શ્રાવણ વદ અમાસ 2063 ને મંગળવાર,11 સપ્ટેમ્બર2007
ગીતામ્રુતમ—(બે)
અધ્યાય બીજો શ્લોક 62 થી 66 વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ,કામથી ક્રોધ નીપજે…..62 વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિષે આસક્તિ ઉત્પન્ન થાયછે.આસક્તિથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાયછે……62
ક્રોધથી મૂઢતા આવે,મૂઢતા સ્મ્રુત્તિને હરે; સ્મ્રુત્તિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે…….63 ક્રોધમાં થીમૂઢતા પેદા થાયછે,મૂઢતામાઁથી ભાન ભૂલાય છે. ને ભાન જવાથી જ્ઞાનનો નાશ થાયછે અને જેના જ્ઞાનનો નાશ થયો તે જાતે જ નાશ પામેછે (તેની સર્વે પ્રકારે અધોગતિ થાયછે.)…..63
રાગને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે વશેન્દ્રિય સ્થિરાત્માજે,તે પામેછે પ્રસન્નતા. 64
પણ જેનું મન પોતાના કાબૂમાં છે અને જે રાગદ્વેષરહિત એવી તથા પોતાને વશ વર્તનારી ઇન્દ્રિયોથી (ઘટતા) વિષયોનું ગ્રહણ કરેછે તે પુરુષ ચિત્તની પ્રસન્નતા મેળવે છે..64
પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો સૌ નાશ પામતાઁ; પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર…65
ચિત્તની પ્રસન્નતાથી એનાં બધાં દુઃખો ટળેછે અને પ્રસન્નતા પામેલાની બુદ્ધિ તરત જ સ્થિર થાયછે. 65
m lakhine khali capital R karsho to
gitamrutam barabar lakhashe ……….
i like it nice one……………