ્રમ: સ્મૃતિભ્રંશાદ્બુધ્ધિનાશો બુધ્ધિનાશાત્પ્રણશ્યતિ…63 ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે; સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે….63 ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે.(તેની સર્વે પ્રકારે અધોગતિ થાય છે.)…63 રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્ આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ….64
રાગ ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા….64 પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે….64 પ્રસાદે સર્વ દુ:ખાનાં હાનિરસ્યોપજાયતે પ્રસન્નચેતસો હ્યાશુ બુધ્ધિ:પર્યવતિષ્ટતે….65 પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;
પામ્યો પ્રસન્નતાતેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર…65 ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુધ્ધિ તરત જ સ્થિર થાય છે…65
નાસ્તિ બુધ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત: શાંતિરશાંતસ્ય કુત: સુખમ્ ….66
અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના; ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને?….66 જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી હોય?…..66 ઇન્દ્રિયાણાં હિ ચરતાં યન્મનોઅનુવિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ…67 ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન, દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે….67 વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન –વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઇ જાય છે તેમ—તેની બુધ્ધિને ગમે ત્યાં તાણી લઇ જાય છે….67 તસ્માદ્યસ્ય મહાબાહો નિગૃહીતાનિ સર્વશ: ઇન્દ્રિયાણિઇન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ટિતા…68 તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયોથકી ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….68 તેથી હે મહાબાહો !જેની ઇન્દ્રિયો ચોમેર વિષયોમાંથી નીકળીને પોતાના વશમાં આવી ગયેલી હોય છે તેની બુધ્ધિ સ્થિર થાય છે…68
યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને:…69 નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી, જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા….69 જે ટાણે સર્વ પ્રાણી સૂતાં હોય છે તે ટાણે સંયમી જાગતો હોય છેઅને જેમાં (જ્યારે) લોકો જાગતા હોય છે તેમાં(ત્યારે) જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે…69 નોંધ: ભોગી મનુષ્યો રાત્રિના બારએક વાગ્યા સુધી નાચ, રંગ, ખાનપાનાદિમાં પોતાનો સમય ગાળે છે ને પછી સવારના સાતાઅઠ વાગ્યા સુધી સૂએ છે.સંયમી રાત્રિના સાતઆઠ વાગ્યે સૂઇ મધરાતે ઊઠી ઇશ્વરનું ધ્યાન ધરે છે. વળી જ્યાં ભોગી સંસારનો પ્રપંચ વધારે છે ને ઇશ્વરને ભૂલે છે ત્યાં સંયમી સંસારી પ્રપંચથી અણજાણ રહે છે ને ઇશ્વરનો સાક્ષાત્કાર કરે છે એમ બંનેના પંથ ન્યારા છે એમ આ શ્લોકમાં ભગવાને સૂચવ્યું છે…
આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપ: પ્રવિશંતિ યદ્વત્ તદ્વત્કામા યં પ્રવિશંતિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામકામી….70

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ સમુદ્રમાં નીર બધાં પ્રવેશે; જેમાં પ્રવેશે સહુ કામ તેમ, તે શાંતિ પામે નહીં કામકામી…70
બધેથી સતત ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે એવા સમુદ્રમાં જેમ પાણી સમાઇ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય….70 વિહાય કામાન્ય: સર્વાંપુમાંશ્ચરતિ નિ:સ્પૃહ: નિર્મમો નિરહંકાર:સ શાંતિમધિગચ્છતિ….71
છોડીને કામના સર્વે ફરે જે નર નિસ્પૃહ, અહંતા—મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત…71 બધી કામનાઓને છોડી જે પુરુષ ઇચ્છા, મમતા અને અહંકારરહિત થઇ વિચરે છે તે જ શાંતિ પામે છે….71
એષા બ્રાહ્મી સ્થિતિ:પાર્થ નૈનાં પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્યામંતકાલેઅપિ બ્રહ્મનિર્વાણમૃછતિ…72
આ છે બ્રહ્મદશા, એને પામ્યે ના મોહમાં પડે; અંતકાળેય તે રાખી બ્રહ્મનિરવાણ મેળવે….72 હે પાર્થ ! ઇશ્વરને ઓળખનારની સ્થિતિ આવી વર્તે છે. તે પામ્યા પછી તે મોહને વશ નથી થતો, અને મરણકાળે પણ આવી જ સ્થિતિ નભે એટલે તે બ્રહ્મનિર્વાણ પામે છે..72
નોંધ: અહીં સ્થિતપ્રજ્ઞના લક્ષણો પૂરા થાય છે, હવે પછી ટુંક સમયમાં ભક્તિયોગ(અધ્યાય બારમો) તથા પુરુષોત્તમ –યોગ મૂકવાની ઇચ્છા છે.

Sthitapragya naa laxano

સ્થિતપ્રજ્ઞના લક્ષણો શ્રીમદ્ ભગવદ્ ગીતા—અધ્યાય બીજો/શ્લોક:54 થી 72
નોંધ:-
સંસ્કૃત શ્લોકો ગીતાપ્રેસ-ગોરખપુરમાંથી લીધેલ છે.

 સમગેય ગુજરાતી પદ્ય ભાષાંતર “ગીતા ધ્વનિ”/કિશોરલાલ મશરૂવાળાનું છે.

ગદ્ય સમજૂતિ ગાંધીજીના “અનાસક્તિયોગ” માંથી છે.

અર્જુન ઉવાચ:

 સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ

સ્થિતધી:કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ …..54

અર્જુન બોલ્યા:

સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ?

 બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુધ્ધિનો?…54
અર્જુન બોલ્યા:

હે કેશવ !સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય?સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે?…..54

શ્રીભગવાનુવાચ:

 પ્રજહાતિ યદા કામાંસર્વાંપાર્થ મનોગતા

 આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે….55
શ્રીભગવાન બોલ્યા–

 મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે

 રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો….55
શ્રીભગવાન બોલ્યા–

હે પાર્થ !જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓ મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મમાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે….55

નોંધ:
આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનન્દ અંદરથી શોધવો, સુખદુ:ખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો. આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું ઘટે. મને પૈસા મળે તેમાં હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુ;ખ હોય છતાં હું ચોરીની કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પૃહ:

વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરૂચ્યતે…56
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે,સુખોની ઝંખના ગઇ;

 ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિરબુધ્ધિનો…56

 દુ:ખોથી જે દુ:ખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ,ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુધ્ધિ કહેવાય છે….56
ય: સર્વત્રાનભિસ્નેહસ્તત્ત્પ્રાપ્ય શુભાશુભમ્

નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…57
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઇ શુભાશુભ;

ન કરે હર્ષ કે દ્વેષ તેની પ્રજ્ઞા થઇ સ્થિર….57

જે બધે રાગ રહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુધ્ધિ સ્થિર છે…..57

યદા સંહરતે ચાયં કૂર્મોઅંગાનીવ સર્વશ:

ઇન્દ્રિયાણિઇન્દ્રિયાર્થેભ્યયસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા…58
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયોથકી

 સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઇ સ્થિર….58

 

કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષજ્યારે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુધ્ધિ સ્થિર થઇ છે એમ કહેવાય..58

વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિન: રસવર્જં

રસોપ્યસ્ય પરં દ્ર્ષ્ટ્વા નિવરતતે…59

 

 

વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,

 જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે….62

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે.આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે….62
નોંધ:
કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઇ દિવસ તૃપ્ત થતો જ નથી.

ક્રોધાત્ભવતિસંમોહ:સંમોહાત્સ્મૃતિવિભ્રમ:

 સ્મૃતિભ્રંશાદ્બુધ્ધિનાશો બુધ્ધિનાશાત્પ્રણશ્યતિ…63

ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;

સ્મૃતિલોપે બુધ્ધિનાશ, બુધ્ધિનાશે વિનાશ છે….63

ક્રોધમાંથી મૂઢતા પેદા થાય છે, મૂઢતામાંથી ભાન ભુલાય છે ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાય છે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામે છે.(તેની સર્વે પ્રકારે અધોગતિ થાય છે.)…63

 રાગદ્વેષવિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરન્

 આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ….64

ને દ્વેષ છૂટેલીઇન્દ્રિયે વિષયો ગ્રહે

વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા….64

પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરે છે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે….64

પ્રસાદે સર્વ દુ:ખાનાં હાનિરસ્યોપજાયતે

પ્રસન્નચેતસો હ્યાશુ બુધ્ધિ:પર્યવતિષ્ટતે….65

પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતા;
પામ્યો પ્રસન્નતાતેની બુધ્ધિ શીઘ્ર બને સ્થિર…65

પ્રસન્નતાથી એનાં બધાં દુ:ખો ટળે છે અને પ્રસન્નતા પામેલાની બુધ્ધિ તરત જ સ્થિર થાય છે…65
નાસ્તિ બુધ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના

 ન ચાભાવયત: શાંતિરશાંતસ્ય કુત: સુખમ્ ….66
અયોગીને નથી બુધ્ધિ, અયોગીને ન ભાવના;

 ન ભાવહીનને શાંતિ,સુખ ક્યાંથી અશાંતને?….

જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી તેને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી હોય?…..66

હિ ચરતાં યન્મનોઅનુવિધીયતે

તદસ્ય હરતિ પ્રજ્ઞાં વાયુર્નાવમિવામ્ભસિ…67

ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂઠે જે વહે મન,

 દેહીની તે હરે બુધ્ધિ, જેમ વા નાવને જળે….

વિષયોમાં ભટકતી ઇન્દ્રિયોની પાછળ જેનું મન દોડી જાય છે તેનું એ મન –વાયુ જેમ પાણીમાં નૌકાને તાણી લઇ જાય છે તેમ—તેની બુધ્ધિને ગમે ત્યાં તાણી લઇ જાય છે….67

 

સદા ભરાતા અચલપ્રતિષ્ઠ સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;

જેમાં પ્રવેશે સહુ કામ તેમ, તે શાંતિ પામે નહીં કામકામી…70

સતત ભરાતાં છતાં જેની મર્યાદા અચળ રહે છે એવા સમુદ્રમાં જેમ પાણી સમાઇ જાય છે તેમ જે મનુષ્યને વિશે સંસારના ભોગો શમી જાય છે તે જ શાંતિ પામે છે, નહીં કે કામનાવાળો મનુષ્ય….

 

 

Older Posts »