ગીતાધ્વનિ: અધ્યાય:ચૌદમો
ત્રિગુણ નિરુપણ
શ્રીભગવાન બોલ્યા—
જ્ઞાનોમાં શ્રેષ્ઠ જે જ્ઞાન, તે ફરી તુજને કહું;
જે જાણી મુનિઓ સર્વે પામ્યા સિદ્ધિ અહીં પરં…1
આ જ્ઞાન આશરી જેઓ પામે મુજ સમાનતા,
સર્ગકાળે ન તે જન્મે, પ્રલયે ન વ્યથા ખમે…2
*
મારું ક્ષેત્ર મહદ બ્રહ્મ, તેમાં હું બીજ થાપું છું;
તે થકી સર્વ ભૂતોની લોકે ઉત્પત્તિ થાય છે…3
સર્વ યોનિ વિશે જે જે વ્યક્તિઓ જન્મ પામતી,
તેનું ક્ષેત્ર મહદ બ્રહ્મ, પિતા હું બીજ દાયક…4
*
તમ, રજ તથા સત્ત્વ,–ગુણો પ્રકૃતિથી થયા;
તે જ અવ્યય દેહીને બાંધે છે દેહને વિશે…5
તેમાં નિર્મળ તે સત્ત્વ, દોષ્હીન, પ્રકાશક;
તે બાંધે છે કરાવીને આસક્તિ જ્ઞાન ને સુખ…6
તૃષ્ણા-આસક્તિથી જન્મ્યો રાગ, તે જ રજોગુણ;
દેહીને બાંધતો તે તો આસક્ત કર્મમાં ફરી…7
મોહમાં નાંખતો સૌને ઊઠે અજ્ઞાનથી તમ;
દેહીને બાંધતો તે તો નિદ્રા-પ્રમાદ-આળસે…8
*
સુખમાં જોડતો સત્ત્વ, કર્મમાં જોડતો રજ;
ને ઢાંકી જ્ઞાનને જોડે પ્રમાદે તો તમોગુણ…9
*
રજ-તમને દબાવીને સત્ત્વઉપર આવતો;
રજોગુણ તમો-સત્ત્વ, તમ તે રજ-સત્ત્વને…10
જ્યારે આ દેહમાં દીસે પ્રકાશ સર્વ ઈંદ્રિયે, પ્રમાદ, મૂઢતા;
ને જ્ઞાન પ્રગટે ત્યારે વધેલો સત્ત્વ જાણવો…11
કર્મ પ્રવૃત્તિ, આરંભ, લોભ, અશાંતિ, ને સ્પૃહા,
રજોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં…12
પ્રવૃત્તિ ના, પ્રકાશે ના, દીસે પ્રમાદ, મૂઢતા;
તમોગુણ વધે જ્યારે, ત્યારે આ ઊપજે બધાં…13
સત્ત્વની વૃદ્ધિ વેળાએ દેહી છોડે શરીર જો;
ઉત્તમ જ્ઞાનવાનોના નિર્મળ લો ક મેળવે..14
કર્મસંગી વિશે જન્મે, તમમાં લય પામતાં;…15
*
કહ્યું છે પુણ્ય ક લોભ ઊપજે કર્મોનું ફળ સાત્ત્વિક નિર્મળ;
રજનું ફળ છે દુ:ખ, અજ્ઞાન તમનું ફળ…16
સત્ત્વથી ઊપજે જ્ઞાન, રજથીલોભ ઊપજે;
પ્રમાદ, મોહ, અજ્ઞાન, ઊપજે તમથી સહુ…17
*
ચડે છે સાત્ત્વિકો ઊંચે, રાજસો મધ્યમાં રહે;
હીનવૃત્તિ તમો ધર્મી, તેની થાય અધોગતિ…18
ગુણો વિના ન કર્તા કો, જ્યારે દ્રષ્ટા પિચાણતો,
ત્રિગુણાતીતને જાણે, તે પામે મુજ ભાવને…19
દેહ સાથે ઊઠેલા આ ત્રિગુણો જે તરી જતો;
જન્મ-મૃત્યુ-જરા-દુ:ખે છૂટી તે મોક્ષ ભોગવે…20
*
અર્જુન બોલ્યા—
ક્યાં લક્ષણથી દેહી ત્રિગુણાતીત થાય છે?
હોય આચાર શો તેનો? કેમ તે ત્રિગુણો તરે?..21
*
શ્રીભગવાન બોલ્યા—
જ્ઞાન, પ્રવૃત્તિ ને મોહ—તેના ધર્મો શરીરમાં
ઊઠે તો ન કરે દ્વેષ, શમે તો ન કરે સ્પૃહા…22
જે ઉદાસીન-શો વર્તે ગુણોથી ચળતો નહીં;
વર્તે ગુણો જ જાણીને, રહે સ્થિર ડગે નહીં…23
સમ દુ:ખેસુખે, સ્વસ્થ જે શત્રુમિત્રમાં;
સુખે, સ્વસ્થ, સમ્લોષ્ટાશ્મકાંચન: !
સમ પ્રિયાપ્રિયે, ધીર, સમ નિંદા-વખાણમાં…24
સમ માનાપમાને જે, સમ જે શત્રુમિત્રમાં;
સૌ કર્મારંભ છોડેલો, ગુઁઆતીત ગણાય તે…25
અવ્યભિચાર ભાવે જે ભક્તિયોગે મ’ને ભજે;
તે આ ગુણો કરી પાર, બ્રહ્મને પાત્ર થાય છે…26
*
અમૃત-અક્ષર-બ્રહ્મ,ને એકાંતિક જે સુખ;
તેમ શાશ્વત ધર્મો જે, સૌનો આધાર હું જ છું…27
—————————————-
ગુણો વિના ન્કર્તા કો, જ્યારે દ્રષ્ટા પિચાણતો,
ત્રિગુણાતીતને જાણે, તે પામે મુજ ભાવને…19
દેહ સાથે ઊઠેલા આ ત્રિગુણો
પ્રતિસાદ આપો