ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ
અધ્યાય:14
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ
અધ્યાય:14
ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ
અધ્યાય:14
ત્રિગુણ નિરૂપણ
શ્રીભગવાન બોલ્યા—
જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું,
જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં. 1
આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા,
સર્વકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે. 2
———-
મારું ક્ષેત્ર મ્હદ બ્રહ્મ, તેમાં હું બીજ થાપું છું;
તે થકી સર્વ ભૂતોની લોકે ઉત્પત્તિ થાય છે. 3
સર્વ યોનિ વિશે જે જે વ્યકતિઓ જન્મ પામતી,
તેનું ક્ષેત્ર મહદ બ્રહ્મ,પિતા હું બીજદાયક. 4
———
તમ, રજ તથા સત્ત્વ,– ગુણો પ્રકૃતિથી થયા;
તે જ અવ્યય દેહીને બાંધે છે દેહને વિશે. 5
તેમાં નિર્મળ તે સત્ત્વ, દોષહીન,પ્રકાશક;
તે બાંધે છે કરાવીને આસક્તિ જ્ઞાનને સુખે. 6
તૃષ્ણા-આસક્તિથી જન્મ્યો રાગ, તે જ રજોગુણ;
દેહીને બાંધતો તે તો આસક્ત કર્મમાં કરી. 7
મોહમાં નાંખતો સૌને ઊઠે અજ્ઞાનથી તમ;
દેહીને બાંધતો તે તો નિદ્રા-પ્રમાદ=આળસે. 8
——–
સુખમાં જોડતો સત્ત્વ, કર્મમાં જોડતો રજ;
ને ઢાંકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમોગુણ. 9
———-
રજ-તમ દબાવીને સત્ત્વ ઉપર આવતો;
રજોગુણ તમો-સત્ત્વ, તમ તે રજ-સત્ત્વને. 10
જ્યારે આ દેહમાં દીસે પ્રકાશ સર્વ ઇંદ્રિયે,
ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલો સત્ત્વ જાણવો. 11
કર્મ પ્રવૃત્તિ, આરંભ, લોભ, અશાંતિ, ને સ્પૃહા,
રજોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં. 12
પ્રવૃત્તિ ના, પ્રકાશે ના, દીસેપ્રમાદ, મૂઢતા;
તમોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં. 13
સત્ત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો;
ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મળ લોક મેળવે. 14
કર્મસંગી વિશે જન્મે, તમમાં લય પામતાં.
મૂઢ યોનિ વિશે જન્મે, તમમાં લય પામતાં. 15
——–
કહ્યું છે પુણ્ય કર્મોનું ફળ સાત્ત્વિક નિર્મળ;
રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ. 16
સત્ત્વથી ઊપજે જ્ઞાન, રજથી લોભ ઊપજે;
પ્રમાદ, મોહ, અજ્ઞાન, ઊપજે તમથી સહુ. 17
——–
ચડે છે સાત્ત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે;
હીનવૃત્તિ તમોધર્મી, તેની થાય અધોગતિ. 18
ગુણો વિના ન કર્તા કો, જ્યારે દ્રષ્ટા પિછાણતો.
ત્રિગુણાતીતને જાણે , તે પામે મુજ ભાવને. 19
દેહ સાથે ઊઠેલા આ ત્રિગુણો જે તરી જતો;
જન્મ=મૃત્યુ-જરા-દુ:ખે છૂટ્ર્ર તે મોક્ષ ભોગવે. 20
અર્જુન બોલ્યા—
ક્યાં લક્ષણથી દેહી ત્રિગુણાતીત થાય છે?
હોય આચાર શો તેનો ? કેમ તે ત્રિગુણો તરે ? 21
———
શ્રીભગવાન બોલ્યા—
જ્ઞાન, પ્રવૃત્તિ ને મોહ –તેના ધર્મો શરીરમાં
ઊઠે તો ન કરે દ્વેષ, શમે તો ન કારે સ્પૃહા. 22
જે ઉદાસીન-શો વર્તે ગુણોથી ચળતો નહીં.
વર્તે ગુણો જાણીને, રહે સ્થિર ડગે નહીં. 23
સમ દુ:ખેસુખે , સ્વસ્થ, સમલોષ્ટાશ્મકાંચન !
સમ પ્રિયાપ્રિયે, ધીર, સમ નિંદા-વખાણમાં 24
સમ માનાપમાને જે, સમ જે શત્રુમિત્રમાં;
સૌ કર્મારંભ છોડેલો, ગુણાતીત ગણાય તે. 25
અવ્યભિચાર ભાવે જે ભક્તિયોગે મ’ને ભજે;
તે આ ગુણો કરી પાર, બ્રહ્મને પાત્ર થાય છે. 26
——–
અમૃત-અક્ષર-બ્રહ્મ, ને એકાંતિક જે સુખ;
તેમ શાશ્વત ધર્મો જે, સૌનો આધાર હું જ છું. 27
———————————————–
ર
Leave a comment