ગીતાધ્વનિ\સમશ્લોકી અનુવાદ\અધ્યાય:14

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ

   

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ

               અધ્યાય:14

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ

               અધ્યાય:14

ગીતાધ્વનિ\ગીતાનો સમશ્લોકી અનુવાદ

               અધ્યાય:14

                ત્રિગુણ નિરૂપણ

 શ્રીભગવાન બોલ્યા—

જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું,

જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં.    1

આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા,

સર્વકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે.     2

          ———-

મારું ક્ષેત્ર મ્હદ બ્રહ્મ, તેમાં હું બીજ થાપું છું;

તે થકી સર્વ ભૂતોની લોકે ઉત્પત્તિ થાય છે.    3

સર્વ યોનિ વિશે જે જે વ્યકતિઓ જન્મ પામતી,

તેનું ક્ષેત્ર મહદ બ્રહ્મ,પિતા હું બીજદાયક.     4

            ———

તમ, રજ તથા સત્ત્વ,– ગુણો પ્રકૃતિથી થયા;

તે જ અવ્યય દેહીને બાંધે છે દેહને વિશે.     5

તેમાં નિર્મળ તે સત્ત્વ, દોષહીન,પ્રકાશક;

તે બાંધે છે કરાવીને આસક્તિ જ્ઞાનને સુખે.    6

તૃષ્ણા-આસક્તિથી જન્મ્યો રાગ, તે જ રજોગુણ;

દેહીને બાંધતો તે તો આસક્ત કર્મમાં કરી.    7

મોહમાં નાંખતો સૌને ઊઠે અજ્ઞાનથી તમ;

દેહીને બાંધતો તે તો નિદ્રા-પ્રમાદ=આળસે.   8

            ——–

 સુખમાં જોડતો સત્ત્વ, કર્મમાં જોડતો રજ;

ને ઢાંકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમોગુણ.   9

          ———-

રજ-તમ દબાવીને સત્ત્વ ઉપર આવતો;

રજોગુણ તમો-સત્ત્વ, તમ તે રજ-સત્ત્વને.  10

જ્યારે આ દેહમાં દીસે પ્રકાશ સર્વ ઇંદ્રિયે,

ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલો સત્ત્વ જાણવો.   11

કર્મ પ્રવૃત્તિ, આરંભ, લોભ, અશાંતિ, ને સ્પૃહા,

રજોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં.   12

પ્રવૃત્તિ ના, પ્રકાશે ના, દીસેપ્રમાદ, મૂઢતા;

તમોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં.   13

સત્ત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો;

ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મળ લોક મેળવે.     14

કર્મસંગી વિશે જન્મે, તમમાં લય પામતાં.  

મૂઢ યોનિ વિશે જન્મે, તમમાં લય પામતાં.   15

            ——–

કહ્યું છે પુણ્ય કર્મોનું ફળ સાત્ત્વિક નિર્મળ;

રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ.    16

સત્ત્વથી ઊપજે જ્ઞાન, રજથી લોભ ઊપજે;

પ્રમાદ, મોહ, અજ્ઞાન, ઊપજે તમથી સહુ.    17

        ——–

ચડે છે સાત્ત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે;

હીનવૃત્તિ તમોધર્મી, તેની થાય અધોગતિ.    18

ગુણો વિના ન કર્તા કો, જ્યારે દ્રષ્ટા પિછાણતો.

ત્રિગુણાતીતને જાણે , તે પામે મુજ ભાવને.    19

દેહ સાથે ઊઠેલા આ ત્રિગુણો જે તરી જતો;

જન્મ=મૃત્યુ-જરા-દુ:ખે છૂટ્ર્ર તે મોક્ષ ભોગવે.    20

અર્જુન બોલ્યા—

ક્યાં લક્ષણથી દેહી ત્રિગુણાતીત થાય છે?

હોય આચાર શો તેનો ? કેમ તે ત્રિગુણો તરે ?   21

              ———

શ્રીભગવાન બોલ્યા—

જ્ઞાન, પ્રવૃત્તિ ને મોહ –તેના ધર્મો શરીરમાં

ઊઠે તો ન કરે દ્વેષ, શમે તો ન કારે સ્પૃહા.     22

જે ઉદાસીન-શો વર્તે ગુણોથી ચળતો નહીં.

વર્તે ગુણો જાણીને, રહે સ્થિર ડગે નહીં.     23

સમ દુ:ખેસુખે , સ્વસ્થ, સમલોષ્ટાશ્મકાંચન !

સમ પ્રિયાપ્રિયે, ધીર, સમ નિંદા-વખાણમાં  24

સમ માનાપમાને જે, સમ જે શત્રુમિત્રમાં;

સૌ કર્મારંભ છોડેલો, ગુણાતીત ગણાય તે.   25

અવ્યભિચાર ભાવે જે ભક્તિયોગે મ’ને ભજે;

તે આ ગુણો કરી પાર, બ્રહ્મને પાત્ર થાય છે.  26

                 ——–

અમૃત-અક્ષર-બ્રહ્મ, ને એકાંતિક જે સુખ;

તેમ શાશ્વત ધર્મો જે, સૌનો આધાર હું જ છું.   27

———————————————–

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 777,994 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
સપ્ટેમ્બર 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો