Feeds:
Posts
Comments

Archive for September, 2007

maa

અનંત ચતુર્દશી,ભાદરવા સુદ ચૌદશ, 2063 ને મંગળવાર 25//09//2007
મા
મા, સૂરજ કહને કો કહેતા હૈ મેરા મન,
સૂરજ સી ઉર્જા તો હૈ તુઝમેં, પર સૂરજ સી તપન બિલકુલ નહીં,
તેરી આંચલકી શીતલતામેં સૂરજકી સારી ઉપમા ખો જાતી હૈ.!
ઇસીલિયે સૂરજસે બઢકર હૈ તૂ મા.
મા વૈસે તો કવિયોંકી કોઇ લીગ નહીં હૈ સંસારમેં,
ઇસીલિયે ઉપમા દેના ઠીક નહીં,ક્યોંકિ [...]

Read Full Post »

શુક્રવાર, 21 સપ્ટેમ્બર 2007 ને ભાદરવાસુદ દશમ 2063 ગીતામ્રૂત-3 અધ્યાય બીજો શ્લોક 66 થી 72
અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના; ન ભાવહીનને શાંતિ, સુખક્યાંથી અશાંતને? 66
જેને સમત્વ નથી તેને વિવેક નથી, ભક્તિ નથી. અને જેને ભક્તિ નથી એને શાંતિ નથી. હવે જ્યાં શાંતિ નથી ત્યાં સુખ ક્યાંથી જ હોય? 66
ઇન્દ્રિયો વિષયે દોડે, તે [...]

Read Full Post »

શનિવાર, ભાદરવા સુદ એકાદશી,૨૦૬૩ ને ૨૨ સપ્ટેમ્બર૨૦૦૭,
મારી બંસીમાં
મારી બંસીંમા બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બે એક આરોગી;
જનમભૂખીને જમાડી તું જા.
ઘાટે બંધાણી [...]

Read Full Post »

ભાદરવા સુદ એકમ,2063 ને બુધવાર, 12સપ્ટેમ્બર 2007
પાંપણનો તકાજો – મકરંદ દવે
પાંપણનો તકાજો છે, પગલાંની થકાવટ છે,
પર્વતના પ્રવાસીને, ઉંબરની રુકાવટ છે.
સુમસામ સદીઓથી છે ઘરની એ જ હાલત,
તો કોણ અહીં આવ્યું? આ કોની તે આહટ છે?
એ આવશે અચાનક, ને આવશે ઘડીપળ,
પલકોંની મજા ખાતર, સદીઓની સજાવટ છે.
નફરતની નજર માટે મેં માગી આ દુવાઇ,
નાપાક છે ન દુનિયા, ના કોઇ [...]

Read Full Post »

અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે
અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક !
આભે પૂનમ ચાંદ ઊગ્યો છે,
રાસ ચગ્યો છે છમ્મક છમ્મક ! ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !
રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક ! બધાં જડ્યાં પણ એક ખૂટે છે, રુએ રાધિકા [...]

Read Full Post »

ગીતામ્રૂત-2

શ્રાવણ વદ અમાસ 2063 ને મંગળવાર,11 સપ્ટેમ્બર2007
ગીતામ્રુતમ—(બે)
અધ્યાય બીજો શ્લોક 62 થી 66 વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઉપજે, જન્મે આસક્તિથી કામ,કામથી ક્રોધ નીપજે…..62 વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિષે આસક્તિ ઉત્પન્ન થાયછે.આસક્તિથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાયછે……62
ક્રોધથી મૂઢતા આવે,મૂઢતા સ્મ્રુત્તિને હરે; સ્મ્રુત્તિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે…….63 ક્રોધમાં થીમૂઢતા પેદા [...]

Read Full Post »

શ્રાવણ વદ તેરસ 2063 ને સોમવાર તા.10/09/2007
હરિ કીર્તનની હેલી***વેણીભાઇ પુરોહિત
હરિ કીર્તનની હેલી રે મનવા ! હરિ કીર્તનની હેલી.
ધ્યાન ભજનની અરસ પરસમાં લાગી હો તાલાવેલી, ધામધૂમ નર્તન અર્ચનની સતત ધૂમ મચેલી રે મનવા….હરિ….
મારા જીવનના ઉપવનમાં વિવિધ પુષ્પિત વેલી મારે મનતો હરિ છે ચંપો ને હરિનું નામ ચમેલી રે મનવા….હરિ…
નયણામાંથી અગણિત ધારા નભમાં જઇ વરસેલી [...]

Read Full Post »

શનિવાર, 8 સપ્ટેમ્બર2007ને શ્રાવણ વદ બારસ,2063
કિનારે જવું નથી***નિનુ મજુમદાર***1963
જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી,
પાછી લઇ લે નાવ કિનારે જવું નથી.
આરામથી થવાદે સફર જિંદગી મહીં,
આવેછે મોત તેડવા એને જવું નથી.
જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા !
મઝધાર ચાલ! કિનારે કિનારે જવું નથી.
સામે તું થા, હું જાણું છું જગના તુફાનને,
વહેતી જતી હવાને સહારે જવું નથી.
મહેફિલ તો [...]

Read Full Post »

કાનજી ને કહેજો કે***જયંત પાઠક***સમર્પણ 05/01/1963
કાનજીને કહેજો કે આવશું, બળ્યા ઝળ્યા અમે બોલીએ તેમાં
વાંકું શું પાડવું તમારે! કુંજોમાં ઘૂમનારા ક્યાંથી જાણો તમે માથે શું વીતે અમારે? પળની ન મળે નવરાશું…. કાનજી ને…. મનનો મારગ એક, તનનો દૂજેરો, લાજમહીં અટવાતી આંખો, સંસારી, કેડીઓમાં આંકેલી ચાલીએ શમણામાં વીંઝીએ પાંખો ! જીવતરની વેચીએ છાશું…કાનજી ને…
મ્હેણાંના માર અહીં, [...]

Read Full Post »

દુષ્ટજન તો (નરસિંહ મહેતાના “વૈષ્ણવ જન તો તેને કહીએ “પરથી પેરોડી)
દુષ્ટજન તો તેને કહીએ જે પીડ પરાઇ માણે રે,
પરદુઃખે અપકાર કરે ને સદાનો વળી અભિમાની રે.
સકળ લોકમાં સૌને નિંદે ને સ્તુતિ ન કરે કોઇની રે,
વાચ કાછ મન સદા મલિન જ રાખે,કરમ ફૂટી જેની જનની રે.
કૂદ્ર્ષ્ટિને ત્રૂષ્ણા ભોગી, પરસ્ત્રી જેને નવ માત રે.
જિહ્વા [...]

Read Full Post »

Older Posts »