ગીતધ્વનિ/કિશોર્લાલ મશરૂવાળા
અધ્યાય:બીજો
જ્ઞાન અને યોગનું તત્ત્વ
સંજય બોલ્યા—
આમ તે રાંકભાવે ને આંસુએ વ્યગ્ર દૃષ્ટિથી
શોચતા પાર્થને આવાં વચનો કહ્યાં….1
*
શ્રીભગવાન બોલ્યા—
ક્યાંથી મોહ તને આવો ઊપજ્યો વસમી પળે
નહીં જે આર્યને શોભે, સ્વર્ગ ને યશ જે હરે ? ….2
મા તું કાયર થા, પાર્થ, તને આ ઘટતું નથી;
હૈયાના દૂબળા ભાવ છોડી ઊઠ, પરંતપ…3
અર્જુન બોલ્યા—
મારે જે પૂજવા યોગ્ય ભીષ્મ ને દ્રોણ, તે પ્રતિ
કેમ હું રણસંગ્રામે બાણોથી યુદ્ધ આદરું?….4
વિના હણીને ગુરુઓ મહાત્મા
ભિક્ષા વડે જીવવું તેય સારું.
હણી અમે તો ગુરુ અર્થવાંછુ
લોહીભર્યા માણશું ભોગ લોકે !…..5
થાયે અમારો જય તેમનો વા—
શામાં અમારું હિત તે ન સૂઝે,
જેને હણી જીવવુંયે ગમે ના,
સામાં ખડા તે ધૃત્રરાષ્ટ્ર પુત્રો….6
સ્વભાવ મેટ્યો મુજ રાંકભાવે,
ન ધર્મ સૂઝે તમને હું પૂછું,
બોધો મ’ને નિશ્ચિત શ્રેય જેમાં,
છું શિષ્ય, આવ્યો શરણે તમારે….7
સમૃદ્ધ ને શત્રુ વિનાનું રાજ્ય
મળે જગે કે સુરલોક્માંયે;
તોયે ન દેખું કંઈ શોક ટાળે
મારી બધી ઈંદ્રિય તાવનારો…..8
*
સંજય બોલ્યા—
પરંતપ, ગુડાકેશે આમ ગોવિંદને કહી,
“ હું તો નહીં લડું ” એવું બોલી મૌન ધર્યું પછી….9
આમ બે સૈન્યની વચ્ચે ખેદે વ્યાપેલ પાર્થને
હસતા શું હૃષીકેશે આવાં વચનો કહ્યાં….10
*
શ્રીભગવાન બોલ્યા—
ન ઘટે ત્યાં કરે શોક, ને વાતો જ્ઞાનની વદે;
પ્રાણો ગયા રહ્યા તેનો જ્ઞાનીઓ શોક ના કરે…11
હું તું કે આ મહીપાળો, પૂર્વે ક્યારે હતા નહીં,
ન હઈશું ભવિષ્યેયે એમ તું જાણતો રખે…12
દેહીને દેહમાં આવે બાળ,જોબન ને જરા,
તેમ આવે નવો દેહ, તેમાં મૂંઝાય ધીર ના….13
*
સ્પર્શાદિ વિષયો જાણ શીતોષ્ણ-સુખદુ:ખદા,
અનિત્ય, જાય ને આવે, તેને, અર્જુન લે સહી…..14
તે પીડી ન શકે જેને, સમ જે સુખદુ:ખમાં,
તે ધીર માનવી થાય પામવા યોગ્ય મોક્ષને….15
અસત્યને ન અસ્તિત્વ, નથી નાશેય સત્યનો;
નિહાળ્યો તત્ત્વદર્શીએ આવો સિદ્ધાંત બેઉનો….16
જાણજે અવિનાશી તે જેથી વિસ્તર્યું આ બધું;
તે અવ્યય તણો નાશ કોઈયે ના કરી શકે….17
અવિનાશી, પ્રમાતીત નિત્ય દેહી તણાં કહ્યાં
શરીરો અંતવાળાં આ તેથી ઝૂઝ, અર્જુન…..18 જે માને કેહણે છે તે , જે માને છે તે હણાય છે,
બંનેયે તત્ત્વ જાણે ના, હણે નાતે હણાય ના….19
ન જન્મ પામે, ન કદાપિ મૃત્યુ,
ન્હોતો ન તે કે ન હશે ન પાછો;
અજન્મ, તે નિત્ય, સદા, પુરાણ,
હણ્યે શરીરે ન હણાય તે તો…..20
જે એને જાણતો નિત્ય ,અનાશી, અજ, અવ્યય,
તે નર કેમ ને કોને હણાવે અથવા હણે ?…21
*
ત્યજી દઈ જીર્ણ થયેલ વસ્ત્રો,
લે છે નવાં જેમ મનુષ્ય બીજાં;
ત્યજી દઈ જીર્ણ શરીર તેમ,
પામે નવાં અન્ય શરીર દેહી….22
ન તેને છેદતાંશસ્ત્રો, ન તેને અગ્નિ બાળતો,
ન યેને ભીંજવે પાણી,ન તેને વાયુ સૂકવે….23
છેદાય ના, બળે ના તે, ન ભીંજાય,સુકાય ના;
સર્વવ્યાપક તે નિત્ય, સ્થિર, નિશ્ચળ, શાશ્વત….24
તેને અચિંત્ય, અવ્યક્ત, નિર્વિકાર કહે વળી;
તેથી એવો પિછાણી તે,તને શોક ઘટે નહીં…25
*
ને જો માને તું આત્માનાં જન્મ-મૃત્યુ ક્ષણે ક્ષણે,
તોયે તારે મહાબાહુ, આવો શોક ઘટે નહીં…26
જન્મ્યાનું નિશ્ચયે મૃત્યુ, મૂઆનો જન્મ નિશ્ચયે;
માટે જે ન ટળે તેમાં તને શોક ઘટે નહીં….27
અવ્યક્ત આદિ ભૂતોનું, મધ્યમાં વ્યક્ત ભાસતું;
વળી, અવ્યક્ત છે અંત, તેમાં ઉદ્વેગ જોગ શું?….28
*
આશ્ચર્ય –શું કોઈ નિહાળતું એ,
આશ્ચર્ય શં તેમ વદે વળી કો,
આશ્ચર્ય-શું અન્ય સુણેય કોઈ,
સુણ્યા છતાં કો સમજે ન તેને…29
સદા અવધ્ય તે દેહી સઘળાના શરીરમાં;
કોઈયે ભૂતનો તેથી તને શોક ઘટે નહીં….30
*
વળી, સ્વધર્મ જોતાંયે ન તારે ડરવું ઘટે;
ધર્મયુદ્ધ થકી બીજું શ્રેય ક્ષત્રિયને નથી….31
અનાયાસે ઉઘાડું જ સ્વર્ગનું દ્વાર સાંપડ્યું;
ક્ષત્રિયો ભાગ્યશાળી જે તે પામે યુદ્ધ આ સમું….32
માટે આ ધર્મસંગ્રામ આવો જો ન કરીશ તું.
તો તું સ્વધર્મ ને કીર્તિ છાંડી પામીશ પાપને….33
અખંડ કરશે વાતોલોકો તારી અકીર્તિની;
માની પુરુષને કાજે અકીર્તિ મૃત્યુથી વધુ….34
ડરીને રણ તેં ટાળ્યું માનશે સૌ મહારથી;
રહ્યો સન્માન્ય જેઓમાં તુચ્છ તેનેજ તું થશે….35
ન બોલ્યાના ઘણા બોલ બોલશે તુજ શત્રુઓ;
નિંદશે તુજ સામર્થ્ય, તેથી દુ:ખ કયું વધુ ?….36
હણાયે પામશે સ્વર્ગ, જીત્યે ભોગવશે મહી;
માટે, પાર્થ, ખડો થા તું, યુદ્ધાર્થે દૃઢ્નિશ્ચયે….37
*
લાભ-હાનિ સુખો દુ:ખો, હાર-જીત કરી સામ,
પછી યુદ્ધાર્થ થા સજ્જ, તો ના પાપ થશે તને…38
*
કહી આ સાંખ્યની બુદ્ધિ, હવે સાંભળ યોગની;
જે બુદ્ધિથી થયે યુક્ત તોડીશ કર્મબંધન….39
આદર્યું વણસે ના ને વિઘ્ન ના ઊપજે અહીં;
સ્વલ્પે આ ધર્મનો અંશ ઉગારે ભયથી વડા…40
એમાં મનુષ્યની બુદ્ધિ એક નિશ્ચયમાં રહે;
અનંત, બહુ શાખાળી બુદ્ધિ નિશ્ચયહીનની….41
જન્મ-કર્મ-ફળો દેતી, ભોગ-ઐશ્વર્ય સાધતી,
વાણીને ખીલવી બોલે, “આથી અન્ય કશું નથી.” ….43
ભોગ-ઐશ્વર્યમાં ચોંટ્યા, હરાઈ બુદ્ધિ તે વડે,–
તેમની બુદ્ધિની નિષ્ઠા ઠરે નહીં સમાધિમાં….44
*
ત્રિગુણાત્મક વેદાર્થો, થા ગુણાતીત, આત્મવાન.
નિશ્ચિત યોગને ક્ષેમે, નિર્દ્વંદ્વ, નિત્ય-સત્વવાન…45
નીર-ભરેલ સર્વત્ર તળાવે કામ જેટલું,
તેટલું સર્વ વેદોમાં વિજ્ઞાની બ્રહ્મનિષ્ઠને….46
*
કર્મે જ અધિકારી તું, ક્યારેય ફળનો નહીં,
મા હો કર્મફળે દૃષ્ટિ, મા હો રાગ અકર્મમાં…47
કર યોગે રહી કર્મ, તેમાં આસક્તિને ત્યજી;
યશાયશ સમા માની,–સમતા તે જ યોગ છે….48
*
અત્યંત હીન તો કર્મ બુદ્ધિયોગ થકી ખરે;
શરણું બુદ્ધિમાં શોધ, રાંક જે ફળ વાંછતા…49
બુદ્ધિયોગી અહીં છોડે પાપ ને પુણ્ય બેઉયે;
માટે થા યોગમા યુક્ત, કર્મે કૌશલ્ય યોગ છે….50
બુદ્ધિયોગી વિવેકી તે, ત્યાગીને કર્મનાં ફળો,
જન્મ્બંધનથી છૂટી પોં’ચે નિર્દોષ ધામને…51
મોહનાં કળણો જ્યારે તારી બુદ્ધિ તરી જશે;
સુણ્યું ને સુણવું બાકી બેએ નિર્વેદ આવશે…52
બહુ સુણી ગૂંચાયેલી તારી બુદ્ધિ થશે સ્થિર,
અચંચળ, સમાધિસ્થ, ત્યારે તું યોગ પામશે…53
*
અર્જુનબોલ્યા—
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ, જાણવો કેમ, કેશવ ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિરબુદ્ધિનો ?…54
*
શ્રીભગવાન બોલ્યા—
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો…55
દુ:ખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ;
ગયા રાગ-ભય=ક્રોધ, મુનિ તે સ્થિરબુદ્ધિનો….56
આસક્ત નહીં જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ;
ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર…57
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી
સંકેલે ઈંદ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર…58
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં….59
પ્રયત્નમાં રહે તોયે શાણાયે નરના હરે
મનને ઈંદ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી….60
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
ઈંદ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર….61
*
વિષયોનુંયોનુંરહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે;…62
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;
સ્મૃતિલોપે બુદ્ધિ, બુદ્ધિનાશે વિનાશ છે…63
*
રાગ ને દ્વેષ છૂટેલી ઈન્દ્રિયે વિષયો ગ્રહે
વશેંદ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા….64
પામ્યે પ્રસન્નતા તેનાં દુ:ખો સૌ નાશ પામતાં;
પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર…65
અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના;
ન ભાવહીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને?…66
ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે….67
તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી
ઈંદ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર…68
*
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી;
જેમાં જાગે બધાં ભૂતો,તે જ્ઞાની મુનિની નિશા…69
*
સદા ભરાતા અચલપ્રતિષ્ઠ
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
તે શાંતિ પામે નહીં કામકામી…70
છોડીને કામના સર્વે ફરે જે નર નિ:સ્પ્રૂહ,
અહંત-મમતા મૂકી , તે પામે શાંતિ, ભારત…71
*
આ છે બ્રહ્મદશા. એને પામ્યે ના મોહમાં પડે;
અંતકાળેય તે રાખી બ્રહ્મનિર્વાણ મેળવે….72
********************************
લાખો નમન!