A Few Moments with Shri.Karsandas Manek
કરસનદાસ માણેક સાથે થોડી પળો
(1)એક દિન આંસુભીનાં રે…
એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં ! પચરંગી ઓચ્છવ ઊછળ્યો’તો અન્નકૂટની વેળા,
ચાંદીની ચાખડીઓએ ચડી ભક્ત થયા’તા ભેળા !
શંખ ઘોરતા,ઘંટ ગુંજતા, ઝાલરું ઝણઝણતી: શતશગ કંચન આરતી હરિવર સન્મુખ નર્તંતી
દ્રરિદ્ર,દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા, દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા,
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
લગ્નવેદિપાવક પ્રજળ્યો’તો વિપ્ર વેદ ઉચ્ચરતા, સાજન મા’જન મૂછ મરડતા પોરસફૂલ્યા ફરતા;
જીર્ણ, અંજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું, કૃપણ કલેવર કોડભર્યું જ્યાં માંડવડે ખડકાણું: ’બ્રાહ્મણવચને સૂરજસાખે’ કોમળકળી ત્યાં આણી, ભાવિની મનહર પ્રતિમાની જે દિન ઘોર ખોદાણી,
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
ભય-થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા: વરુના ધાડાં મૃત ઘેટાંની માંસ—લાલચે ધાયાં ! થેલી,ખડિયા,ઝોળી, તિજોરી: સૌ ભરચક્ક ભરાણાં: કાળી મજૂરીના કરતલને બે ટંક પૂગ્યા ન દાણા ! ધીંગા ઢગલા ધાન્યતણા સૌ સુસ્તોમાંહિ તણાણા: રંક ખેડૂનાં રુધિર ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં:
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
હુંફાળાં રાજવી ભવનોથી મમત અઘોર નશામાં ખુદમતલબિયા મુત્સદીઓએ દીધા જુધ્ધ—દદામા;
જલથલનભ સૌ ઘોર અગનની ઝાળમહિં ઝડપાયા: માનવી માનવીનાં ખૂન પીવા ધાયા થઇ હડકાયા; નવસર્જનના સ્વપ્નસંગી ઉર ઉછરંગે ઉભરાણાં: લખલખ નિર્મલ નવલકિશોરો ખાઇઓમાં ખોવાણા.
તે દિન આંસુભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં ! ખીલું ખીલું કરતાં માસુમ ગુલ સૂમ શિક્ષકને સોંપાણાં, કારાગાર સમી શાળાના કાઠ ઉપર ખડકાણાં ! વસંત,વર્ષા ગ્રીષ્મ શરદના ભેદ બધા ય ભુલાણા: જીવનમોહ તણા લઘુતમમાં પ્રગતિપાદ છેદાણા ; હર્ષઝરણ લાખો સ્મિત ભાવિનાં વણવિક્સ્યાં જ સુકાણાં;
તે દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
***********************************************
(2) મને એ જ સમજાતું નથી
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે:
ફૂલડાં ડૂબી જતાં ને પત્થરો તરી જાય છે !
ટળવળે તરસ્યાં,ત્યહાં જે વાદળી વેરણ બને,
તે જ રણમાં ધૂમ મૂસળધાર વરસી જાય છે !
ઘર—હીણાં ઘૂમે હઝારો ઠોઅકરાતાં ઠેર ઠેર :
ને ગગનચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે !
દેવડીએ દંડ પામે ચોર મુઠી જારના :
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે !
કામધેનુને મળે ના એક સૂકું તણખલું,
ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે !
છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું :
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે ! =========================================================
(3) જાનારાને જાવા દેજે
જાનારાને જાવા દેજે:
એકલવાયું અંતર તારું ચૂપ રહી ચીરવા દેજે !
લાવજે ના લોચનમાં પાણી;
ધ્રુજવા દેજે લેશ ન વાણી,
પ્રાણના પુષ્પની પાંખડી પાંખડી
છાનોમાનો છેદાવા દેજે !
જાનારાને જાવા દેજે !
નીરવ જીરવી લેજે ઝુરાપા,
છોને પડે તારે કાળજે કાપા :
હૈયાની ધરતી તરસી,
તારાં શોણિતથી સીંચાવા દેજે !
જાનારાને જાવા દેજે !
ઝંખનાની કાળી ઘોર ગુલામી ;
વહોરજે ના વેદનાઓ નકામી.
સપનાની તારી વાડી રૂપાળીને
સામે ચાલી વેડાવા દેજે !
જાનારાને જાવા દેજે ! ********************************************************************
(4)એવું જ માંગુ મોત
એવું જ માંગુ મોત, હરિ, હું તો એવું જ માંગુ મોત !
આ થયું હોત ને તે થયું હોત ને
જો પેલું થયું હોત…… અંત સમે એવા ઓરતડાની
હોય ન ગોતાગોત !—હરિ, હું0
કાયાની કણીકણીથી પ્રગટે
એક જ શાંત સરોદ :
જોજે રખે પડે પાતળું
કદી યે આતમ કેરૂં પોત !—હરિ, હું0
અંતિમ શ્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત :
ઓતપ્રોત હૌં આપ મહીં જ્યારે
ઊડે પ્રાણ-કપોત !—હરિ, હું0
ઘનઘન વીંધતાં, ગિરિગણ ચઢતાં,
તરતાં સરિતા—સ્ત્રોત.
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત !
હરિ, હું તો એવું જ માંગુ મોત ! ********************************************************************
bahu j sundar kaavyo. thanks.
ગોપળભાઈ,
મને ખુબ ગમતા કાવ્યો વાંચવા મળ્યા આજે અહીં આપના આ બ્લોગમાં એથી ખુબ આનંદ થયો. આભાર
એમની જીવન ઝાંખી …
http://sureshbjani.wordpress.com/2007/01/16/karsandas_manek/
એક દિન આંસુભીનાં રે
હરિનાં લોચનિયાં મેં દીઠાં !
My fav. poem
just tears come to eyes , enjoyed !
bahuj sundar kavyo chhe………
કાંતિ વાછાણી
પુરુષાર્થ
http://jshiroya.blogspot.com/
khubaj sunder mangamatu kavya vachava maliyu
thanks
I am trying to find one more poem “Doonger toche dev viraje, kheen man khadbad manavkeet….” by Shri Karsandas Manek. I will be grateful if someone can help me locate it.
I am trying to find Mahabharatkatha, can I get it?
can you please send me “Madhyahan” by Karsandas manek.